SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મનિર્ભરતાનું મહત્વ. ૧૩ કૃત્રિમ કંચન મૃગની તૃષ્ણા, પ્રતિકુળ દેવ પ્રભાવે; અપહરી સીતા રાવપુરા, રઘુવીર જંગ મચાવે રાજ. વિધિના- ૨ દક્ષ યુધિષ્ઠિર વિધિએ વચ્ચે, ટ્રિપદી “વૃતમાં ગુમાવી, કુળક્ષય પાંડવ કોર કીધું, થાય ન મિથ્યા ભારી રાજ, વિધિના ૩ ધવળ શશિમાં શ્યામ કલંક ક્યાં ? વધઘટ દિવસ પનિશીને; ભરતી ઓટ સદા સાગરમાં, અસ્તેદય રવી શશિને રાજ વિધિના ૪ દિનકર ઉગે દુનિયા દેખે, અંધ ઘુવડ કેમ થાવે? 'રત્નાકર જાયે જળ આશે, પંથી તરસ્ય જાવે રાજ. વિધિના૦ ૫ થાય થવાનું તે કદિ મિયા, હાય ન દેવ પ્રભાવે; હર્ષ શેક ફેકટ કરવો? રહેવું સદા સમભાવે રાજ, વિધિના. ૬ સુખમાં પ્રભુને યાદ કરે નહીં, દુ:ખ આવે સંભારે; સુખમાં સમરે દુ:ખ ન આવે, જન્મ મરણ ભય વારે રાજ. વિધિના. ૭ સુકૃત કરણી ભાવ ભય હરણી, કર ઝટ પાર ઉતરણી; સાંકળચંદ નર લવ નીસરણી, ચડી શીવવધુ લે પરણી રાજ. વિધિના. ૮ આત્મ–નિર્ભરતાનું મહત્વ. વિઠ્ઠલદાસ મૂળચંદ શાહ, બી. એ. આત્મવિશ્વાસ ઉત્પન્ન કરવા માટે આત્મનિર્ભરતાની અત્યંત અગત્ય છે. જેમ ભજન વિના ભેજન બનાવવાનું વાસણ નિરૂપયોગી છે તેમ આત્મનિર્ભરતા વગર આત્મવિશ્વાસ નિરર્થક છે. આત્મવિશ્વાસથી માત્ર આ વાતનો જ નિર્ણય થાય છે કે આપણામાં શું શું કાર્યો કરવાની શક્તિ રહેલી છે, અને આપણે શું કરી શકીએ છીએ; પરંતુ આત્મનિર્ભરતાથી જે બાબતોની સંભાવના હોય છે તે કાર્યનું રૂપ ધારણ કરી લે છે. એક શિકાર કઈ પત્થરના ટુકડાને જુએ છે ત્યારે તેનો આત્મવિશ્વાસ તેને કેવળ એટલું બતાવે છે કે તે ટુકડામાંથી એક અત્યંત સુંદર મૂર્તિ બની શકે છે; પરંતુ આત્મ-નિર્ભરતા તે પત્થરના ટુકડાને તેની દ્વારા મૂર્તિનું રૂપ ધારણ કરાવી દે છે. પહેલાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને પછી આત્મનિર્ભરતા પેદા થાય છે. પહેલાં કેઈ કાર્ય કરવાની સંભાવના થાય છે અને પછી ત૫ ક્યિા બને છે. આ સંભાવનાને આત્મવિશ્વાસ કહેવામાં આવે છે અને તપ ક્રિયાને આત્મનિર્ભરતા કહેવામાં આવે છે. ૨ ડાહ્ય. ૩ ક. ૪ જુગાર. ૫ રાત. ૬ સ. ૭ સમુદ્ર. For Private And Personal Use Only
SR No.531197
Book TitleAtmanand Prakash Pustak 017 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1919
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy