SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક આજ મહારા પ્રભુજી સ્ફામું જુઓ ઘડૉ. અભય દોશી [ ડૉ. અભય દોશીએ ગુજરાતી વિષયમાં એમ.એ. પ્રથમ વર્ગમાં પાસ કરી ‘જૈન ચોવીશી સાહિત્ય’ વિષય ૫૨ સંશોધન કરી મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. મુંબઈની મીઠીબાઇ કોલેજ (વિલેપારલા)માં ઘણાં વર્ષો પ્રાધ્યાપક તરીકે કામગીરી બજાવી, વર્તમાનમાં મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં ‘રીડર’ તરીકે કાર્યરત છે. તેઓ જ્ઞાનસત્ર, જૈન સાહિત્ય સમારોહ તથા વિવિધ પરિસંવાદોમાં અભ્યાસપૂર્ણ નિબંધો રજૂ કરે છે. તેઓ પીએચ.ડી.ના માર્ગદર્શક છે.] શ્રી મહાવીરસ્વામી સ્તવન આજ મ્હારા પ્રભુજી ! સાહમું રે જુવો સેવક કહીને બોલાવો આજ મ્હારા પ્રભુજી! મહિ૨ ક૨ીરે સેવક સાહમું નિહાળો કરુણાસાય૨ મહિર કરીને, અતિશય સુખ ભૂપાળો. આજ...૧. ભગતવછલ શણગતપંજર ત્રિભુવનનાથ દયાળો, મૈત્રીભાવ અનંત વહે અનિશ, જીવ સયલ પ્રતિપાળો. આજ...૨ ત્રિભુવન દીપક જીપક અરિંગણ, અવિઘટ જ્યોતિ-પ્રકાશી, મહાગોપ નિર્યામક કહીયે, અનુભવ રસ સુવિલાસી. આજ...૩ મહામાહણ મહાસારથીં અવિતથ અપનો બિરુદ સંભાળો બાહ્ય અત્યંતર અરિગણ જોરે વ્યસન વિઘન ભય ટાળો. આજ...૪ વાદી તમહર તણિ સરિખા અનેક બિરુદના ધારી જીત્યા પ્રતિવાદી નિજ મતથી, સકલ જ્ઞાયક યશકારી. આજ...૫ યજ્ઞકારક ચઉ વેદના ધારક, જીવાદિ સત્તા ન ધારે, તે તુજ દિનકર નિરખાથી, મિથ્યા-તિમિ૨ ૫૨જાલે. આજ...૬ ઈલિકા ભમરી ન્યાયે જિનેસર, આપ સમાન તેં કીધા, ૪૫ વિવેચન કવિએ રચેલ ચોવીશીનું આ અંતિમ-સ્તવન છે. ચોવીશીની એક અખંડ કૃતિરૂપે રચના જોતાં અનેક કવિઓએ સ્તવનની ફૂલમાળાની ઇમ અનેક યશ ત્રિશલાનંદન, ત્રિભુવન માંહે પ્રસિદ્ધા. આજ...૭ મુજ મન ગિરિકંદરમાં વસિયો, વીર ૫૨મ જિન સિંહ, હવે કુમત-માતંગના ગણથી, ત્રિવિધ યોગે મિટી બીહ. આજ...૮ અતિમન રાગે શુભ ઉપયોગે, ગાતાં જિન જગદીશ, સૌભાગ્યસૂરિ શિષ્ય લક્ષ્મીસૂરિ લહે, પ્રતિદિન સયલ જગીસ. આજ...૯ ઘવિજય લક્ષ્મીસૂરિ પ્રભુના ઉપકારદર્શનના આનંદની અનુભૂતિ ગાતું સ્તવન છે. અઘરા શબ્દોના અર્થ: સહામું=સામું, મહિ૨=કૃપા, કરુણાસાયર=દયાના સાગર, અરિંગણ= દુશ્મન, મહામાહણ=મોટો માણસ, તમહ૨=તમારા, તરશિ= તણખલા, ચઉ=ચાર, પરજાલે=દૂર રહે, ઇલિકા=ઇયળ. કવિ પરિચય આબુ પાસેના પાલડી ગામમાં પો૨વાડ વણિક કુટુંબના હેમરાજ અને આણંદબાઈના ઘરે સં. ૧૭૯૭માં એક તેજસ્વી પુત્રનો જન્મ થયો. તેમણે આ બાળકનું નામ સુરચંદ રાખ્યું. ૧૭ વર્ષની વયે તપાગચ્છની આણસુર શાખાના આચાર્ય વિજયસૌભાગ્યસૂરિ પાસે તેમણે દીક્ષા ધારણ કરી. આ યુવાન સાધુની વિદ્વતા અને યોગ્યતા જોઈ એ જ વર્ષે તેમને આચાય પદવી અપાઈ અને આચાર્યપદ બાદ ‘વિજયલક્ષ્મીસૂરિ’ નામથી ઓળખાયા. વિજયલક્ષ્મીસૂરિએ ‘ઉપદેશપ્રસાદ’ નામક સંસ્કૃતમાં વિશાળ ગ્રંથ રચ્યો. ગુજરાતીમાં ‘છ અઠ્ઠાઈનું સ્તવન’ અને ‘જ્ઞાનપંચમી દેવવંદન’, ‘ચોવીશી' આદિ કૃતિઓ રચી. આ સર્વ રચનાઓમાં કવિની તત્ત્વની ઊંડી સમજણ અને ૫૨માત્મભક્તિની અવિરત ધારા વહે છે. પૂર્ણાહુતિનો આનંદ અંતિમ સ્તવનમાં ગૂંથ્યો છે, તો ક્યાંક પ્રાર્થનાનો સૂર ગૂંથાયો છે, તો ક્યાંક ૫રમાત્માની સાથે સંવાદ આલેખાય છે. મોટે ભાગે કવિઓ છેલ્લાં સ્તવનમાં પૂર્ણાહુતિના આનંદની અભિવ્યક્તિ
SR No.526055
Book TitlePrabuddha Jivan 2013 04
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy