________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારમાં જન કહે સુખ શું જણાય?
કયાંઈ ન ચાર ડગલા ઘરથી ચલાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? થાયે જરાથકી સજર્જરીભૂત દેહ, તૂટે ને તેય સુતદારત જ નેહ, તૃષ્ણાતણ ઘડપણે બહુ વૃદ્ધિ થાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? શત્રુ સમાન વરતે નિજ પુત્ર પ્યારા, હાલાં સગાં પણ અરે થઈ જાય ન્યારા; સેવા કરે ન ઘરની પણ નાર હાય, સંસારમાં જન કહે સુખ શું જણાય ? બુદ્દાતણ બગડી બુદ્ધિ હવે અતીશે, ક્યારે મરે કનડતે કહી દાંત પીસે; માને કહ્યું ન ઘરમાં પણ કે જરાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? શું વળવું દુઃખ વિશેષ હું વૃદ્ધ કેરૂં, પિડ અરે ઘર બધું થઈને નમેરૂં; સ્વાથી બધા મરણ તેનું સદેવ હાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? ત્યાં કાળ કુર ઝડપે જનને પરાણે, આવે સગાં નજીકનાં પછી સર્વ કાણે; સત્કર્મ માત્ર જીવનું જીવસંગ જાય, સંસારમાં જન કહે સુખ શું જણાય જમ્યા પછી મરણ સુધી ન સુખ એમ, ઝંખે કુબેર જન તે ધરી તેય પ્રેમ, આશ્ચર્ય એજ મુજને બહુ આજ થાય, સંસારમાં જન કહા સુખ શું જણાય?
દેહ આ સંસાર અસારમાં, સુખ નથી લવ લેશ; પ્રભુ ભજન જન જે બને, તો સુખ મળે અશેષ.
For Private And Personal Use Only