SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૩૪ www.kobatirth.org શ્રી આત્માનઃ પ્રકાશ cra.... સુખ તથા શાંતિ. ... For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ગતાંક પૃષ્ટ ૧૯૭ થી ચાલુ. વિઠ્ઠલદાસ મૂ. શાહુ બી. એ. મનને એટલી બધી ઉંચી સ્થિતિએ લઇ જવું કે સુખ દુઃખનું ભાનજ ન રહે એ સામાન્ય લેાકેાને “માટે ઘણુ જ કઠિન છે. તેને માટે ઘણાજ ઉંચા પ્રકારના શિક્ષણુ તથા વિચારા વિગેરેની આવશ્યકતા છે. તે સાથે પેાતાનાં ચિત્તને પણુ હમેશાં પ્રસન્ન રાખવું અને તેના ઉપર દુ:ખની કલુષિત છાયા ન પડવા દેવી એ પણ સહેલુ કામ નથી, જે લેાકેા હમેશાં સંસારની જાળમાં ફસાઇ રહે તેને માટે હંમેશાં પ્રસન્ન ચિત્ત અને સુખી રહેવું તે વધારે કઠિન છે. જો કે વાસ્તવિક દ્રષ્ટિએ ોઇએ તે એટલુ જ નિશ્ચિત લાગશે કે બાહ્ય પદાર્થાને સુખની સાથે કોઇપણ પ્રકારના સંબંધ નથી, તાપણ કેટલીક બાબતા એવી છે કે જેને સાધારણરૂપે ચિત્તવૃત્તિ ઉપર ઘણાજ પ્રભાવ પડે છે અને એને લઇનેજ તેને લદ્રષ્ટિએ સુખ દુ:ખનું કારણુ ગણવામાં આવે છે. એ બાબતેાનુ` સ ંક્ષિપ્ત વર્ણન આપવાની જરૂર લાગે છે. સદાચાર, પરિસ્થિતિ અને કામના એ ત્રણ બાબતે એવી છે કે જેને આપણા સુખની સામે નિકટ સબધ છે. સદાચારની ઉપયેાગિતા અને મહત્તા વિગેરેના સ ંબંધમાં આ લેખમાળાના શરૂઆતના લેખોમાં ઘેાડુ ઘણુ કહેવાઈ ગયું છે. સદાચારના સૈથી મહાન ગુણ એ છે કે તે મનુષ્યને હમેશાં સુખી રાખે છે અને તેને કદિપણ દુ:ખી થવા દેતા નથી. સદાચાર ને સુખની સાથે જે ઘનિષ્ટ સંબંધ રહેલા છે તે કઢિપણ વિચ્છિન્ન થઇ શકતા નથી. જે મનુષ્ય હમેશાં સત્કર્મ કરે છે અને જેનું અત:કરણ હમેશાં શુદ્ધ રહે છે તે કદિપણ દુ:ખી થઇ શકતા નથી. એ રીતે જે મનુષ્ય હંમેશાં નિ:સ્વાર્થભાવે પરાપકારમાં લાગ્યા રહે છે અને જે ખીજાનું ખરાબ નથી ઈચ્છતા તે પણ સદા સુખીજ રહે છે. જે મનુષ્ય પાત્તાની વિવેકબુદ્ધિ ( Conscience ) ની આજ્ઞાએ અને પોતાનાં કબ્યાનું પાલન કરે છે તે પણ કદિ દુ:ખી રહેતા નથી. જેના આશય ઉચ્ચ અને ઉદાર હેાય છે તથા જે સમદશી હાય છે તેની પાસેથી દુ:ખ દૂર ભાગે છે. એથી ઉલ્ટુ જે મનુષ્ય દુરાચારી હાય છે, હમેશાં કુકર્મોમાંજ સાયલેા રહે છે, સોની ઇર્ષ્યા કર્યા કરે છે અને બીજાને નુકશાન કરવાના પ્રયત્નો કર્યા કરે છે, પેાતાની વિવેકબુદ્ધિની હત્યા કરે છે અને કબ્ય પાલનનુ ધ્યાન છેડી દે છે તેમજ પોતાનાં હૃદય તથા વિચારાને હંમેશાં નીચ તથા સાંકુચિત બનાવી રાખે છે તે હમેશાં દુ:ખીજ રહે છે અને
SR No.531306
Book TitleAtmanand Prakash Pustak 026 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1928
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy