________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાનદ પ્રકાશ. stesterte to tetor titeritetit testarteretetetstestertestretesters were tretietestetstesterte પુરૂષમાં આવે છે. સર્પને દાંતમાં વિષ હોય છે, મક્ષિકાને મસ્તકમાં વિષ હોય છે. વીંછીને પૂછમાં અને ખલ પુરૂષને સર્વ અંગમાં વિષ હેય છે. તેવા ખેલ પુરૂષનું મુખ કમલ પત્રના જેવું લાગે છે, અને વાણું ચંદનના જેવી શીતળ લાગે છે. તથાપિ તેના હૃદયમાં ઈર્ષ્યા
અને ક્રોધની જવાલા પ્રજવલિત થયા કરે છે. એ ખલ પુરૂષ પોતાના પ્રાણ ત્યાગ કરીને પણ બીજાના હિતમાં વિન્ન કરે છે. જેવી રીતે કે ચાસમાં આવેલી મક્ષિકા (માખી) ભજન કરનારને વમન કરાવે છે. એ લેકોની વિદ્યા પિશુનતા છે, બીજાને દોષ આપવા એ તેમનું આભૂષણ છે. અને બીજાને દુઃખ આપવું, એ તેમનું સુખ છે. શ્રાવકે ! તેવા ખલ પુરૂષથી તમારે દૂર રહેવું, કદિપણ તેઓને સંગ રાખ નહીં. એક મહાન નીતિકાર તે વિશે નીચેનો શ્લેક આપે છે. –
पुष्पमालानुसंगेन सूत्रं शिरसि धार्यते ।
मत्कुणानां च संयोगात् खट्टा दंडेन ताडयते ॥ १ ॥
કોઈપણ માણસ સૂત્રને મસ્તક ઉપર ધારણ કરતું નથી, પણ પુષ્પની માલાના સંગથી તે સૂવ મસ્તક ઉપર ધારણ કરવામાં આવે છે એ સત્સંગને પ્રભાવ છે. સૂત્રને પુષ્પ માલાને સંગ થવાથી તે મસ્તક ઉપર ધારણ કરવામાં આવે છે. સુવાનો ખાટલે કાંઈ અપરાધ કરતા નથી પણ માંકડના સંગથી તેને લેકે તાડન કરે છે. તેવી રીતે દુર્જનના સંગથી બીજાને અવશ્ય હાનિ થાય છે. આજ કાલ એવા ઘણાં દુર્જને ઉત્પન્ન થાય છે. કેટલાએક તો એવા દુર્જન ને હેાય છે કે, તેઓ ઉપરથી સજજાનના જેવો આડંબર રાખે અને
For Private And Personal Use Only