SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદુ. જૈન સાહિત્ય પરિષદુ-સુરત. આ માસની વૈશાક વદી ૧–૨–૩–૪ એ ચાર દિવસમાં ઉક્ત પરિષદ્ સુરતમાં મળી હતી. સત્કાર કમીટીના પ્રમુખ શેઠ ગુલાબચંદભાઈ નગરશેઠ હતા, જેમણે પ્રથમ દિવસે આવકાર આપનારું પોતાનું ભાષણ વાંચી સંભળાવ્યું હતું. પછી પ્રમુખ મારે દરખાસ્ત મુકવામાં આવતાં પરિષદના પ્રમુખ કવિશ્રી ન્હાનાલાલ દલપતરામ પાનું વિદ્વતાપૂર્ણ ભાષણ શરૂ કર્યું હતું. પ્રમુખશ્રીએ પિતાના ભાષણમાં જૈન ભકારી ખુલ્લા મુકવાની જે વારંવાર સુચના કરી છે, તે યોગ્ય છે; કારણકે કેટલાક સ્થળ જેનોને પણ બતાવવા જેવી કે બીજી નકલ કરાવવા આપવા જેવી સંકુચિત વૃત્તિ જોવામાં આવતી હતી અને આવે છે, તો તેથી જૈન સાહિત્યના વિકાસ માટે તે ચાખ્યજ નહોતું. હાલમાં જર્મન ભાષાના ભાષાંતર ઉપરથી ગુજરાતી અનુવાદ ર બહાર પડેલ જૈન તરંગવતીની કથા આખા યુરોપમાં અને હાલ અત્રે જે પ્રસિદ્ધ પામી, જે જૈનકથા સાહિત્ય પ્રશંસા પામેલ છે તે સંકુચિત વૃત્તિથી બને શકે જ નહીં, માટે તે સુચના પ્રમુખ સાહેબની પ્ય છે. વળી પ્રમુખ સાહેબે “ગુજરાત સાથે જેનેને ઇતિહાસિક સંબંધ સં૧૯૯ ની સાલથી બતાવ્યું છે” તે માત્ર ઇતિહાસના ગ્રંથ બહાર પડેલા છે તે ઉપરથી જણાય છે, પરંતુ જે જન ઈતિહાસ અને ગ્રંથનું તેઓએ અધ્યયન કર્યું હોત અથવા તપાસ કર્યો હોત તો ૯૬ પહેલાં ઘણું વર્ષોથી જ ઈતિહાસિક સંબંધ ગુજરાત સાથે જેનેને છે તમ પ્રમુખશ્રીને કહેવું પડત એમ અમે માનીયે છીયે, વળી પ્રમુખશ્રી એ પિતાના ભાષણમાં જણાવ્યું છે કે “ગુજરાતી સાહિત્ય પરિષદથી પ્રથક એવી આ પરિષદ શા માટે ? તે ગુજરાતી સાહિત્યને પોષક હોવી જોઈએ.” તે માટે અમે એમ જણાવવા માંગીયે છીયે કે, વિપુલ અનેકવિધ જૈન સાહિત્ય તેના ગ્ય સ્વરૂપમાં મળ સ્વરૂપ જાળવી રાખી, જમાનાને અનુસરતી લોકભાષામાં જેનેતરનું (ભારત વષય સમગ્ર પ્રજાનું) તેનાપર ખેંચાણ થાય, તે સાહિત્ય આકર્ષક થાય અને ગુજરાતી સાહિત્યમાં તેને માટે ફાળે છે તે બતાવાય, અને તેના વગર ગુજરાતી સાહિત્ય અને તેનો ઈતિહાસ પણ અપૂર્ણ રહે નહીં તે માટે તેમજ અમુક અંશે જૈન કેમનું વ્યવહારિક અને ધાર્મિકહિત સાધી શકાય, વગેરે માટે આવી જૈન સાહિત્ય પરિષદ ભરવાની જરૂર હોય છે, અને તેમ થાય તેમજ તે ગુજરાતી સાહિત્યની પિષક બને છે. જૈન કેમ પિતાના ગુજરાતી સાહિત્યને–સમગ્ર ગુજરાતી સાહિત્યને પિષક બનાવવા માટે ઉત્કંઠા ધરાવે છે, પોતાની ફરજ અને કાર્ય સમજે છે, માટે આવી પરિષદો ભરાય છે, પરંતુ અત્રે ભાવનગરમાં ભરાયેલી સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં જૈન સાહિત્ય, ગુજરાતી સાહિત્યનું પષક બનવા જતાં ત્યાં For Private And Personal Use Only
SR No.531248
Book TitleAtmanand Prakash Pustak 021 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1923
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy