SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Article - Hemlata Shah|| શ્રી સદ્ગુરૂ નાં ચરણોમાં આદર સહિત વંદન ગુરૂ ચિંતન દોષ વર્જન શ્રી વીતરાગ પરમાત્મા અનંતગુનો નાં ભંપાર છે આપણે સૌ જીવો છદમસ્થ અવસ્થામાં છે, તેથી આપણામાં ગુણ અને દોષ બને રહેલા છે આત્માને પરમાત્મા બનાવવા માટે ગુણોની આવશ્યકતા અને દોષ બનેં રહેલા છે આત્માને પરમાત્મા બનાવવા માટે ગુણોની આવશ્યકતા અને દોષોનો ત્યાગ જરૂરી છે તે માટે આપણ આપણા ઘરથીજ શરૂઆત કરવાનીછે આપણી નજીકનાં સ્વજનો, કુટુંબીજનો, મિત્રો, પડોશીઓ સાથે નો આપણો વ્યવહાર કલેશરહિત હશે તોજ શાંતિનો અનુભવ થાય છે આપણા સૌના અનુભવની વાત છે કેજો કોઇ આપણી પ્રશંસા કરે તો તેમના માટે આપણને સારાભાવ થાય છે. આપણા સૌના અનુભવની વાત છે કે જો કોઇ આપણી પ્રશંસા કરે તો તેમના માટે આપણાને સારાભાવ થાય છે. તે આપણને પ્રિય લાગે છે. જ્યારે કોઇ આપણી ભૂલ બતાવે કે નિંદા કરે તો તેમને માટે આપણને દુર્ભાવ થાય છે. તે આપણને અપ્રિય લાગે છે જો ગુણ તરફ દષ્ટિ હશે તો સ્વ અને પર બને ને લાભ થાય છે જયારે દોષ દષ્ટિ હશે તો સ્વ અને પર બનેનું અહિત થાય છે તેના મૂળમાં વિચારીશું તો ખ્યાલ આવશે કે જયારે આપણે કોઇના ગુણ કે દોષથી પ્રભાવિત થાય છે અને તેની અસર આપણા માનસ પટ પર થતાં તે પ્રમાણે આપણું વર્તન થાય છે ગુણ દષ્ટિ થી આપણામાં ગુનોનો વિકાસ થાય છે દોષ દષ્ટિથી આપણામાં દોષોનો વિકાસ થાય છે તેથી સ્વ પરના હિતને અનુલક્ષીને ગુણનું ચિંતન અને દોષોનો ત્યાગ કરવો. દોષ જોવાજ હોયતો તે આપણામાં જોવા જેથી આપણે તેને દુર કરવા પુરુષાર્થ કરી શકીએ. સામાન્ય રીતે આપણામાં બે દષ્ટિ હોય છે ૧ ઓધષ્ટિ ૨ ચોગદષ્ટિ ઔધદષ્ટિ ને કારણે રાગદ્વેષ થાય છે મારા તારાનાં ભાવ થાય છે. જીવ આગ્રણી બની જાય છે ભૌતિક પદાર્થોની ઇચ્છા પાય છે તે મળે તો રાગ થાય. ન મળે તો છેપ, ક્રોધ થાય છે જયારે યોગદષ્ટિથી જીવને રાગદ્વેષના ભાવ થતા નથી વિવેક દષ્ટિ કેળવાય છે. જીવ આગ્રહી નથી બનતો ગુણ તરફ દષ્ટિ રહે છે તેથી યોગદષ્ટિ કેળવવા જેવી છે ગુણો અનંત છે વ્યવહારીક રીતે બે પ્રકાર છે. ૧. લૌકિકગુનો ૨. લોકોટીરગુનો લૌકિ ગુણ જયારે આપણે લોકો સાથે વ્યવહાર કરીએ ત્યારે જે ઉચિત હોય તેનો ખ્યાલ રાખીને વ્યવ્હાર કરીએ, વાણી, વર્તન, કરીએ તેવા ગુનો જેમાં ક્ષા, દાન, નીતિ, સદાચાર, નમ્રતા, લજ્જા, કુલીનતા, દક્ષિણ્યતા, સંતોષ આદિ છે આ ગુણીથી જીવનો આ ભવ સુધરે છે તેવા જીવો જીવે ત્યાં સુધી લોકો તેમના આ ગુણોની પ્રશંસા કરે છે લૌકિકગુણો થી લોકોટીર ગુનોનો વિકાસ થાય છે અને લોકોત્તર ગુણો થી મનન, ચિંતન, ધ્યાન આદિ આધ્યાત્મિક વિકાસ થાય છે. લોકોત્તરગુણમાં વિનય, વિવેક, કંપાયમંદતા, સમતા, સરળતા, સ્વખત ત્યાગ, વૈરાગ્ય, સાક્ષીભાષ, અપપરિગ્રહપણુ, વૈયાવચ્ચ, દાન, ઉદારતા, ઉદાસીન પણું અનાસકિતપણું વિગેરે આવે છે આ ગુનો જે વ્યકિતમાં હોય તેનો આત્માજ તેનો સાક્ષી હોય છે કેટલીકવાર બહારનું વર્તન આ ગુણો વાળું હોય પણ અંદર થી દંભ રાખીને વર્તન કરેતો ખ્યાલ ન પણ આવે. તેથી આપણે જાગૃત રહેવું કે ખારામાં દંભ, કપટ માયાતો નથીને? દાન ગુણ લૌકિક અને લોકોત્તર ગુણોમાં આવે છે દાનના પાંચ પ્રકાર છે જેમાં અભ્યાન અને સુપાત્રદાન એ લોકોત્તર ગુણમાં આવે છે જયારે ઉચિતદાન, અનુકંપાદાન અને કીર્તિદાન એ લોકિક ગુણોમાં આવે છે વૈયાવચ્ચનો ગુણ એ અપ્રતિપાતિ છે એટલેકે એકવાર જો કેળવાયો હોયતો ભવાંતરમાં પણ જીવ તેના સંસ્કાર સાથે લઇ જાય છે અને એવા જીવો ઘોડા ભવોમાં મુકિત પામે છે જૈન શાસ્ત્રમાં નંદિપૈણમુનિનું વૈયાવચ્ચ જાણીતુ છે લોકોત્તર ગુણો થી આધ્યાત્મિક વિકાસ થાય છે ગુણસ્થાનકની જાણકારી, તેનો અભ્યાસ કરી ગુણશ્રેણિએ ચઢવા પુરુષાર્થ કરવા માટે ગુણાનુરાગીપણુ અત્યંત જરૂરી છે Jainism: The Global Impact 219
SR No.527536
Book TitleJAINA Convention 2013 07 Detroit MI
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2013
Total Pages268
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy