SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તેનો અંતરધ્વનિ સમજવાની દૃષ્ટિ સમાજમાં પ્રકટ થઈ નથી, તો વિવાદ પ્રકટ ન કરતાં એ ગ્રંથો થોડાં વર્ષો પછી ભલે પ્રકટ થાય. પ્રબુદ્ધ જીવન કિંતુ એમ થયું નહિ. લગભગ ૪૦ વર્ષ પછી ગ્રંથોની હસ્તપ્રત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના પટ્ટપરંપક શિષ્ય પરમપૂજ્ય શાંતમૂર્તિ, આચાર્યશ્રી દુર્લભસાગરસૂરિજી મહારાજના હાથમાં આવી. તેમણે પ્રકાશનકાર્ય પ્રારંભ્યું ત્યારે પ્રચંડ વિરોધ ઊઠ્યો. અનેક મુશ્કેલીઓ આવી. પરંતુ આ. શ્રી દુર્લભસાગરસૂરિજી મહારાજની પ્રચંડ આત્મશ્રદ્ધા અને અવર્ય ગુરુભક્તિથી એ ગ્રંથો છેવટે વિ.સં. ૨૦૨૫માં પ્રકટ થયા ! શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ પૂ. શ્રી. દુર્લભસાગરસૂરિજીની ગુરુભક્તિ અને ગ્રંથપ્રકાશનને જૈન સંઘની મહત્ત્વપૂર્ણ ઘટના કહી છે. ‘શ્રી જૈન મહાવીર ગીતા' યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વજી મહારાજની વિલક્ષણ કૃતિ છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વજી પ્રયોગશીલ સર્જક રહ્યા છે. જૈન પરંપરામાં ઉપનિષદ કે ગીતા અથવા કાવ્યકૃતિઓમાં ભજન કે ગઝલ જોવા મળતાં નથી. આ પ્રારંભ તેમણે કર્યો અને વિદ્વાનો તથા ભાવકોને તેમણે આકર્ષિત કર્યા. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની કૃતિઓમાં ઊંડાણ ઘણું છે. એમના કથનનો મર્મ સમજવા માટે ગહન ચિંતન અને અભ્યાસ અનિવાર્ય છે. એમણે સ્વયં લખ્યું છે : મુ. વિજાપુર, સં. ૧૯૭૮, ચૈત્ર સુદ સાતમ ‘મારા લખેલા લેખો, ગ્રંથો વગેરે સર્વે સાત નયોની સાપેક્ષ દૃષ્ટિ અનુભવવા, યોગશાસ્ત્રનો અભ્યાસ કરી તેનો અનુભવ કર્યો હોય, જેઓએ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ તેઓને કોઈપણ જાતની શંકા રહેતી નથી અને તેઓ આત્માને પરમાત્મા બનાવવાની આધ્યાત્મિક દૃષ્ટિ પરિણતિને પ્રાપ્ત કરે છે. (પત્ર સદુપદેશ, ભાગ બીજો, પાન નં. ૨૧૦) ‘શ્રી જૈન મહાવીર ગીતા'નું અધ્યયન ક૨નારે આ દૃષ્ટિબિંદુ સાથે રાખીને ચાલવું પડે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વજીના તમામ સર્જનમાં અને આ ગ્રંથમાં મુખ્યત્વે ‘આત્મા’ જ કેન્દ્રમાં છે. આત્મા શુધ્ધ છે, બુદ્ધ છે, નિરંજન નિરાકાર છે, પરમાત્મા છે- આ ધ્વનિ સતત ગુંજતો રહે છે. આત્મા અને આત્મકલ્યાણ સિવાય કોઈ વાતનો સ્પર્શ ક્યાંય જોવા મળતો નથી પણ ‘આત્મા’ અને તેના કલ્યાણ માટે શું ક૨વું જોઈએ, કોનું ધ્યાન કરવું જોઈએ, જૈન ધર્મ ક્યાં સહાયક છે, જિનેન્દ્ર ભગવાન જ ઉપકારી છે, જિનતત્ત્વના આશ્રય વિના નહિ જ ચાલે તે સતત સમજાવવા લેખક પ્રયત્નશીલ છેઃ આમ કરવામાં તેઓ જે લખે છે તેમાં નિશ્ચય નય અને વ્યવહાર નયને સમજ્યા વિના તેઓના કથનનો મર્મ પારખી શકાતો નથી. માત્ર સૂક્ષ્મ નહિ, પણ સુસૂક્ષ્મ બુદ્ધિથી નયસાપેક્ષ બુદ્ધિ રાખીએ તો જ ‘શ્રી જૈન મહાવીર ગીતા'નું યથાતથ જ્ઞાન થઈ શકશે. જેઓએ જૈન ધર્મ શાસ્ત્રોનો આધ્યાત્મિક અને વ્યવહાર દૃષ્ટિએ તેમજ નયસાપેક્ષદ્રષ્ટિ રાખવામાં ન આવે તો અર્થનો અનર્થ થતાં કે સાત નયોની દૃષ્ટિએ અભ્યાસ કર્યો હોય જેઓએ ચાર વેદ, એકસોઆઠ ઉપનિષદો, ગીતાઓ, વૈદાંતિક અધ્યાત્મિક ગ્રંથો તેમ જ જૈન અધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય, મારા ગ્રંથોનો અભ્યાસ કરવામાં ગુરુગમની તથા અપેક્ષા દૃષ્ટિ જરૂર છે. ઉપર્યુક્ત જ્ઞાનીઓ મારા લખેલા આશયોને સમજાવી શકે છે માટે– વિપરીત અર્થઘટન થતાં વાર લાગે તેવું નથી. ‘શ્રી જૈન મહાવીર ગીતા'નું હાર્દ પામવા માટે નયવિવેક જોઈએ. પીઠિકા ‘શ્રી જૈન મહાવીર ગીતા’ની રચનામાં ‘શ્રી ભગવદ ગીતા’ની પદ્ધતિનું દર્શન થાય છે, નામાભિધાનમાં પણ ઘણું સામ્ય છે. પરંતુ બંનેના મંડાણના ક્ષેત્ર ભિન્ન છે. બંનેમાં બોધ છે, ઉપદેશ છે, કર્તવ્ય સમજાવવાની ભાવના છે પણ બંને ગ્રંથરત્નોની સમાનતા આટલા પૂરતી જ છે. ‘શ્રી ભગવદ્ ગીતા'નું પ્રાક્ટય જેઓએ શ્વેતાંબર, દિગંબર તત્ત્વાદિક ગ્રંથોનો અભ્યાસ તેમ જ અનુભવ યુદ્ધભૂમિમાં થયું છે. શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધની, કર્તવ્યની, હિંસાની કર્યો હોયપ્રેરણા આપે છે. અર્જુનને ધનુષ-બાણ ઉઠાવવા શ્રી કૃષ્ણ કહે છે. ‘શ્રી ભગવદ્ ગીતા’ના પ્રથમ અધ્યાયમાં અર્જુનની મથામણ સમજાય છે. તે કહે છે, ‘હે શ્રીકૃષ્ણ ! યુદ્ધ માટે મારી સામે ઊભેલા તેઓ ગીતાર્થ જ્ઞાનીઓ બનેલા હોય છે, તેઓની પાસે રહીને તેમની સેવા ભક્તિ કરીને મારા ગ્રંથોને ગુરુગમ ગ્રહી વિચારે છે વર્તમાનમાં વર્તનારા તથા ભવિષ્યમાં મારા આશયોને અપેક્ષાએ સત્ય જાણનારા જ્ઞાનીઓની સેવા-ભક્તિમાં અર્પાઈ જવું.'
SR No.526004
Book TitlePrabuddha Jivan 2008 11
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size585 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy