________________
ગાંધી જીવ્
allci jaaye opó lic j ne ky!e Gyal nay tene rJ!e [>G[ly telele H]!e tops [3]ic Ray ale H]!e [9pps [3]lc *
અ પૃષ્ઠ ૪૦૦ પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૭ ફેબ્રુઆરી ૨૦૧૫ અંતિમ
અને એ દ્વારા સમગ્ર દુનિયા પરનું તેનું પ્રભુત્વ ઝપાટાબંધ લુપ્ત થતું જાય છે. આ ઉપવાસને નિમિત્તે આપણી આંખ ઉઘડશે તો એ બધું પાછું લાધશે. હું એમ માનું છું કે, હિંદ પોતાનો આત્મા ખોશે તો, તોફાનોથી અથડાતી-કુટાતી, વેદનાગ્રસ્ત અને ભૂખી દુનિયાની આશાનું કિરણ લુપ્ત થશે. “કોઈ મિત્ર, અથવા કોઈ દુશ્મન હોય તો દુશ્મન, મારા પર ક્રોધ ન કરે. કેટલાયે એવા મિત્રો છે, જેઓ મનુષ્યના દિલને શુદ્ધ કરવા માટે ઉપવાસની પદ્ધતિમાં નથી માનતા. તેઓ મને નમાવી છે અને જે સ્વતંત્રતા પોતાને માટે ચાહે છે તે મને પણ આપે. મારો એકમાત્ર સલાહકાર ઈશ્વર છે. મને લાગ્યું કે બીજા કોઈની પણ સલાહ વિના આ નિર્ણય કરવો જોઈએ. એમાં મેં ભૂલ કરી છે એમ મને જણાશે તો, સૌની આગળ મારી ભૂલનો ખુલ્લેખુલ્લી રીતે એકરાર કરીશ અને મારું ખોટું પગલું ખેંચી લઈશ. પરંતુ એવો સંભવ બહુ ઓછો છે...આ સંબંધમાં મારી સાથે બિલકુલ દલીલ કરવામાં નહીં આવે અને અનિવાર્ય એવા
આ પગલામાં મને સાથ આપવામાં આવે
એવી મારી વિનંતી છે. આખા હિંદુસ્તાન
પર, અથવા કંઈ નહીં તો દિલ્હી પર
આની સાચી અસર થશે તો ઉપવાસ જલ્દી છૂટી શકશે.
“પરંતુ એ વહેલો છૂટે કે મોડો, અથવા એ છૂટે કે કદીયે ન છૂટે, પણ
આવ કર્યોકટીને પ્રસંગે કોઈએ નબળાઈ બતાવવી જોઈએ નહીં...શુદ્વ ઉપવાસ, ધર્મપાલનની પેઠે, સ્વતઃ બદવારૂપ છે. કશું પરિણામ લાવવા ખાતર હું ઉપવાસ કરતી. મારે ઉપવાસ કર્યે જ ટકી,
નથી
એમ મને લાગે છે એટલે હું એ કરું છું.
એટલે, શાંત ચિત્ત અને તટસ્થતાપૂર્વક ઉપવાસ વિષે વિચાર કરવાની અને મારે મરવાનું જ હોય તો, શાંતિથી મને મરવા દેવાની મારી સૌને પ્રાર્થના છે. શાંતિ તો
મને મળવાની જ છે. આની મને ખાતરી છે. હિંદના, હિંદુ ધર્મના અને ઈસ્લામના વિનાશનો સાક્ષી બનવા કરતાં મૃત્યુ માટે
ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષ
માટે ઉમદા મુક્તિરૂપ બનશે. દુનિયામાં પ્રચલિત છે એ બધાં ધર્મો પાળનારા લોકોને સમાન દરજ્જો તથા જીવન અને માલમિલ્કતની સલામતીની ખોળાધરી પાકિસ્તાન ન આપે અને હિંદનો રાજ્યસંઘ પણ તેનું અનુકરણ કરે તો એ વિનાશ ચોક્કસ છે. તો ઈસ્લામનો તો હિંદ અને પાકિસ્તાનમાં નાશ થશે, બાકીની દુનિયામાં નહીં. પણ હિંદુ ધર્મ અને શીખ ધર્મ તો હિંદની બહાર છે જ નહીં
નિવેદનને અંતે આ પ્રમાણે વિનવણી અને અપીલ કરવામાં આવીઃ જેઓ મારાથી જુદા વિચારો ધરાવે છે તેઓ મારી જેટલો સખત વિરોધ કરશે તેટલો હું તેમનો આદર કરીશ. મારા ઉપવાસ લોકોના અંતરાત્માને ઢંઢોળીને જાગ્રત કરવા માટે છે, તેને જડ કરવા માટે નહીં. જરા વિચાર તો કરો કે આપણા વહાલા હિંદુસ્તાનની કેટલી બધી અતિ થઈ છે એવે વખતે તેનો એક નમ્ર પુત્ર એ અતિ દૂર કરવાને આવું ઉચિત પગલું ભરવા માટે જોઈતી શક્તિ અને સંભવતઃ એટલી પવિત્રતા પણ ધરાવે છે, એ જોઈને તમે આનંદ માણજો. એ શક્તિ અને એ પવિત્રતા તેનામાં ન હોત તો, પૃથ્વી પર તે બોજારૂપ છે એટલે જેટલો વહેલો તે પૃથ્વી પરથી ઊઠી જાય અને એ બોજામાંથી હિંદને મુકત કરે, એટલું તેને માટે અને લાગતાવળગતા સૌને માટે સારું જ છે.
મારી મિત્રોને નમ્ર અપીલ છે કે બધા બિરલા હાઉસ દોડી ન આવી, મને સમજાવવાનો પ્રયત્ન ન કરશો અને મારા માટે ચિંતામાં પણ ન પડશો. હું ભગવાનના હાથીમાં છું. મિર્ઝાએ તો પોતાનાં દિલોમાં ખોળ કરવી જોઈએ. કારણ, આ આપણા સૌના માટે કસોટીની ઘડી છે. સૌ પોત પોતાને ઠેકાણે રહીને આજ સુધી કરતા આવ્યા છે તેથી પણ વધારે ચૂસ્તીથી પોતાની ફરજ બજાવશે તો તેનાથી મને
શતાબ્દીનો જલસો
રે ઝાંખપ છે આંખે, પસીનો પગે છે! શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે ! પડ્યા બંધને બાપુનાં પુણ્ય ખ્વાબોઃ થયાં મુક્ત શેતાનરંગી શરાબો.
ને સૂરતી ને સુસ્તી ને સત્તાપરીની મસ્તીમાં અવળા પડ્યા ઈન્કિલાબો ! ઈમારત જુઓ, પાયાથી ડગમગે છે ! શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે !
નવાઈ નથી કંઈ, સદા આવું ચાલે ! મવાલ જ મુફલીસી પે કુલેફાલે પરંતુ ઉઠાવી છે. ગાંધીને નામે આવી થોર માંથી. તે આત્માને સાથે કવિ-ઉર ૨ોષે, તેથી ધગધગે છે! શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે!
નથી બળતાં મંદિર, નથી બળતી મસ્જિદ : નથી રડતો મુલ્લાં, નથી રડતો પંડિતઃ બધે એક ઈન્સાનિયત રડતી, સુરત અરે, એક કિરનારની યાતી ખંડિત, ધસે લાવા જલતો જેની રગરગે છે! શતાબ્દીની જાસો, જુવો ઝગઝગે છે!
ઊષાંક
Eકરસનદાસ માણેક
('જન્મભૂમિ' દૈનિક :૧૯૬૯)
મન અમોય શક્તિ છે. દરેક તેનો ઉપયોગ કરી શકે.
અને આના ઉદ્દેશને વધારે મદદ થશે. આ
ઉપવાસ આત્મ-શુદ્ધિની પ્રક્રિયા છે.’'
(મહાત્મા ગાંધી : પૂર્ણાહુતિ,
ગ્રંથ ૪, પાન ૩૬૨-૩૬૪)
વનનો અંતિમ અધ્યાય વિશેષાંક
ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી
[adj tellzle rJle pi
TIR[d) ltle Jy
J bellie Je PDC[J]I