SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ८ જેથી જીવ સત્યપ્રતિ સન્મુખ થઈ શકતો નથી. જીવની દૃષ્ટિ એકાંત, એકાંગી અને સંકીર્ણ થયેલ હોય તે વસ્તુ અને પદાર્થના અનેકાંત અને અનેકવિધ થથાર્થ સ્વરુપને જોઈ શકો નથી. કોશેટાના કીડાની માફક પોતાના જ દૃષ્ટિરાગથી નિર્મિત પ્રતિબંધ એ જ તેના અવિરત દુઃખો અને બંધનનું કારણ બની હે છે. પ્રબુદ્ધ જીવન બીજી દૃષ્ટિએ પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા એ પણ આ પ્રેમરાગના જ પ્રકારો છે. કોઈને પુત્ર-સંતાન પ્રત્યે મોહ, કોઈને ધન-સમુદ્ધિનો મોહ, કોઈને પદ-પ્રતિષ્ઠા તો કોઈને યશ-કીર્તિના મોહ જોવા મળે છે. આ બધા બંધનના સ્વરૂપ છે. કારણ કે સંતાન, સંપત્તિ, પ્રસિદ્ધિ કે પ્રતિષ્ઠા ઐ ભરતી ઓટ તડકા-છાંયા જેવા ચડતી-પડતીરૂપ સંોગો છે. અનુકુળતાને સુખકારી અને પ્રતિકુળતાએ સંતાપકારી હોય છે. આ બધા રાગજન્ય પ્રેમ અંતે તો જીવને બંધનમાં જ પરિણમે છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે પંખીના મેળા તેમજ વટેમાર્ગુના સંગમ જેવા સ્વજન – પરિજનોના સંયોગ અસ્થાયી, અનિત્ય અને ક્ષણિક છે. સત્તા, સંપત્તિ કે કીર્તિ પણ પતંગના રંગ જેવી છે, ક્ષણજીવી છે. આવા પ્રેમરાગમાં રાચવા જેવું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે કિજ્જઈ ન રાગદોસો, છિન્નજઈ તેણ સંસારો.' રાગદ્વેષ ન કરવા આમ કરવાથી જ સંસારના બંધનોનો ઉચ્છેદ થઈ શકે છે. પ્રેમરાગના દૃષ્ટિમોહથી દર્શન વિકૃત થાય છે અને જ્ઞાન અસમ્યક્ બને છે જે પરિણામમાં અધોગતિ અને દુર્ગતિના બંધનો હેતુ થાય છે. આમ ન પ્રેમરાગા પરમમિત્ય બંધા પ્રેમરોગના બંધન સમાન મોટું કોઈ બંધન નથી. ૪. ન બોહિલાભા પરમમિત લાખો । બોધિલાભ સમાન ઉત્કૃષ્ટ બીજાં કોઈ લાભ નથી. બોધિલાભ એટલે સ્વરૂપજ્ઞાન, બીજજ્ઞાન, સમ્યક્ત્વ. જ્ઞાની ભગવંત ફરમાવે છે કે વધારે કહેવાથી શું ? હે મહાસત્ત્વશાળી ભાગ્યશાળી ભોતમોને તત્ત્વવચન કહું છું તે સાંભળો – મોક્ષના પરમસુખના બીજરૂપ આત્મજ્ઞાન-બોધિલાભ જ જીવોને સુખકારી છે અર્થાત્ બોધિલાભના યોગે જ જીવો પરમશાંતિરૂપ મોક્ષને મેળવી શકે છે. મોક્ષમાર્ગના હેતુરૂપ સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યચારિત્રરૂપી રત્નત્રયધર્મની પ્રાપ્તિ એ બોધિલાભનું ફ્ળ છે. બાર ભાવનામાં આ બોધિદુર્લભ ભાવના માટે કહ્યું છે કે અનાદિકાળથી સંસારમાં ભમતા આત્માને સમ્યકજ્ઞાન-દર્શનની પ્રાપ્તિ થવી. દુર્લભ છે; વા સમ્યજ્ઞાન - દર્શન પામ્યો તો ચારિત્ર અર્થાત સર્વવિરતિ પરિણામરૂપ ધર્મ પામો દુર્લભ છે. તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ તમોને પ્રણામ કરવાથી મને દુઃખ અને કર્મનો ક્ષય તથા સમાધિમરણ અને બોધિલાભની પ્રાપ્તિ થાઓ. લોગસ્સ સૂત્રમાં પણ માગણી છે કે લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકરપ્રભુ મને (ભાવ) આરોગ્ય, બોધિલાભ (સમકિત) અને ઉત્તમ સમાધિ આપી. એ જ રીતે પ્રાર્થનાસૂત્ર એવા જયવીરાય સ્તોત્રમાં પણ યાચના છે કે હે નાથ બોધિલાભની દુર્લભતા દર્શાવતા જ્ઞાની ભગવંત કહે છે કે ધર્મવણ કરતાં છતાં તે ધર્મતત્ત્વને ધારણ કરવું અર્થાત્ આત્મપરિણામી કરવું દુર્લભ છે. શ્રદ્ધા થવા છતાં તેના પ્રવર્તનરૂપ સંયમ પરિણતિ તો એથી પણ દુર્લભ છે. ઉત્તરાધ્યયનસૂત્રના ત્રીજા અધ્યાયમાં તીર્થંકર ભગવાન શ્રી મહાવીરદેવે ફરમાવ્યું છે કે (૧) મનુષ્યપણું (૨) સોધશ્રવણ (૩) તેની પ્રતીતિ શ્રદ્ધા અને (૪) સંયમ ધર્મમાં પ્રવર્તન ધર્મના આ ચાર અંગો જીવને પ્રાપ્ત થવા ઉત્તરોત્તર દુર્લભ છે. બોધિ એ આત્માની ઓળખની ઉપલબ્ધિ છે. બોધિથી જ જીવ સંબોધિ એટલે મુક્તિને પ્રાપ્ત કરે છે. સંબોધિ એટલે સ્વયંને ઓળખી સ્વયંમાં સ્થિત થવું – બુઝવું. શ્રી સૂયગડાંગ સૂત્રમાં જણાવ્યું છે કે, શ્રી તીર્થંકર વારંવાર ઉપદેશ કરતા હતા કે ‘જીવો ! તમે બૂઝો, સમ્યક્ પ્રકારે બૂઝો, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે.' મહાવીરે ચંતકોશિકને દષ્ટિબોધ કર્યો કે બુઝ્ઝ, બૂ, ચંડકૌશિક, સંબુત કિં ન બૂઝઈ.' કે ચંડોશિક તું બૂઝ, સમ્યક્ પ્રકારે બૂજ્ડ કેમ નથી બૂક્તો ? ‘સંબોહિ ખલુ પેથ્ય દુલ્લા' – બોધિ પામવી દુર્લભ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેય બોધિ છે અને ત્રોયનું આત્મારૂપ એકત્વ અને અવિરોધ પરિણામ એ રત્નત્રયરૂપ સંબોધિ છે, આત્માની મુક્તિનાં અચૂક ઉપાયરૂપ અમોધ મોક્ષમાર્ગ છે. પરમાર્થ માર્ગની સઘળી સાધનાનું લક્ષ બોધિ એટલે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ છે. બોધિના અભાવમાં કોઈપણ પ્રકારની સાધના કારગત થતી નથી કે સંસારપ્રવાહ પ્રક્ષીણ થતો નથી. વાસ્તવમાં તો સાધકને બૌધિનું ન મળવું એ જ સાધનાની દરિદ્રતા છે. આ આંતર્બોધ થયા પછી સાધકને તીવ્રબંધન નથી, અનંત સંસાર નથી, અંતરંગ મોહિની કે અત્યંતર દુઃખ નથી. બોધિપ્રાપ્તિની આ બલિહારી છે! જેની દૃષ્ટિ સમ્યક્ નથી, જેની દશા સમ્યક્ નથી, જેના વિચારો પવિત્ર નથી, જેના આચારો સંયત નથી, જેનું અંતઃકરણ શુક્લ નથી તેને બોધિની પ્રાપ્તિ દુર્લભ છે. પરંતુ જેની દુષ્ટિ અંતર્મુખ છે, જે સઘળા બાહ્ય સુખોમાં વિરક્ત છે, જેનું હૃદય અંતર્ભેદને પામ્યું છે, જેની વૃત્તિ પરમ અહિંસક છે, જેની પ્રવૃત્તિ તીવ્ર જિજ્ઞાસા સાથે સ્વયંની શોધમાં છે તેને બોધિની પ્રાપ્તિ સુલભ છે. જેને બોધિ સુલભ છે તેને સંબોધિ પણ સુલભ છે અને જેને સંબોધિ સુલભ છે તેને આત્માની મુક્તિ અર્થાત્ મોક્ષ સહજ છે. આમ ન ભૌશિલાભો પ૨મિત્વ લાભો । બોધિલાભ સમાન ઉત્કૃષ્ટ બીજો કોઈ લાભ નથી. અસ્તુ...જય જિનેન્દ્ર ૨, ગુલાબનગર, ‘ઓજસ', રૈયા રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૭.
SR No.526004
Book TitlePrabuddha Jivan 2008 11
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size585 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy