SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જૈત ૫ સ્થાપત્ય વિશેષાંક ૬ જૈત તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેíક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ્ જૈન તીર્થ વંદના અને શિલ્પ પૃષ્ટ ૬૨ પ્રબુદ્ધ જીવન ♦ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ૨ ઑક્ટોબર ૨૦૧૪ પ્રતિમાઓ કોતરવામાં આવેલી છે. આ ચાર લગ્નમંડપની ચાર ચોરી જેવી લાગતી હોવાથી આ જિનાલયને ચોરીવાળું દેરાસર પણ કહેવામાં આવે છે. આ ચૌમુખજીના દેરાસરથી આગળ લગભગ ૭૦-૮૦પગથિયાં ચઢતાં ડાબા હાથે સહસાવન શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા કેવળજ્ઞાન કલ્યાણક ભૂમિ તરફ જવાનો માર્ગ આવે છે. અને જમણી બાજુ ૧૫-૨૦ પગથિયાં ચઢતાં ગૌમુખીગંગા નામનું સ્થાન આવે (VII) ગૌમુખી ગંગા આ સ્થાનમાં હિન્દુ સંપ્રદાયના દેવ-દેવીઓની પ્રતિમાની દેરીઓ આવેલી છે. ત્યાંથી જમણી બાજુમાં નીચાણામાં જવા માટેના પગથિયાં ઊતરીને ડાબી બાજુ આગળ જતાં ચોવીસ તીર્થંકર પરમાત્માની ચરણપાદુકા એક ગોખલામાં સ્થાપન કરવામાં આવેલી છે. આ ગૌમુખીગંગાના સ્થાનનું સંચાલન હાલ હિંદુ સંપ્રદાયના સંન્યાસીઓ દ્વારા કરવામાં આવે છે. જ્યારે આ ચરણપાદુકાની પૂજા વગેરે શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી દ્વારા જ કરવામાં આવે છે. (VIII) રહનેમિનું જિનાલય ગૌમુખી ગંગાના સ્થાનથી લગભગ ૩૫૦ પગથિયાં ઉપર ચઢતાં જમણી બાજુ આ રહનેમિનું જિનાલય આવે છે. આ જિનાલયમાં મૂળનાયક તરીકે સિદ્ધાત્મા શ્રી રહનૈમિની શ્યામવર્ણીય પ્રતિમા બિરાજમાન કરવામાં આવેલ છે. ૬-૭ વર્ષ પૂર્વે આ પ્રતિમાનો લેપ કરવામાં આવેલ છે. ભારતભરમાં પ્રાયઃ એકમાત્ર જિનાલય હશે ત્યાં અરિહંત પરમાત્મા ન હોવા છતાં સિદ્ધાત્મા શ્રી નેમિની પ્રતિમા મૂળનાયક તરીકે સ્થાપન થયેલી હોય! શ્રી રહનેમિ બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પરમાત્માના નાના ભાઈ હતા. જેમણે દીક્ષા લઈને ગિરનારની પવિત્ર ભૂમિમાં સંયમારાધના કરી અષ્ટકર્મનો ક્ષય કરી સહસાવનમાં કેવળજ્ઞાન અને મોક્ષપદની પ્રાપ્તિ કરી. આ રહનેમિજીના જિનાલયથી આગળ સાચાકાકાની જગ્યાના કઠણ ચઢાવે થઈને કુલ લગભગ ૫૩૫ પગથિયાં ચઢતાં બાજ મંદિર આવે છે. (૮) અંબાજીની ટૂંક મેષાંક વિ. સં. ૧૫૨૪ની આ પ્રશસ્તિ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે શામલ નામના શાહુકારે સદ્ભાવનાપૂર્વક શ્રી ગિરનાર પર્વત ઉપર શ્રી અંબિકા નામની મહાદેવીનું જિર્ણ થયેલ મોટું ચૈત્ય નવેસરથી બંધાવ્યું હતું. કાળક્રમે આજે હિંદુઓ દ્વારા વૈદિક ધર્મની પદ્ધતિથી તેના દર્શન-પૂજન આદિ થાય છે. અને તેઓના સંન્યાસીઓ દ્વારા જ તે મંદિરની દેખરેખ રખાય છે. વસ્તુપાલના પ્રશસ્તિ લેખો તેમજ સમકાલીન, સમીપકાલીન અને ઉત્તરકાલીન જૈન લેખો અનુસાર અંબાજી પાછળનાં ત્રણ શિખરો ગોરખનાથ, ઓઘડનાથ અને ગુરુ દત્તાત્રયના અસલી નામો ‘અવોકન', ‘શાંબ’ અને ‘પ્રદ્યુમ્ન’ હતાં અને જિનર્સન કૃત હરિવંશ પુરાણમાં પણ અંબાજા સહિત આ ત્રણે શિખરો પર પણ મંત્રીશ્વર વસ્તુપાલે શ્રી નેમિનાથ ભગવાનની દેવકુલિકાઓ કરાવી હતી, તેવું વિ. સં. ૧૨ ૮૮ની છ-શિલા પ્રશસ્તિઓમાં કહ્યું છે. અંબાજીની ટૂંકી લગભગ ૧૦૦ પગથિયાં ઉતરીને પુનઃ લગભગ ૩૦૦ પગથિયાં ચઢતાં ગોરખનાથની ટૂંક આવે છે. (૯) ગોરખનાથની ટૂંક આ ગોરખનાથની ટૂંક ઉ૫૨ શ્રી નેમિનાથ પરમાત્માના વિ. સં. ૧૯૨૭ વૈશાખ સુદ ૩ શનિવારના લેખવાળાં પગલાં છે. તે બાબુ ધનપતસિંહજી પ્રતાપસિંહજીએ સ્થાપિત કરેલાં છે. કેટલાક આ પગલાં પ્રદ્યુમ્નના હોવાનું કહે છે. આ ટ્રેક પર હાલ નાથ સંપ્રદાયના સંન્યાસીઓનો કબજો છે. ગોરખનાથની ટ્રંકથી આગળ ૮૦૦ પગથિયાં ઉતરતાં પગથિયાં વગરના વિકટ માર્ગેચોથી ટૂંકે જવાય છે. (૧૦) ઓઘડ ટૂંક (ચોથી ટૂંક) આ ઓઘડ ટ્રેક ઉપર પહોંચવા માટે કોઈ પગથિયાં નથી. તેથી પથ્થ૨ ૫૨ આડા-અવળાં ચઢીને ઉપર જવાય છે. આ માર્ગ ખૂબ જ વિકટ હોવાથી કોઈ શ્રદ્ધાવાન સાહસિક જ આ શિખરને સર કરવાનો પ્રયત્ન કરે છે. આ ટૂંક ઉપરની એક મોટી કાળી શિલામાં શ્રી નૈમિનાથની પ્રતિમા તથા બીજી શિલા ઉપર પગલાં કોતરવામાં આવેલાં છે. જેમાં વિ.સ. ૧૨૪૪ના પ્રતિષ્ઠા કર્યાનો લેખ જોવામાં આવતો હતો. a lJ pie is3p jelp 96 થાપત્ય વિશેષાંક વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈતત આ અંબાજીની ટૂંકમાં અંબિકાનું મંદિર આવેલું છે. દામોદરકુંડ પાસેનું દાોદરનું મંદિર, ગિરનાર પરનું શ્રી નેમિનાથ ભગવાન તથા અંબાજીનું મંદિર-શ્રીસંપ્રતિ મહારાજાએ બંધાવ્યાનું કહેવાય છે. આ અંબાજી મંદિરમાં શ્રી નેમિનાથ ભગવાનના અધિષ્ઠાયિકા અંબિકાદેવીની પ્રતિમા પધરાવવામાં આવી હતી. કલ્પસૂત્રની એક સુવર્ણાક્ષરી પ્રતને અંતે ગ્રંથ પ્રશસ્તિમાં નીચે પ્રમાણે લખાણ છેઃ श्री अम्बिका महादेव्या, उज्जयन्ताचलोपरी । ચોથી ટૂંકથી સીધા બારોબાર પાંચમી ટૂંકે જવામાં જાનનું જોખમ થાય તેવો વિકટ રસ્તો છે. તેથી ચોથી ટૂંકથી નીચે ઉતરી આગળ વધતાં ડાબા હાથ તરફની સીડીથી લગભગ ૬૯૦ પગથિયાં ઉપર ચઢતાં પાંચમી ટ્રેકનું શિખર આવે છે. આ પગથિયાંનો ચઢાવ ઘણો કઠિન છે. (૧૧) મોક્ષકલ્યાણક ટૂંક (પાંચમી ટૂંક) શ્રી નેમિનાથ પ્રભુ પાંચમી ટુંકે નિર્વાણ પામ્યા છે. તેમના તથા શ્રી વરદત્ત ગણધરના અહીં પગલાં છે. આજુબાજુ ગંભીર અને રમ્ય જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક → જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક પ્રાચાવ: રિત: પ્રીન સામોન સુપાવત:।।છું ||
SR No.526075
Book TitlePrabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2014
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy