SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ८ પ્રબુદ્ધ જીવન અંતઃકરણ-પૂર્વકનું આચરણ. જીવાતા જતા જીવનનું, પ્રયોગશીલ જીવનનું સહજ રીતે નીતરેલું નવનીત એટલે પંચ મહાવ્રત. અંતઃકરણનો અવાજ છે. બાળપણમાં જ એમને સત્યની પ્રાપ્તિ કરાવે છે. ઘરનું પાયખાનું સાફ કરવા આવનાર ઉકાને અડકાય નહિ એમ માતાએ કહેલું. આજ્ઞાંકિત અને વિવેકી એવા મોહને તો માતાની આજ્ઞાનું પાલન જ કરવાનું હોય. પણ ના! માતાની આજ્ઞા કરતાં અંતરાત્માના અવાજને સર્વોપરિ ગણવાની તેમની સમજ છેક બાળપદાથી જ સાબદી હતી. કોઈ મનુષ્યને નીચો ગાવા માટે તેમનું હૃદય તૈયાર ન હતું. એક મનુષ્ય બીજા મનુષ્યને પોતાનાથી નીચો ગણે વાત તેમના હૃદયે ત્યારથી જ અવગણી. પરિણામે અસ્પૃશ્યતા નિવારણ સુધી આ ભાવના વિસ્તરી. આ અસ્પૃશ્યતા નિવારણ તો એકાદશ વ્રતમાંનું એક મૂલ્યવાન વ્રત. પોતાને સનાતની હિન્દુ ગણવામાં ગૌરવ અનુભવનાર મહાત્માએ એમ પણ કહ્યું કે, 'જો કોઈ પંડિત મારી આગળ એમ સિદ્ધ કરી આપે કે વેદમાં અસ્પૃશ્યતા ઉપદેશાઈ છે, તો હું વેદોનો ત્યાગ કરીશ પણ અસ્પૃશ્યતાને નહીં માનું – ગાંધીજી પૂર્વે કે પછી કોઈ શંકરાચાર્યએ આમ કહ્યું હોત તો માનવધર્મની લાજ... જળવાઈ હોત. નરસિંહ મહેતાએ હરિજનવાસમાં જઈ ભજન કર્યા અને ગાંધીજીએ પસંદગીનો અવતાર મળે તો હરિજનને ત્યાં જન્મ લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ કહ્યું, ‘હું ઇતિહાસનો અધ્યાપક છું. અહિંસા દ્વારા રાષ્ટ્ર સ્વતંત્ર થયાનો એક પણ દાખલો મને માનવજાતિના ઇતિહાસમાં મળ્યો નથી.” ગાંધીજીએ અત્યંત નમ્રતાપૂર્વક પણ પૂરા આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, ‘તમે ઇતિહાસ શીખવનારા છો, હું ઇતિહાસ ઘડનારો છું. અહિંસક પ્રતિકાર દ્વારા આપણે ભારતને સ્વરાજ્ય મેળવી આપીશું. પછી ઇતિહાસના અધ્યાપકી એના પર વ્યાખ્યાનો આપશે.’ અહિંસાનો પદાર્થ પાઠ સહુપ્રથમ તેમને સાંપડે છે પિતાએ તેમને માફ કર્યા તે ખૂબ જાણીતા પ્રસંગમાંથી. સજા કરવાને સમર્થ એવા પિતા કિશોર મોહનની ચિકી ચોરીનો એકરાર વાંચી રડી પડે છે. આ અશ્રુ-મોતીબિંદુથી એમનું અંતઃકરણ શુદ્ધ થાય છે. સત્ય અને અહિંસાના ભોગે સ્વરાજ પણ તેમને ખપતું ન હતું. સાધ્ય શુદ્ધિ અને સાધન શુદ્ધિનો અપૂર્વ સમન્વય. જે મહાભારતકાળમાં દુર્લભ હતો. ધર્મરાજ યુદ્ધિષ્ઠિર અશ્વત્થામાં હણાયો ? – ના જવાબમાં 'નરો વા કુંજરો વા' કરી શકે. અર્જુનના પ્રાણની રક્ષા ખાતર કૃષ્ણ સૂર્યાસ્તને થંભાવી શકે, પણ મહાત્મા ગાંધીની યુદ્ધનીતિના મૂળમાં જ સત્ય અને અહિંસા. સાબરમતીનો આ સંત ‘બિના ખડગ બિના ઢાલ' આઝાદી લેવા નીકળ્યો હતો. ૧૯૨૨માં અસહકારનો કાર્યક્રમ સફ્ળતાની ચરમસીમાએ હતો. સવિનય કાનૂનભંગ અને નાકરનો કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. એ વખતે ગાંધીજી બારડોલી હતા. એ વખતે તેમને જાણવા મળ્યું કે હાલના ઉત્તરપ્રદેશના ગોરખપૂર જિલ્લાના ચૌરીચૌરા ગામમાં લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકી સળગાવી જેમાં ૨૧ સિપાઈઓ અને ૧ અધિકારી બળીને ભડથું થઈ ગયા છે. ગાંધીજીને લાગ્યું કે હજી લોકો અહિંસાનો ધર્મ-મર્મ સમજ્યા નથી. અને તેમણે સફ્ળતાની પૂરી શક્યતા હોવા છતાં ચળવળ આટોપી લીધી. આમ કહી શકાય કે તેમણે અહિંસાનું રાષ્ટ્રીયકરણ કર્યુ. મુઝફ્ફરપુરની કૉલેજમાં કૃપાલાની ઇતિહાસના અધ્યાપક, કાકા સાહેબે તેમને તાર કરી ગાંધીજીને મળવા બોલાવ્યા. કૃપાલાનીએ બાપુને ચળવળના સ્તરે અહિંસાનો પ્રોગ એટલે અહિંસા દ્વારા રાજ્ય કાંતિ વ્યક્તિગત સારે પણ અહિંસા પ્રત્યેની શ્રદ્ધા જાનના જોખમે પણ બુલંદીએ પહોંચે છે. ચંપારણના નીલવો એટલે કે ગળીની ખેતી કરનારા ગો૨ા જમીનદારો ખૂબ અત્યાચાર કરતા. તેથી ગાંધીજી ચંપારણ ગયા. તેમની હાજરીથી સ્વાભાવિક રીતે જનચેતના જાગૃત થઈ. ગો૨ા જમીનદારો માટે તો ગાંધીજીની હાજરી જ ભારે મુસીબતરૂપ થઈ પડી. બાપુ એમની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા. એવામાં કોઈએ કહ્યું કે, અમુક જમીનદાર બહુ માથાભારે છે અને આપની હત્યા કરવા તેણે મારા રોક્યા છે.’ અહિંસાનો માત્ર ઉપદેશ નહિ, સીધું જ આચરણ. ગાંધીજી તો પહોંચ્યા પેલા માથાભારે ગોરાના બંગલે. ત્યાં જઈને એટલું જ કહ્યું, ‘મને મારી નાખવા આપે મારા રોક્યા છે તેમ મેં સાંભળ્યું છે. આપે વધારે કષ્ટ ન લેવું પડે તેથી હું જાતે જ કોઈ ન જુએ એમ આપની પાસે આવ્યો છું.’ – પેલો બિચારો સ્તબ્ધ થઈ ગયો. ગાંધીજીને સ્વરક્ષણ માટે આશ્રમમાં બંદૂક રાખવી પડી નહોતી. અહિંસા પ્રત્યેની શ્રદ્ધા અને અભયની સાધના હોય તો જ આ વાત શક્ય બને. બાપુ હિંદુહૃદય સમ્રાટ ન હતા, હિન્દુસ્તાનનું હૃદય હતા. ગાંધીજએ પ્રોપેલા આગલા આકાશ વ્રતમાં 'અભય' પણ એક મહત્ત્વનું વ્રત છે. ‘અભય’નો અર્થ બાપુમાં વિસ્તરે છે. ‘અભય’ એટલે કોઇથી ભય ન પામવી એટલું જ નહિ કોઈને ભયભીત પણ ન કરવા. પૂ. નારાયણ દેસાઈએ ગીત લખ્યું છે, કોઈથી અમે ડરીએ ના, કોઈને પણ ડરાવીએ ના.' પ્રતિપક્ષને પરાજિત કરવાની પૂરી ક્ષમતા અને સંજોગો હોય ત્યારે પ્રતિપક્ષના સન્માનનું જતન કરી તેનું હૃદય પરિવર્તન કરવા સુધીની ધીરજ ગાંધીજીમાં હતી. અપરિગ્રહની વાત કરીએ તો મૂળ તો ગાંધીજી વર્ષે ૧૦૫ પાઉન્ડના વળતરનો કરાર કરી દક્ષિણ આફ્રિકા વકીલાત કરવા ગયેલા. સત્યપ્રીતિ અને નીતિના કારણે વકીલ તરીકેની શાખ એટલી વધી કે કરાર કરતાં ૫૦-૬૦ ગીકમાણી થવા લાગી. દુન્યવી દૃષ્ટિએ જાહોજલાલી કહી શકાય એવી રહેણી-કરણી સાવ સરળ બની ગઈ. દક્ષિણ આફ્રિકામાં ગોરાઓને આંજી દે એવી મોભાદાર જીવનશૈલી ગાંધીજી માટે સહજ બની. પણ અપરિગ્રહની ભાવના વીસ્તરતી ગઈ. તેમની કમાણી પરિવાર પૂરતી સીમિત રહેતી નથી. દેશમાં વસેલા કુટુંબીજનોએ એમના ભણતર અને એમના કુટુંબનું ગુજરાન ચલાવવા માટે ખર્ચેલા નાણાથી બમરાં વળતર ચુકવીને ધીરે ધીરે ત્યાગપંથે જિંદગી આગળ ધપાવે છે. પત્ની
SR No.526006
Book TitlePrabuddha Jivan 2009 01
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy