________________
ગાંધી જી
આ ફેબ્રુઆરી ૨૦૧૫ ૭ પ્રબુદ્ધ જીવન ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૭ પૃષ્ઠ ૯ અંતિમ
ભાગલાનું રાજકારણ
[ મહાત્મા ગાંધીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાય દેસાઈ ગાંધીજીના આશ્રમમાં ઉછર્યા. પચારિક કેળવણી લીધી નહીં પણ ગાંધી, મહાદેવભાઈ અને આમવાસીઓની જીવંત કેળવી પામ્યા. મૂળભૂત શિક્ષા અને ખાદીનાં વાટ પર જીવનભર કામ કર્યું. ગાંધીકથા અને ગાંધી પુસ્તકો દ્વારા નવી પેઢીને ગાંધી અભિમુખ કરવા પ્રયત્નશીલ નારાયણ દેસાઈના પુસ્તક ‘જિગરના ચીરા’માંથી આ પ્રકરણ તૈયાર કરાયું છે, જે ભારતના વિભાજનના ભીષણ ઇતિહાસ પાછળ રહેલા રાજકારણ ૫૨ પ્રકાશ ફેંકે છે.]
all ક્રäJelterje pops [3] કાઢણુ llame tyle loops all dj late tJe pill finay tale Je loops Italic f y lee Hye [996 [3]lc
જેને પરિણામે ભારતના ટુકડા થયા, અંગ્રેજોની ‘ભાગલા પાડો ને રાજ્ય કરો'ની એક કુટિલ નીતિ ૧૯૫૭ના બળવા પછીથી જ અમલમાં મુકાવી શરૂ થઈ હતી. ત્યારે યુરોપના સવાસો જેટલાં સંસ્થાનોમાં ભારત મુકુટમ જેવું હતું. ઈંગ્લેન્ડની કુલ સંપત્તિના મૂળમાં ભારતમાંથી ઢસડી લાવેલા ધનનો સિંહફાળો હતો. સૈનાનો મોટો હિસ્સો પણ અંગ્રેજોને ભારતમાંથી મળ્યો હતો. વહીવટ સંભાળી લીધા બાદ અંગ્રેજોએ ભારતની પરંપરા બદલી અંગ્રેજા શિક્ષણ લાવ્યું જેથી આટલા મોટા દેશનો કારભાર ચલાવવા માટે તેમને ગુલામ માનસના બાબુઓ મળી જાય. બીજી તરફ ભારતના ખુણેખુીથી કાર્યો માટે વિલાયત લઈ જઈ, યંત્રો વડે બનતો પાકો માલ ભારતને વેચી ભારતના ગૃહ ઉદ્યોગોની કમર તોડી નાખી. ત્રીજી ત૨ફ રમત ચાલી ‘ભાગલા પાડો ને રાજ્ય કરો'ની.
આ ખેલ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી ચાલ્યો. પહેલાં હિંદુઓને ટેકો આપી ‘જો બળવો સહળ થાત તો પાછું મોગલ મુસલમાનોનું જ રાજ્ય આવત. તમને શું મળત ?' જેવી ઉશ્કેરણીથી મુસ્લિમોને અળખામણા કર્યા. ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના થઈ તેમાં અંગ્રેજી અમલદારોનો હાથ હતો. પણ કોંગ્રેસને સંગઠિત થતી જોઈ અંગ્રેજ હાકેમો ચોંક્યા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના, તેમાં રમાતા રાજકારણના મોટા ખેલ, મુસ્લિમ લીગની સ્થાપના બંગાળના ભાગલા, મોર્લેમિન્ટો અને મોન્ટેગ્યુ ચેન્સફર્ડ સુધારાના નામે બંને કોમો વચ્ચે ખોદાતી ખાઈને ખિલાફત ચળવળ, ભેદનીતિ સફળ થતી રહી. ૩૭ની ચૂંટણી પછી બંને કોમો વચ્ચેની ખાઈ કદી ન પુરાય તેવી વિરાટ થઈ ગઈ માની,
૧૯૩૭માં મુસ્લિમ લીગનું પચીસમું અધિવેશન લખોમાં ભરાયું. તેમાં એવા આગઝરતાં ભાષણો થયાં કે ગાંધીજી બોલ્યા, ‘આ તો જાણે યુદ્ધની ઘોષણા કરતા હોય તેવું લાગે છે !' પછીના વર્ષમાં લીગની હજારો સભાઓ ભરાઈ, ૧૭૪ શાખાઓ ખૂલી, કોમી હુલ્લડો થયાં. લીગ થોડા પ્રાંતોની પેટા ચૂંટણીઓમાં જીતી. જો કે વધુ બેઠકો કૉંગ્રેસને જ મળી હતી.
અંગ્રેજો એ તક ઝડપી. ‘લીંગની માગણીઓ બાજુ પર રહી જશે.
ગાંધી જીવનનો અંતિમ અધ્યાચ વિશેષ
E નારાયણ દેસાઈ
લોકશાહી આવશે તો પહેલાં જે મુસ્લિમ રાજ હતું તે નહીં રહે.’ લીંગે નારો લગાવ્યો. ‘ઈસ્લામ જોખમમાં છે.’ ૩૭ થી ૪૬ સુધીના વર્ષોમાં લીગનો ફેલાવો કલ્પનાતીત ઝડપે થયો.
ઊષાંક
જાણે અજાણે આગમાં થોડું થી કૉંગ્રેસે પણ પૂર્યું, તેની મિટીંગોમાં ગવાતું વંદે માતરમ્, રાષ્ટ્રભાષા પ્રચારની તેની નીતિ, નઈ તાલીમ - આ બધું 'હિંદુ' છે કહી લીંગ તેનો વિરોધ કરતી . અંગ્રેજ સરકાર સીધી – આડકતરી મદદ કરતી રહી. અંગ્રેજોની સરકારી ફાઈલોમાં એવા કેટલાય પત્રો છે જેમાં આ બધું જોઈ સંતોષ વ્યક્ત થતો હોય, જેના એક હાકેમ બીજાને સલાહ આપતો હોય કે ‘ઝીણા જેવા છે તેવા, તેમને સાચો, તે આપણા માસ છે' કારણ કે અંગ્રેજોને કૉંગ્રેસની આઝાદીની માગણીને ટાળવા માટેનું ‘લઘુમતીના હિત'નું બહાનું ઝીણા પૂરું પાડી રહ્યા હતા. અંગ્રેજો અને ઝીણાનો સંબંધ ૧૯૪૬-૪૭માં વધર્તા વધતો ભાગીદારી સુધી પહોંચ્યો. અંગ્રેજોની મદદથી ઝીણા કૉંગ્રેસની પ્રતિષ્ઠા તોડના રહ્યા, પોતાની પ્રતિષ્ઠા વધારતા ગયા ને બ્રિટીશ શાસનને મજબૂત બનાવતા ગયા.
અને કોંગ્રેસ ? કોંગ્રેસ મજબૂત હતી, પણ તેના પર આઠ રાજ્યોનો વહીવટ કરવાની જવાબદારી હતી, ને લીગ પાસે કૉંગ્રેસનો વિરોધ કરવાનો એકમેવ કાર્યક્રમ હતો. કોંગ્રેસ સમાધાન, વાટાઘાટના પ્રયત્નો કરતી. પ્રયત્નો નિક્ક્સ જતા. વળી રાજનૈતિક કામ જેટલું ધ્યાન કૉંગ્રેસ રચનાત્મક કાર્યો પર આપી શકી ન હતી. જો આપી શકી હોત તો ખાદી, ગ્રામોદ્યોગ વગેરેના માધ્યમથી લાખો ગરીબ મુસલમાનોને વાળી શકાત. લીંગ પાસે તો આવી કોઈ કાર્યક્રમ હતો નહીં. જો કોંગ્રેસે ખંતપૂર્વક એ કર્યું હોત તો મુસ્લિમ આમજનતા તેના તરફ વળી હોત.
આ તરફ કોમવાદી હિંદુત્વવાદી તત્ત્વો સંગઠિત થતા હતા. સાવરકરે 'હિંદુત્વ' પુસ્તકમાં લખ્યું કે આ દેશમાં બે રાષ્ટ્ર છે. એક હિંદુ રાષ્ટ્ર, બીજું મુસ્લિમ રાષ્ટ્ર ' ઝીણાએ બે રાષ્ટ્રની વાત અહીંથી ઝીલી હોય તેમ પણ બને.
શુદ્ધ વિચારની શક્તિ શબ્દો કરતાં ઘણી વધારે હોય છે
***
વનનો અંતિમ અધ્યાય વિશેષાંક
વી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી
• Haj ellate eye [G [3]le i jaj lllale]!e opG3ll