SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મનિર્ભરતાનું મહત્વ, ૧૨૯ માં ભાડુતી લકરથી કામ ચાલતું નથી અને બીજાઓના લડવાથી વિજય પ્રાપ્ત કરી શકાતો નથી. વળી આ યુદ્ધમાં ઉતર્યા વગર પણ ચાલી શકે તેમ નથી. યુદ્ધમાં ન ઉતરવું અથવા તેમાંથી નાશી જવું તેનું નામ જ મૃત્યુ છે. અન્ય મનુષ્ય તમને સાહાસ્ય કરી શકે તેમ નથી. તેઓને પોતાનાં અનેક કાર્યો કરવાનાં હોય છે. તમને સહાયભૂત થવા જેટલો તેઓને અવકાશ નથી; માટે જ તમારે પોતાને જ લડવું પડશે. આ જીવન-સંગ્રામમાં વિજય પ્રાપ્તિનો એક જ ઉપાય છે અને તે આત્મનિર્ભરતા જ છે. જે જે વસ્તુઓની તમે તમારામાં ન્યૂનતા જુઓ તે પૂર્ણ કરવાને ઉદ્યોગ આદર. જે તમારી ઇચ્છા વાતચીત કરતા શીખવાની હોય તે તમે એવા કાર્યોમાં પ્રવૃત્ત બને કે જેમાં તમારે બલવાની જરૂર પડે. જે તમારૂં ચિત્ત શોકાતુર રહેતું હોય અને તમારો સમય આનંદમાં વ્યતીત ન થતો હોય તો તમારે હસમુખા મનુષ્યોની સંગતિ કરવી જોઈએ. આમ કરવામાં તમને ગમે તેટલું કષ્ટ વેઠવું પડે એમ હોય તો પણ તેની પરવા ન કરે. કદિ તમને તમારામાં કોઈ શક્તિનો અભાવ માલુમ પડે, પરંતુ એ શક્તિ કોઈ અન્ય મનુષ્યમાં જોવામાં આવતી હોય તે તમારે તેની ઈર્ષ્યા કદાપિ કરવી જોઈએ નહિ; તેમજ તે જોઈને તમારે મનમાં શોચ કર જોઈએ નહિ, પરંતુ તમારે તેને જોઈને પ્રસન્ન અને આનંદિત બનવું જોઈએ અને તેણે ઉક્ત શક્તિ જે માગથી મેળવી હોય તે માર્ગથી તમારે તે મેળવવા પ્રયત્ન કરો જોઈએ. તમે આત્મનિર્ભરતા ઉપર વિશ્વાસ રાખે અને તમારા પિતાનાં કર્તવ્યનું રૂડી રીતે પાલન કરવામાં પ્રવૃત્તિશીલ રહે. તે શક્તિ તમને અવશ્ય પ્રાપ્ત થશે જ. પ્રત્યેક વ્યક્તિએ જાણવું જોઈએ કે તે પોતે એક મહાન ખજાનો છે એટલું જ નહિ પણ એક મોટી ખાણ છે, જે અમૂલ્ય રત્નોથી ભરેલી છે. તે રત્નોને ઉદ્યોગ કરીને બહાર પ્રકાશમાં આણવાની જ માત્ર આવશ્યકતા છે; પરંતુ એટલું યાદ રાખવું જોઈએ કે હાથ પગ ચલાવ્યા વગર તેની પ્રાપ્તિ થઈ શકતી નથી. પ્રત્યેક મનુષ્યની ફરજ છે કે તેણે દિવાસાનુદિવસ પોતાની ઉન્નતિ કરવી જોઈએ અને કર્તવ્યપથમાં આગળ પ્રગતિમાન બનવું જોઈએ, પ્રાયે કરીને મનુષ્ય બીજાની સાહાટ્યથી આગળ વધવાને પ્રયત્ન કરે છે, પરંતુ તે ભૂલભરેલું છે. બીજાની સાહાસ્યથી આગળ વધવાને બદલે પોતે પોતાનાં બળથી જ આગળ વધવાને સતત પ્રયત્ન કરવા જોઈએ. આમ કરવાથી જ દિનપ્રતિદિન ઉન્નતિ થતી રહેશે અને સર્વ દિશામાં પ્રગતિ વધતી જશે. જગતમાં જે જે મનુષ્યોએ પોતાની ઉન્નતિ સાધી છે તે સહુએ એકજ વાત પર પૂર્ણ લક્ષ આપ્યું છે કે પ્રતિદિન પાછલા દિવસ કરતાં અધિક ઉન્નતિ થવી જોઈએ. “પરમ દિવસ કરતાં ગઈ કાલે હું કંઈક આગળ વધે છું અને કાલ કરતાં આજે વિશેષ આગળ વધી શકે છું For Private And Personal Use Only
SR No.531197
Book TitleAtmanand Prakash Pustak 017 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1919
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy