SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકવીશ વર્ષની અપૂર્વ ભેટ. આદર્શ જૈન શ્રીરના. ( જેમાં ચાદ મહાસતીઓના જીવનચરિત્ર આવેલ છે. ) અમારા માનવતા ગ્રાહકોને જણાવવા રજા લઈએ છીએ કે, દર વર્ષ મુજબ આ વર્ષે ચૌદ ! આદર્શ મહાસતીઓનાં જીવનચરિત્ર ( કથાઓ ) જેમાં આવેલ છે, તે ઉપરોક્ત ગ્રંથ આ માસિકના ગ્રાહકેને આપવાનું પસંદ કરવામાં આવ્યું છે. જુદા જુદા વિદ્વાન પૂર્વાચાર્ય મહારાજની અનેક કૃતિઓમાંથી અવતરણ કરી સરલ ભાષામાં આ એક ઉત્તમ ગ્રંથ તૈયાર કરવામાં આવેલ છે. | પ્રાતઃસ્મરણીય માંગલકારી ચોદ પવિત્ર માતાઓ, આદર્શ સ્ત્રી રત્નો અને મહાસતીઓના વૃત્તાંતા આ ચ થમાં આપવામાં આવેલ છે, જે સ્ત્રી જાતિનું મહત્વ અને સ્ત્રીતtવના ગુણાના! પરમ વિકાસ કરનાર એક ઉપદેશાત્મક રચના છે.' - ચારિત્રય વિકાસ માટે ઉત્તમ ચારિત્રવાન અને સદ્દગુણી બનવા માટે, શાસ્ત્રકાર મહારાજે મહાન સ્ત્રી પુરૂષના ઉંચા આદર્શને નજર સામે રાખીને, પોતાના જીવનમાં ઉતારવાને અભ્યાસ કરવાનું બતાવેલી જરૂરીયાત આ ગ્રંથમાં આવેલી સ્ત્રીરતાની કથા પુરી પાડે છે. તેટલું જ નહીં, પરંતુ આ કથાએ એટલી બધી સરલ, સુંદર, રસિક, પ્રભાવશાળી, ગૌરવતાપણ, ચમકારિક અને ઉપદેશક છે કે તે મનનપૂર્વક વાંચતાં દરેક હેના આદર્શ સતીરૂપ બની તેમના ચારિત્રના વિકાસ થતાં પેડતાના આત્મા માટે માક્ષ નજીક લાવી મૂકે છે. દરેક મનુષ્યને પ્રાત:કાળમાં મરણ કરવા ચાગ્ય, દરેક હેના પેાતાનું ચારિત્ર્ય ખીલવી જીવનને કર્તવ્ય પરાયણ અને પોતાના સંસાર-વ્યવહાર સુખમય બનાવી, મનુષ્ય જન્મનું સાર્થક કરવા માટે આ ગ્રંથ ઉત્તમોત્તમ એક આલંબનરૂપ છે. સતી ચરિત્રની આ કથાઓ સાથે સ્ત્રી કેળવણી કેટલી જરૂરીયાત છે ? સ્ત્રીકેળવણી કેવી હોવી જોઈએ ? તેનું પણ આ ગ્રંથની શરૂઆતમાં વિસ્તારથી વિવેચન કરવામાં આવેલુ છે. આવા ઉપદેશક, અને પઠન પાઠન કરવા યોગ્ય આ અપૂર્વ ગ્રંથ આ વર્ષે અમારા સુત્ર સાહક બંધુઓને ભેટ આપવાનો છે. દર વર્ષે નિયમિત અને ઉત્તમ ગ્રંથો ( હજી સુધી કાગળ, છપાઈ વગેરેની મોંધવારી ચાલુ છતાં તેમજ દરેક બીજા માસિક પ્રકટ કર્તાઓએ પોતાના માસિકાનું લવાજમ વધાર્યા હતાં અને આ સભાએ જૈન સમાજને વાંચનના બહોળા લાભ આપવા ઉદારતાથી તે પ્રથમથીજ તે લવાજમ રાખ્યા છતાં ) ભેટ આપવાના ક્રમ માત્ર આ સભાએજ રાખ્યા છે, તે અમારા ગ્રાહકૈાના ધ્યાનમાં હાવું જ જોઈએ જેથી બાર માસ સુધી ગ્રાહક રહી તેમાં આવતા વિવિધ લેખેના વાંચનના આસ્વાદ લેનારા અમારા ગ્રાહક બંધુએ આ ભેટની બુકના લવાજમ પુરતા પૈસાનું વી. પી. તેમના ઉપર આવતાં સ્વિકારી લઈ જ્ઞાનખાતાને નુકશાન કરશેજ નહીં, એમ અમને સંપૂર્ણ ભરૂસો છે; છતાં ભેટની બુકનું વી. પી. ન સ્વીકારવું હોય તેમણે અમને પ્રથમ લખી જણાવવું, જેથી વી. પી૦ ના નકામા ખર્ચ ન થાય તેમજ પોસ્ટ ખાતાને નકામી મેહેનતમાં ઉતરવું પડે નહીં. તેટલી સુચના ધ્યાનમાં લેવા વિનંતિ છે. . - આ ગ્રંથ સુંદર એન્ટ્રીક ઉંચા કાગળ ઉ૫૨, સુંદર ટાઈપ અને સુશોભિત બાઈડીંગથી અલ કૃત થશે. - અશાડ વદી ૫ ના રોજથી અમારા કદરદાન ગ્રાહકોને લવાજમ પુરતા પૈસાનું વી. પી. કરી મેકલવામાં આવશે. જેથી જ્ઞાનખાતાને ઉત્તેજન આપવા માટે દરેક ગ્રાહકે તે સ્વીકારી લેશે એવી વિનંતિ છે.. For Private And Personal Use Only
SR No.531248
Book TitleAtmanand Prakash Pustak 021 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1923
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy