SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧૮ 66 www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદેં પ્રકાશ. प्रचंडवासनावातैरुद्धृता नौमनोमयी । वैराग्यकर्णधारेण विना रोद्धुं न शक्यते ॥ १ ॥ અઃ—વાસના રૂપી પ્રચંડ પવને કંપાવેલ મનેામય નાવિકા વૈરાગ્ય રૂપી કર્ણ ધાર-ખલાસી સિવાય રાકી શકાતી નથી. ’” ૧ માકાશમાંથી પ્રગટ થયેલા આ ધ્વનિ સાંભળી તે જંગલવાસી પુરૂષ સ્વસ્થ થઇ ગયા. તેના પવિત્ર અને વિરક્ત હૃદયમાં શાંતિની આશા ઉત્પન્ન થઈ આવી. ગુરૂ કૃપાથી જે વડે શાંતિની શેાધ થઇ શકે તેવા ઉપાયેા તેને પ્રાપ્ત થયા હતા. જે ભવ્યાત્માએ એ શાંતિને શેાધવી હાય, એ મહાદેવીની શીતળ છાયામાં વસવું હાય, તેમણે મને ખળ, અભ્યાસ અને અનુભવ-એ ત્રિપુટી સ ંપાદન કરવી જોઇએ. એ ત્રિપુટીને આશ્રય લેનારા આત્માએ શાંતિદેવીના પૂજારી બની શકે છે. જેએ યુવાવસ્થાના આવેશમાં આવી પડે છે, તેએના હૃદયમાંથી મનેાખલ, અભ્યાસ અને અનુભવની અસર ઉડી જાય છે, યુવાવસ્થાના સ્થલ સપાદક યત્ના, મનની કામનાઓ અને ઇપ્સિત હેતુઓ પ્રથમ કહેલા વિકાશના માર્ગને સંકીણુ કરી તેની ગતિને રાકે છે અને તેને જડ અને અચેતન મનાવે છે. તેથી મનેાબળ, અભ્યાસ અને અનુભવની ત્રિપુટીને યથાશક્તિ વિકાસ કરવાથી ભગવતી શાંતિ દેવીના દર્શન જરૂર થાય છે. હવે એ શાંતિની શેાધ કરનારાઓએ શાંતિનું શુદ્ધ સ્વરૂપ પણ આળખવુ જોઈએ. શાંતિ વસ્તુતાએ એકસ્વરૂપી છે, તથાપિ તેના બે પ્રકાર પડી શકે છે. ખંડ શાંતિ અને અખંડ શાંતિ. જે આત્મા મા સંસારના અથવા પોતાના ઐચ્છિક વિષયના સપાદનથી જે શાંતિ મેળવે છે, તે ખંડ શાંતિ અથવા ક્ષણિક શાંતિ કહેવાય છે. અને જે આત્માએ આત્માની તાત્વિક સ્થિતિ ને સંપાદન કરવા થી જે શાંતિ મેળવે છે, તે અખંડ શાંતિ અથવા શાશ્વત શાંતિ કહેવાય છે. આ ખરેખર શુદ્ધ અને પરમાનન્દને આપનારી મહાશાંતિ છે. ઉત્તમ આત્માએ એવી શાંતિનીજ શાધ કરે છે. અને તેને માટે યાવવિત મહાન પ્રયત્ન આચરે છે. જે ખંડ શાંતિ અથવા ક્ષણિક શાંતિ છે, તે તૃષ્ણા રૂપી અગ્નિની મહા જવાલા ને વધારનારી છે. તે વૃદ્ધિ પામ્યા પછી શાંત થઇ જાય છે. આજ્ઞાનુપાલક અ ચરાની, સેવામાં તત્પર રહેનારા દાસદાસીએની, સુખકારક વાહનોની, ભવ્ય દર્શન રાની, ઉપવનાની, રમ્ય સરિતાના તટાની, વૃક્ષાથી આચ્છાદિત એવી ભ્રાંતિની સમુદ્રની શાંત લહેરેાની, એક એક પર આવી રહેલી દ્વારાવાળી ચ ંપાદિ પુષ્પરવાની કુજ લતાની, વિવિધ વાજિંત્રાના સાની, દશ્ય પદાર્થાની અને સુખકારક અભ્યાસ આદિ અનેક પ્રાપ્ત સુખેાની તૃષ્ણાએ ઉત્પન્ન થઇ હોય, અને તે કર્મ યે પુરી થતાં જે શાંતિ મળે છે, તે શાંતિ ક્ષણિક શાંતિ છે. તેવી શાંતિની શાષ. માટે For Private And Personal Use Only
SR No.531242
Book TitleAtmanand Prakash Pustak 021 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1923
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy