SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન આ આ ‘કર્મ’ જૈનધર્મમાં, હિન્દુધર્મની જેમ અટ્ઠષ્ટ શક્તિ રૂપે નહિ, પણ સંપૂર્ણ સ્વતંત્ર તત્ત્વરૂપે સ્વીકાર પામ્યું છે. જીવની ઉપ૨ જે કોઈ આવરણો ચઢે છે તે આ કર્મથી. કર્મ અને જીવ અનાદિકાળથી સંયોજિત છે તેવું અહીં મનાયું છે. જીવને સમર્થ સમયે નવાં નવાં કર્મો બાંધતાં રહે છે. આ પ્રવાહને અંત નથી. કર્મનું દોરડું જીવને બાંધીને દુષ્ટવૃત્તિઓ પ્રત્યે અગ્રેસર કરે છે. અને છેવટે 'કરો તેવું ભોગવો' એવી સ્થિતિ આવીને ઊભી રહે છે. એટલે અહીં કર્મપાશથી મુક્તિ મેળવવા, નવાં પાપ રોકવાં, વિભિન્ન રીતે જીવે પ્રયત્ન કરવાનો રહે છે. પાણી અને કાદવ ભેગાં મળે તો શુદ્ધ જલનો અનુભવ કેવી રીતે થઈ શકે ? પેલાં દૂષિત કર્મોને એમ ક્ષીણ કરવાનાં હોય છે, અટકાવવાનાં હોય છે ને અંતે નામશેષ કરવાનાં રહે છે. કાદવ એમ જુદો થાય તો જ શુદ્ધ જલનો જ મહિમા સમજાય. તો જ લોભ-માન-માયા-ક્રોધ-કામ વગેરે ‘અગ્નિ” જેવી દુવૃત્તિઓને ઠેકાણે સંતોષ, શાંતિ, મૃદુતા વગેરે અનુભવી રહેવાય. ‘આસવ' પાપવૃત્તિઓથી દૂર રહેવાનું સૂચન કરે છે, તેના ઉપર વિજય મેળવવા બોધ કરે છે, ‘સંવર’ નવાં કર્મોના બંધનને અટકાવી દેવાનું ચીંધે છે તો ‘નિર્જરણ’માં ભૂતકાળનાં કર્મોનો તપ-ધ્યાનાદિથી નાશ કરી ‘જીવ'ને તંતોતંતયાને જંગમ જીવોની હિંસા કરતા હોય છે. પૃથ્વીની પણ નાનાવિધ સંદેશ આપીને જૈનધર્મે એક નવો રાહ ચીંધ્યો છે. આ ધર્મનો તે અદ્ભુત-અમર પયગામ છે. નોર્વેજિયન વિદ્વાન ડૉ. સ્ટેનકેનોએ ‘અહિંસા' શબ્દની ચર્ચા કરતાં તેથી કહ્યું હતું કે “અહિંસા’ વિશે બીજા ધર્મમાં વાત જરૂર થઈ છે પણ તીર્થંકરોના ઉપદેશમાં તેની જેટલી વિગતે અને વ્યવસ્થિત રીતે સ્પષ્ટતા થઈ છે તેટલી બીજે ક્યાંય થઈ નથી. સ્થૂળ કે રૂઢ વિભાવથી માંડીને સૂક્ષ્મરૂપ હિંસા સુધીનો આ ચર્ચામાં સમાવેશ થયો છે. બાઈબલમાં `Do not Kill-ખૂન કરો નહિ' એમ કહેવાયું છે. પણ જૈનધર્મ નાનામાં નાના જીવની હિંસા કે અન્યની લાગણીને દુભવવા સુધીની અનેક બાબતોને હિંસારૂપે ઓળખાવે છે. મહાવીરે તો કોઈપણ પ્રકારની હિંસાને વર્જ્ય ગણી છે અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવામાં હિંસા આડે આવે છે તેમ કહ્યું છે. વિવિધ જીવોના ધાતને તેઓ તેથી બંધનરૂપ લેખે છે. અન્ય જીવોની બાબતે બેદરકાર ન રહેવું તેમ કહે છે. સર્વત્ર જુદા જુદા જીવોનું અસ્તિત્વ છે. તેવા જીવોને અભયની પ્રતીતિ કરાવવી જોઈએ. વિવિધ જીવોનું સ્વરૂપ જાણનાર જ અહિંસાનું સાચું સ્વરૂપ જાણી-પામી શકે. વિષયભોગમાં આસક્ત જનો પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ અને ત્રસ મુક્ત કરવાની વાત છે. સર્વકર્મના ક્ષય પછી, પેલાં અંતરાય– આવરણો દૂર થયા પછી જ મોક્ષાવસ્થા આવે છે. અને છેવટે ચૈતના સિદ્ધક્ષેત્રમાં હરી ભવ-ફેરામાંથી મુક્તિ પામે છે. કર્યો કે એમ ક્રમશઃ આંતરચેતનાનું ઊર્ધ્વકરણ અને ઈશ્વરત્વની સ્થિતિ આવે છે. આમ જૈનધર્મમાં વળી વળીને મનુષ્ય અને એની વિશુદ્ધ ચેતના ઉપર ભાર મૂકાતો આવ્યો છે. કોઈ અલગ ઈશ્વર સત્તાને અહીં સ્થાન નથી. જીવે જ વીર બનવાનું છે. જૈનધર્મમાં જીવની એવી ઉત્ક્રાંતિ માટે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર્યનો સમુચિત રીતે મહિમા કરવામાં આવ્યો છે. આ વડે મનુષ્ય એના આ આંતરવિકાસની એક અવસ્થાને મંગલના માર્ગ ઉપર Wellbeing આવીને જીવનનું સાર્થક્ય સિદ્ધ કરી શકે છે. શ્રાવકશ્રાવિકાની એ સ્થિતિ છે. અને તેનાથી આગળનો અંતિમ ઊર્ધ્વપડાવ મોક્ષનો-Liberation છે. ટૂંકમાં જૈનધર્મ ક્ષણેક્ષણની જાચનતામાં અને જીવદ્રવ્યની એવી સદક્રિયામાં માને છે. આજે સકર્મ અને પછી તેનું ફળ એવું નથી. હું જીવદ્રવ્ય છું અને મારી ક્રિયા, મારું પરિણમન, મારા વસ્તુત્વ ગુણ વડે મારામાં જ થાય છે તેનું અભિજ્ઞાન હોવું જોઈએ. મનુષ્ય એમ સ્વયં ભાગ્ય નિર્માતા બનવાનું અહીં Open Secret છે. રૂપે લોકો અજ્ઞાનને કારણે હિંસા કરતા હોય છે. પાણીમાં પણ અનેક જીવોનું અસ્તિત્વ રહ્યું છે. અગ્નિ સળગાવતાં પણ પૃથ્વી, તુ, પાંદડાં, છાકમાં, કચરાની અંદર કે તેના આધારે રહેનાર જીવોની હિંસા થતી હોય છે. વનસ્પતિના સંદર્ભે પણ હિંસાની વાત એટલી જ સાચી છે. અંડજ, ખિજ્જ આદિ જંગમ-ત્રસ પ્રાણોની હિંસા પણ વ્યાકુળ લોકો કરે છે. વાયુમાં પણ અનેક પ્રાર્થોનું અસ્તિત્વ હોય છે. મહાવીરે તેથી ભારપૂર્વક કહ્યું કે જે માણસ વિવિધ જીવોની હિંસામાં પોતાનું અનિષ્ટ-અહિત જોઈ શકે છે અને તેને તજવા પ્રયત્ન કરે છે તે માણસ જ દુઃખ' શું છે તે પામી શકે છે. જે વ્યક્તિ પોતાનું દુઃખ જાકો છે, તે બહારનાનું દુઃખ જાણે છે અને જે બહારનાનું દુઃખ જાણે છે તે પોતાનું દુઃખ જાણે છે તે પોતાનું દુઃખ પણ જાણે છે. શાંતિને ઈચ્છનાર અન્ય જીવની હિંસા કરીને જીવવાનું યોગ્ય લેખતા નથી. પ્રમાદને, વિવિધ કર્મોને પણ મહાવીર હિંસા લેખે છે. હિંસા કરવી નહિ, કરાવવી નહિ, કોઈ કરતો હોય તો તેને અનુમતિ આપવાની નહિ તેવું તેમનું સ્પષ્ટ સૂચન છે. સકલ જીવોને જીવવાની કામના રહી છે, કોઈ મરવા ઈચ્છતું નથી. તેથી કોઈનેય મારો નહિ, કે તેનો વધ કરો નહિ, સર્વને જીવવાનો સરખો અધિકાર છે તેવું કહીને મહાવીરે જૈનધર્મની અહિંસામય પ્રકૃતિનો મજબૂત પાર્યા નાંખી આપ્યો છે. અહીં હિંસા વર્જ્ય છે, પણ મન, વચન, કર્મથી ય દુ:ખ કોઈને ન પહોંચે તેની સતર્કતા રાખવાની હોય છે. શ્રી સૂત કૃતાંગ સૂત્રમાં 'અહિંસા' (Non-Injury) જૈનધર્મની સર્વાંગીણ ઓળખ આપી રહે તેવા વિભાવોમાંનો એક પ્રમુખ વિભાવ છે. જૈનધર્મની નિષ્ઠા અને પ્રતિષ્ઠા યમાં અહિંસાની વ્યાપક સમજ રી છે. તેમાં અનેક તત્ત્વોનો સમાવેશ થતો જોવાય છે. વિશ્વને ‘અહિંસા’નો
SR No.526001
Book TitlePrabuddha Jivan 2008 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size785 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy