SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Seminar at Ahmedabad, January 8,2005 JAIN CENTER OF AMERICA NEW YORK અષ્ટાપદ મહાતીર્થનું રહસ્ય ઉકેલવા વ્યાપક સંશોધનનીજરૂર | માન્યતા છે. અમદાવાદ, શનિવાર છે અને શક્ય છે કે અષ્ટાપદ તીર્થ અહીં હોય. ઉલ્લેખનીય છે કે નંદી એ તીર્થંકર ઋષભદેવનું લાંછન છે.પોતાની માન્યતા અને શોધને આગળ ચલાવતા તેમણે ૧૯૯૬ અને ૧૯૯૮માં ફરીથી કૈલાસની મુલાકાત લીધી જેમાં તેમણે બીજા યાત્રીઓથી અલગ થઇને એક ગાઇડ લઇ સંશોધન કર્યું. આ માટે તેમણે લેખિત બોન્ડ પણ લખી આપવો પડ્યો. શ્રી આદી તીર્થંકર ઋષભદેવના પુત્ર ચક્રવર્તી ભરતે અષ્ટાપદ સ્થાપ્યું હતું જૈનોના ત્રેવીસ તીર્થંકરો જ્યાં નિર્વાણ | પામ્યા તે પર્વતો ગિરનાર, પાવાપુરી, સમેતશિખર અને ચંપાપુરીનું ઠેકાણું તો મળે છે અને આ તીર્થો જૈનોની યાત્રા અને ભક્તિથી સભર પણ રહે છે. પરંતુ સૌથી પહેલા તીર્થંકર આદિનાથજી ઋષભદેવ નિર્વાણ પામ્યા હતા તે અષ્ટાપદ તીર્થ ક્યાં છે તે આજે પણ એક કોયડો છે. પ્રાચીન ગ્રંથોમાં આધારભૂત રીતે અષ્ટાપદ તીર્થનો ઉલ્લેખ છે પરંતુ આ તીર્થ ક્યાં છે તે સ્પષ્ટ રીતે જાણવા મળી શક્યું નથી. અમદાવાદમાં આજે આ વિષય પર વિમર્શ માટે સેમીનાર યોજવામાં આવ્યો હતો. અષ્ટાપદ તીર્થ આદિ તીર્થંકર શ્રી ઋષભદેવજીના પુત્ર ચક્રવર્તી ભરતે સ્થાપ્યું હતું.તેમણે અહીં રત્નજડિત મહેલ બાંધ્યો હતો જેમાં જૈન તીર્થંકરોની ૨૪ મૂર્તિઓ હતી. આજે યોજાયેલા પરિસંવાદમાં ડો. લતા બોથરાએ તેમના સંશોધનના આધારે એવી માહિતી આપી હતી કે પ્રાચીન સુમેરુ મંદિરો અને અષ્ટાપદ તીર્થના વર્ણન વચ્ચે સામ્યતા જ્યાં | જોવા મળે છે. રાજસ્થાનના ભાજપના જૈન સંસદસભ્ય શ્રી પુષ્પ જૈને કહ્યું હતું કે પોતે અષ્ટાપદના સંશોધનકામમાં તમામ મદદ કરવા તૈયાર છે.ભારત ચીન મૈત્રી સંઘનો ઉપયોગ માત્ર વ્યાપાર વિષયક વાતો માટે નહીં પણ આવી સાંસ્કૃતિક બાબતો માટે પણ ગ્રંથોમાંથી નીકળતી કડી મુજબ અષ્ટાપદ તીર્થ હાલના તિબેટના કૈલાસ માનસરોવર વિસ્તારમાં હોવાનું મનાય છે. ભરત હંસરાજ શાહ નામના ભાઇએ અષ્ટાપદ તીર્થ શોધવા | શાહે આ વિસ્તારોના થાય છે વેમણે આžયોલોજી વિભાગને સંશોધકોની ટીમ રવાના થાય તો પોતે પણ | તેમાં જોડાવાની તેમજ ચીન સરકાર સાથે વાત કરવા માટે સેતુરૂપ બનવાની તૈયારી બતાવી હતી. જૈન સેન્ટર ઓફ અમેરિકા યોજિત આ પરિસંવાદમાં અષ્ટાપદ તીર્થ વિશે માટે પાછલા વર્ષોમાં ત્રણ વખત કૈલાસ માનસરોવરની મુલાકાત લીધી છે. આજે પરિસંવાદમાં તેમણે તેમના લીધેલા સંભવિત અષ્ટાપદ તીર્થના ફોટોગ્રાફ બતાવ્યા હતા. તેમનું કહેવું છે કે ૧૯૯૩માં જ્યારે તેઓ સૌ પ્રથમ વખત કૈલાસ યાત્રાએ ગયા ત્યારે તેમને અપાયેલા સરકારી પુસ્તકમાં અષ્ટાપદનો ઉલ્લેખ હતો. તેમણે કૈલાસ યાત્રા દરમિયાન નંદી પર્વત જોયો અને તેમને લાગ્યું કે આ કુદરતી નહીં પરંતુ માનવસર્જિત પર્વત બતાવ્યા તો વિભાગ તરફથી એમ કહેવામાં આવ્યું કે આ ફોટામાંના પર્વત કુદરતી રીતે રચાયેલા છે. પરંતુ શ્રી શાહનું કહેવું છે કે જે રીતે ચીલીના પીરામીડ કુદરતી માનવામાં આવતા હતા પરંતુ માનવસર્જિત હોવાનું પછીથી સિદ્ધ થયું છે તેવુંજ આ કિસ્સામાં બનવાજોગ છે. તેમનું કહેવું છે કે અષ્ટાપદના સ્થળે ઋષભદેવના સો પુત્રો અને દસ હજાર અનુયાયીઓની હાજરી હતી. આ એક વિરાટ તીર્થ ક્ષેત્ર હતું. અહીં બરફમાં હાલ ૭૨ જિનાલયો દટાયેલા પડ્યા હોવાની એક | વ્યાપક સંશોધનને પ્રોત્સાહન આપવાનું, આ તીર્થ અંગે શાસ્ત્રાધારિત સંશોધનોને પુસ્તકરૂપે પ્રકાશિત કરવાનું, મે ૨૦૦૬ના અખાત્રીજમાં ન્યૂયોર્કમાં અષ્ટાપદજી મહાતીર્થની પ્રતિષ્ઠા કરવાનું અને અષ્ટાપદ તીર્થ વિશે જૈનોમાં જાગૃતિ આણવાનું નક્કી કરવામાં આવ્યું હતું. । | તિબેટના બરફમાં ૭૨ જિનાલયો દટાયેલા હોવાનું મનાય છે પ્રાચીન સુમેરુ મંદિરો અષ્ટાપદ તીર્થના વર્ણન સાથે મેળ ધરાવે છે 106
SR No.528692
Book TitleJain Center of America NY 2005 06 Pratishtha
Original Sutra AuthorN/A
AuthorJain Center of America NY
PublisherUSA Jain Center America NY
Publication Year2005
Total Pages190
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center NY New York, & USA
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy