SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારિત્ર્ય બંધારણુ. કર્તા નું છે. તારા પ્રયત્ન પર તારું ભાવિ અવલંબેલું છે. તારૂં ચારિત્ર્ય તારા હાથમાં છે. તું તેને ઘડનાર છે. તારે બદલે કોઈ ખાઈ શકે નહિ, કઈ શીખે નહિ, કઈ લાગણી બતાવી શકે નહિ, કોઈ વિચાર કરી શકે નહિ, તેમજ તારે બદલે તારી ઈચ્છા-સકિતને કે વિકાસ કરી શકે નહિ. તારા સંગે કદાચ તને વિકાસ કરવામાં સહાય કર વામાં સહાય કરનારા છે કે વિશ્વ કરનાર છે તે તુજ સમજી શકે, અનુભવી શકે, પરંતુ બીજાને તેને પૂરેપૂરો ખ્યાલ કરી શકે નહિ. જેવી રીતે એક બીજમાં રહેલી શકિત, તે બીજનો વિકાસ કરી અમુક આકાર આપે છે, તેવી જ રીતે તારી અંદર રહેલી શનિ તું કે મનુષ્યભાવને પામીશ તેમજ આગળ જતાં દેવભાવને પામીશ તેને નિશ્ચય કરી રાખેલ છે. જેવી રીતે ગુલાબનું બી વાવીને તેમાંથી બાવળ થાય એવા કદી સંભવ હોતો નથી, તેવીજ રીતે જે થવાનું તારે માટે નિર્માણ થએલું છે તેમાંથી કોઈ માણસ, કે કઈ સંગે, કે કોઈ બાબત તેમાં મીનમેખ કરી શકે તેમ નથી, કોઇપણ સામાન્ય રીજમાં રહેલી ગદ્ય શક્તિ અજ બે ચમત્કતિવા તો પછી માનવમાં રહેલી ગુહ્યશકિત કેવી અજબ ચમત્કૃતિવાળી હશે તેને ખ્યાલ બાંધવા એ સાધારણ કમ્પના શકિતવાળાનું કાર્ય નથી. માનવીમાં જ્યારે અજબ શક્તિ રહેલી છે, ત્યારે કઈ પણ માનવીએ પિતાની વૃદ્ધિ માટે બહારની કોઈની રાહ જોવાની નથી, પરંતુ તે પિતાના માળી બનવાનું છે, પિતાનું ભાવિ પિતા ને જ સમજવાનું છે, અને પોતાને જેવા બનવું છે તેમાં પિતાના હાલના સંગે તેને કેવી રીતે મદદ કરી શકે તેમ છે, તેને તેને વિચાર કરવાને છે. તારા અંતરાત્માએ તે નિશ્ચય કરેલો છે કે ચારિત્ર્યને વિકાસ કરવો, અંદર પહેલી શક્તિને પ્રગટાવવી. તે પ્રગટાવવામાં પ્રયત્ન પણ કરવા અને જુદા જુદા અનુભવ પણ અનુભવવા. સ્વતંત્રતા, પ્રેમ, અને સત્યનો તું પૂજારી છે. શરીર માત્ર મેટું સ્થળ હોય તે જેમ ઉપગનું નથી પણ શરીર સારું અને તંદુરસ્ત અને જ્યારે કામ કરવાનું હોય ત્યારે આળસને ત્યાગ કરે તે ઉપયોગનું છે, તેવી જ રીતે આંતરભાવના કેવા ઉત્કૃષ્ટ પ્રકારની છે તે જોવાનું છે, માત્ર કેટલી બધી છે તે જોવાનું નથી. ધન, સત્તા અને કીર્તિ અથવા કઈ તેવી બાબતે આંતર્ભાવના પ્રગટાવી શક્તી નથી અથવા તેથી આત્માનંદ પ્રકાશ થતો નથી પરંતુ સ્વ તંત્રતા, પ્રેમ અને સત્યનો સાક્ષાત્કાર થતાં આત્માનંદ અનુભવાય છે. જેઓ આ પ્રકારનું આંતરૂ યુદ્ધ લડી રહ્યા છે. તેઓ જે આ ઉચ્ચ બાબતે તરફ ધ્યેય રાખી લડતા હશે તો તેઓ ચોકકસ વિજ્યવંત નીવડશે, કારણ કે આ તરુ શકિત-ઈશ્વરી શક્તિ તેઓના પક્ષમાં રહેશે, પરંતુ જેઓ માત્ર બહારની દુ નિયાની બાબતમાં વલખાં માર્યા કરે છે, તરફડીયા મારે છે તેઓ તે પ્રકારના યુદ્ધમાં પોતાની ઈશ્વરીશકિતને પ્રગટ કરી શકતા નથી અને તેનું ધ્યેય ઉચ્ચ પ્રકારનું નહિ હોવાથી તેઓ વિજયવંત નીવડતા નથી. જે બાબત ચા For Private And Personal Use Only
SR No.531248
Book TitleAtmanand Prakash Pustak 021 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1923
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy