SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન સંદર્ય ૩૧૩ બાળકને તેના બેરાકમાં પુરતું ફેંફેઈટ મળતું નથી તે તેના અસ્થિનું બંધારણ મજબૂત થઈ શકતું નથી, જેને પરિણામે શરીરને બાંધે નબળે બને છે અને શરીરના સાંધા શિથિલ થઈ જાય છે. જે મગજ અને મજજાતંતુના પિષક ફોસ્ફટીક ત ઓછા પ્રમાણમાં હોય છે તે તેથી આખા બંધારણપર અસર થાય છે. મગજ અને મજજાતંતુઓ અપૂર્ણ, અશક્ત અને અવિકસિત રહે છે. જેવી રીતે શરીર મજબૂત, સુંદર અને નિરોગી બનાવવાને બાળકને ભિન્ન ભિન્ન પ્રકારને શારીરિક ખેરાક આપવાની જરૂર છે તેવી જ રીતે મનને એગ્ય પોષણ આપી સબળ, નિરામય અને ચપળ બનાવવાને માનસિક રાકના વૈવિધ્યની પ્રત્યેક માણસને આવશ્યક્તા છે. દ્રવ્ય પ્રાપ્ત કરવાના આપણા દેશના આશ્ચર્યકારક સાધનેએ આપણા લોકેની લોભવૃત્તિને એટલી બધી ઉત્તેજીત કરી છે કે ઉચ્ચતર શક્તિઓને ભેગે આપણી ભૌતિક શક્તિઓને અતિ વિકાસ થઈ જશે એ ભય રહે છે. શારીરિક અને માનસિક બળને જ માત્ર ખીલવવું એ બસ નથી. જે કુદરત અને કળાના સૌંદર્યને પારખવાની શક્તિને પિષણ આપવામાં ન આવે તો આપણું જીવન પુષ્પ અને પક્ષિ વગરના, મધુર સુગંધ અને નાદ વગરના પ્રદેશ જેવું શુષ્ક થઈ જાય તેમાં કંઈ આશ્ચર્ય નથી. ધારો કે શરીર સબળ હોય તો પણ જે સંદર્યથી તેની સબળતા શોભે અને તેને આકર્ષક બનાવે તેની ખામી રહેશે. આખું જગત્ રમ્યતાથી ભરપૂર છે, સંગીતથી પૂર્ણ છે, અને પૃથ્વી અને સમુદ્રનું સંદર્ય મેર પ્રસરી રહેલું છે. આ સઘળું નકામું નથી. અને આ દિ ની વિપુલતાના દષ્ટાંતરૂપ મનુષ્ય પોતેજ છે. જે તમારે મનુષ્યત્વ શબ્દના વિશાળ અર્થમાં મનુષ્યત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે માત્ર એક જ શક્તિને વિકાસ કરી અન્ય શક્તિઓને અવિકસિત રાખવાથી સંતોષ માનવાને નથી, કેમકે કઈ પણ પ્રકારને ઐહિક લાભ થવાથી જીવનની સ્વાથી અને સ્થળ બાજુ જ વિકાસ પામે છે. જે માણસમાં સેંદર્યને પારખવાની શકિત નથી, જે માણસ કઈ ભવ્ય ચિત્રથી, રમણીય સૂર્યાસ્તથી અથવા કુદરતના કંઈ સેંદર્યથી પુલક્તિ અને પ્રકૃદ્ધ થતું નથી તેનામાં કંઈપણ ખામી હોવી જોઈએ. જંગલી લેકેમાં સેંદર્યની ગુણગ્રહણ શક્તિ બિલકુલ હોતી નથી. તેઓ તે માત્ર પશુવૃત્તિ અને વિકારેનેજ અધીન હોય છે, પરંતુ જેમ જેમ સુધારે પ્રગતિ કરે છે તેમ તેમ લોભવૃત્તિ વધે છે, જરૂરીયાત વધે છે અને ઉચ્ચતર શક્તિઓને આવિર્ભાવ થાય છે તે એટલે સુધી કે સંદર્યને માટે પ્રેમ અને ઈચ્છા ઘણું સરસ રીતે વિકાસ પામે છે, જે આપણને શરીર ઉપર, ગ્રહમાં અને આપણી આસપાસ For Private And Personal Use Only
SR No.531168
Book TitleAtmanand Prakash Pustak 014 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1916
Total Pages49
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy