SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અને તોપ વિખરાયેલી પડી છે. આજે પણ કિલ્લામાં અનેક વાવ અને કુવા મૌજુદ છે જે પુરાતન હોવા છતાં નવનિર્મિત જેવા લાગે છે. પ્રબુદ્ધ જીવન કાળની લપેટમાં અને પર્યાપ્ત સંરક્ષણ વગર નિરંતર વસ્ત થઈ રહેલા આ કિલ્લાની મરમ્મત કરતા રહીને આપણા ઐતિહાસીક ગૌરવને જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. બજરંગગઢમાં પ્રવેશદ્વારની સમીપ જ એક વિશાળ તળાવ છે. આ ‘સૂબા સાબવાલા તળાવ' કહેવાય છે. આ તળાવની વચ્ચે એક મોટો કર્યો છે. ઉનાળામાં તળાવનું પાણી ખલાસ થઈ જવા છતાં આ કૂવામાં બારેમાસ પાણી રહે છે. અહીં એક સુરમ્ય પહાડી પર શ્રી બીસ ભૂજા દેવીનું મંદિર છે. મૂર્તિ પર રંગ બંગાળી વેશભૂષા પ્રમાણે કરવામાં આવે છે. પાસે જ શ્રી મંશાપૂરણ હનુમાનજીનું મંદિર પણ સ્થિત છે. બજરંગગઢમાં ક્યારેક ૧૦૮ મંદિર હતા એમ અહીંના લોકો કહે છે. આજે પણ થોડા થોડા અંતરે દેખાતા મંદિરોની જે સંખ્યા મળે છે, તે ૧૦૮ના આંકડાની પ્રામાણિકતાને સ્વંય પ્રકટ કરે છે. બજરંગગઢ ગામની વચ્ચે એક સાત માળનું વિશાળ ભવન છે. આ ભવનના નીચેના ત્રણ માળ જમીનની અંદર ઘુસી ગયા છે. બજરંગગઢમાં આઠસો વર્ષ પ્રાચીન ભવ્ય જૈન મંદિર આવેલું છે. આ મંદિરની પ્રતિષ્ઠા સંવત ૧૨૩૬માં શ્રી પાડાશાહે કરાવી. હતી. આ જિનાલયની ગુફામાં ભગવાન શ્રી શાંતિનાથજીની ૧૮ ફુટ ઊંચી અને ૧૭-૧૭ ફુટ ઊંચી શ્રી કુંથુનાથજીની તેમ જ શ્રી અરનાથજીની ખડગાસન પ્રતિમાઓ દર્શનાર્થીને આકર્ષે છે. જે ભક્તજનોને વીતરાગતાનો અનુપમ ઉપદેશ આપે છે. આ વિહંગમ પ્રતિમાઓ લાલ પાષાણથી નિર્મિત છે અને ધ્યાનસ્થ મુદ્રામાં છે. ગુફામાં સ્થિત આ પ્રતિમાઓ મનને ભક્તિરસમાં તકૃત કરી અસીમ શાંતિનો અનુભવ કરાવે છે. આ જિનાલયમાં મનોરમ્ય સમવસરણની રચના કરવામાં આવેલ છે. જમીનથી શિખર સુધી ૯૦ ફુટની ઊંચાઈ ધરાવતા આ જિનાલયની ભીતરની દિવાલો પર ભવ્ય ચિત્રકારી અંકિત છે. મંદિરની ચોતરફ ભીંતમાં સ્થાપિત અનેક પ્રાચીન પ્રતિમાઓ વાસ્તુકલાના અનુપમ ઉદાહરણ છે. એ ઉપરાંત શિલાલેખ, ભીંતચિત્ર પણ કળાના સુંદર નમૂના છે. કલા અને અધ્યાત્મનો આ દુર્લભ સંયોગ છે. પોરાણિક કથાનકો પર આધારિત આ ચિત્રો પોતાની નિર્મિતિમાં પૂર્ણતઃ મૌલિક અને અદ્વિતીય છે. પ્રસિદ્ધ ઈતિહાસવિદ ડો. વાકણકરના મતાનુસાર આ ચિત્રો ‘અજંતા-ઇલોરા શૈલી'ના છે. તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ અતિશય ક્ષેત્રના રૂપે પ્રખ્યાત છે. પ્રદુષણ અને કોલાહલથી દૂર, પલાશ અને અન્ય ઘટાદાર વૃક્ષોની છાયાથી ઘેરાયેલ તથા આજે સંપૂર્ણ રીતે ખંડેરોનું ગામ બની ગયેલ બજરંગગઢની ગૌરવગાથા આ અતિશય ક્ષેત્રના કારણે જ જનમાનસને પોતાની તરફ અહીં ચારસો વર્ષ પ્રાચીન બે અન્ય જૈન મંદિર પણ છે. એક-મુખ્ય બજારમાં શ્રી ઝીતુશાહ દ્વારા નિર્મિત શ્રી પાર્શ્વનાથ જિનાલય છે. તથા બીજું-શ્રી ચન્દ્રાપ્રભુ જિનાલય-જેનું નિર્માણ શ્રી હરિશચન્દ્ર ટરકાએ કરાવેલ. ત્રણે જિનાલયની વંદના એક પરિક્રમા દ્વારા પૂર્ણ થાય છે. પ્રાકૃતિક સૌંદર્યથી પરિપૂર્ણ આ સુરમ્ય ટેકરીઓની ગોદમાં વસેલી આ ઐતિહાસિક નગરી બજરંગગઢ આજે દિગમ્બર જૈન આકર્ષિત કરી રહી હોય એવું લાગે છે. શ્રી પાડાશાહ દ્વારા બજરંગગઢમાં શ્રી શાંતિનાથ દિગમ્બર જૈન મંદિરના નિર્માણ અને પ્રતિમાઓની સ્થાપના સિવાય શુર્ખાન”, ચંદેરી, પર્યારાજા (મ.પ્ર.) તથા રાજસ્થાનમાં ચાંદખંડીમાં પણ અનેક જિનાલયોનું નિર્માણ કરવામાં આવેલ. ઈતિહાસમાં એવો ઉલ્લેખ મળે છે કે શ્રી પાડાશાહના પાડા આ ક્ષેત્રમાં રાતના રોકાયા હતા અને એક પાડાની લોખંડની સાકળ સોનાની થઈ ગઈ હતી. શોધ ક૨વાથી એમને એ સ્થાન પર પારસ પથ્થરની પ્રાપ્તિ થઈ. એનાથી પ્રભાવિત થઈ એમણે ત્યાં જ એક ભવ્ય જૈન મંદિર બનાવવાની પ્રતિજ્ઞા લીધી. આ નીર્ય ક્ષેત્ર પાડાશાહની ઉદારતા, નિષ્ઠા અને શિલ્પકારોની કાર્યકુશળતાનું અદ્ભુત પ્રમાણ છે. ચારે તરફથી પર્વતમાળાઓથી ઘેરાયેલા આ મીય બજરંગગઢમાં અનેક રાજાઓએ પોતાના શૌર્યનું પ્રદર્શન કર્યું છે. આ કારણે આ નગરનાં નામ બદલાતા રહ્યા. એક હજાર વર્ષ પહેલાં આ નગરનું નામ મૂસાગઢ હતું. કિલ્લા પર નિરવાર રધુવંશીઓનું રાજ્ય સ્થપાતાં આ નગરનું નામ ઝરખોસ રાખવામાં આવેલ. રાજા જયસિંહે કિલ્લાના નીચેના હિસ્સાનું નામ જૈનાનગર રાખ્યું હતું. એ વખતે આ નગરમાં ૨૦૦ ઘર જૈનોના હતા પણ પાછળથી કિલ્લાની અંદર સ્થાપિત બજરંગ મંદિરના નામ પર આનું નામકરણ બજરંગગઢ થયું, આગ્રા-બોમ્બે રોડ ઉપર આવેલા ગુના માટે ગ્વાલિય૨, ઈન્દોર, ઉજ્જૈન તથા ભોપાલથી પ્રત્યેક સમયે બસ મળી રહે છે. બજરંગગઢ પહોંચવા માટે ગુના, સિરીંજ તથા આર્શનથી બસ, જીપ તથા રિક્ષા મળી રહે છે. ગુના-મધ્ય રેલવેના બીના-કોટા-મકસી રેલવે લાઈન પર આવેલું છે. અહીં આવવા માટે બીના, ઉજ્જૈન, કોટા તથા સાબરમતી એક્સપ્રેસ દ્વારા અમદાવાદથી પણ આવી શકાય છે. અહીં છે. વિશાળ ધર્મશાળાઓ છે જેમાં એક શ્રી શાંતિનાય અતિશય ક્ષેત્રમાં છે. જેમાં લગ્ન, ધાર્મિક અને અન્ય સામાજિક આયોજનો માટે પૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે. બહારથી આવનારા યાત્રીઓ માટે રહેવાની યોગ્ય વ્યવસ્થા છે. આ ધર્મશાળામાં રૂમ, ઓસરી અને સભાકક્ષ છે. ભોજન બનાવવાની વ્યવસ્થા પણ છે. આવી સુંદર-પવિત્ર જગ્યાએ રાત્રિમુકામ કરવાની અણમોલ તક સાંપડતાં પ્રવાસનો સઘળો થાક દૂર થઈ ગયો. બીજે દિવસે સવારે દર્શનાદિ ક૨ી અમે શિવપુરી તરફ નીકળી પડ્યા. ૧૨, હીરાભુવન, કુણાલ જૈન ચોક, મુલુંડ (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૮૦. (૦૨૨) ૨૫૬૪૯૩૫૨
SR No.526004
Book TitlePrabuddha Jivan 2008 11
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size585 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy