SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સફલતા પ્રાપ્ત કરવાના સર્વોત્તમ મા ૩૩૧ નથી. તમારે અવશ્ય આત્મવિકાસ કરવા પ્રયત્નશીલ થવુ જોઇએ, અને જો તમે તમારી એ ફરજમાં ભૂલ કરશે। તા:તમારા વિનિપાત થવા સંભવ છે. વ્યવહારિક ઉન્નતિ તમે ન સાધી હોય તેા તે સાધવા તમારૂ લક્ષ પ્રથમ દરજ્જે તેમાં લગાડા તા હરકત નથી, પણ તમે વ્યવહારિક રીતે સંપૂર્ણ સુખી । તે તમારે આત્મિક ઉન્નતિ સાધવી જોઈએ જ. આત્મિક ઉન્નતિ એ પ્રત્યેક મનુષ્યનું લક્ષ્યબિન્દુ હાવુ જોઇએ; કારણ કે તે વિના મનુષ્ય સ્થાયી શાંતિના અનુભવ કરી શકવા સમર્થ નથી. ,, સફલતા—વ્યવહારિક તેમજ આત્મિક અને પ્રકારની સફલતા પ્રાપ્ત કરવામાં સામાન્યત: એ વાત લક્ષમાં રાખવાની છે. તેમાં એક જ્ઞાન અને ખીજું કમ છે. કેવા પ્રકારની સફલતા પ્રાપ્ત કરવી છે તથા તે માટે કયા ઉદ્યોગ કરવાની જરૂર છે ઇત્યાદિ સારાસાર વિચાર શક્તિ એ જ્ઞાન છે. અને નિશ્ચિત કરેલા કાર્ય માં પોતાની સર્વોત્તમ શક્તિના ઉપયાગ કરવા એ ક છે. ગમે તેવા કાર્ય માં સફલતા પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની પ્રથમ આવશ્યકતા છે; કારણ કે જ્યાંસુધી તમે કયુ કાય કરવા ઇચ્છેછે અથવા તમારે કેવા પ્રકારની સલતા પ્રાપ્ત કરવી છે, એ તમારા જાણવામાં ન હોય ત્યાંસુધી તમારા સર્વ પ્રયત્ન નિષ્ફળ જાય છે. આપણા શાસ્ત્રકારોએ પણ “ પ્રથમ જ્ઞાન ને પછી રે ક્રિયા ” આદિ શબ્દોથી જ્ઞાનનું મહત્ત્વ દર્શાવેલુ છે, અને તેને વિચાર કરતાં તેમના એ ઉપદેશ સત્ય અને જનસમાજને અત્યંત ઉપયોગી છે. આપણા શાસ્ત્રકારોએ.એવા અનેક બહુમૂલ્ય સત્યે પ્રોાધેલાં છે; પરંતુ આપણે તેનું રહસ્ય પુમજવા માટે પ્રયત્ન કરતા નથી. કહેવાતી ઉચ્ચ કેળવણીના સંસર્ગથી આપણામાં મિ યા આડંબર બહુ વધી ગયા છે અને તેને લઈને આપણે આપણા શાસ્ત્રકારોએ ઉપદેશેલા સત્યાની અવગણના કરતા શીખ્યા છીએ. જીવનયાત્રાને આરભ કર્યા પૂર્વે કેવા પ્રકારની સફલતા પ્રાપ્ત કરવા જીવનને વ્યતીત કરવું છે, એ પ્રથમ દરજજે નિશ્ચિત કરવુ જોઇએ. જીવનના ઉદ્દેશ્ય અથવા તેનુ લક્ષ્યબિન્દુ નકી કર્યો પછી જ કા માં જોડાવાથી વાસ્તવિક સફલતા પ્રાપ્ત થઈ શકે છે, ઉદ્દેશની સ્થિરતા એ સફલતા શિખરનું પ્રથમ પગથીયુ' છે. ઉદ્દેશ ઉપર મનુષ્યનું ભવિષ્ય અવલ ીને રહેલું છે. અને તેથી સફલતા અથવા વિફલતાના આધાર લક્ષ્યસ્થાન ઉપર રહેલા છે. આ ઉપરથી તમે કેવા પ્રકારની સફલતા પ્રાપ્ત કરવા ઇચ્છે તેનુ સ`પૂર્ણ જ્ઞાનપ્રથમ પ્રાપ્ત કર્યા પછી તેની પૂર્તિ માટે પરિશ્રમ કરાતા તમે સહેજમાં સલમનારથ થઇ શકશેા. સફલતા પ્રાપ્ત કરવામાં જેમ જ્ઞાનની અગત્ય છે તેમ ફની પણ તેટલી જ અગત્ય છે. કાર્ય માં સંકટ અથવા વિઘ્ન આવે તેા નિરાશ જરૂ નથી. પણ એક સરખી શ્રદ્ધાપૂર્વક કાર્યમાં જોડાયલા રહેશે તે થવાની For Private And Personal Use Only
SR No.531168
Book TitleAtmanand Prakash Pustak 014 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1916
Total Pages49
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy