SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન ફેબ્રુઆરી, ૨૦૧૩ કચાતત્ત્વ, સંગીત અને તત્ત્વજ્ઞાનના ત્રિવેણીસંગમ સમી અભ્યાસપૂર્ણ, અનોખી અને અપૂર્વ ।। શ્રી નેમ-રાજુલ કથા II જૈન ધર્મના તીર્થંકરો, એની વિભૂતિઓ અને મહાપુરુષોના જીવનચરિત્રમાં ઊંડું અવગાહન કરીએ તો તેમાં કથાનો રસ, જ્ઞાનનું તેજ, વિચારની દીપ્તિ. ભાવનાની ભળતા. તત્ત્વજ્ઞાનની ગરિમા અને માનવજીવનની ઉચ્ચતા દૃષ્ટિગોચર થાય છે. એ ચરિત્રોનાં જીવનની પ્રત્યેક રેખાઓમાં એમના જુદા જુદા રંગો પ્રગટ થાય છે અને એ સઘળા રંગો મળીને ચરિત્રની આગવી પ્રભા પ્રગટતી હોય છે. આ કથામાં એ સમયના ભારતવર્ષના ઇતિહાસના પતન અને ઉત્થાન વચ્ચે, સંસારના પ્રબળ રાગ અને દ્વેષની મધ્યે તથા જાતિઓના બંધન અને મુક્તિ વચ્ચે નૂતન વિચારધારાના તેજથી ચમકતા શ્રી તેમનાથ (અરિષ્ટનેમિ)ના ચરિત્રનું વર્ણન કરવામાં આવશે. એક સમયે પ્રજાનું દુષ્ટ રાજાઓના ત્રાસથી બચાવવા માટે ધર્મના તીર્થંકરો અને એની વિભૂતિઓના ચરિત્રો વિશાળ જનસમૂહનેમકુમાર શ્રીકૃષ્ણ સાથે યુદ્ધમાં જાય છે. જો કે અપ્રતિમ બળ ધરાવતા નેમકુમાર સતત વિચારે છે કે એક રાજને માટે કેટલા બધા રક્તપાતો થતા હોય છે, કેટલી અદેખાઈઓ અને કેટલા દ્વેષભર્યાં ખૂનખરાબા સર્જાતા હોય છે. આમ, રાજવી હોવા છતાં નેમકુમાર અહર્નિશ ચિંતન કરે છે કે સગાની સગાઈ વિસરાવે, વહાલાનાં વહાલ સૂકવે અને માણસની માણસાઈ ભૂલાવે એવા રાજવૈભવનો કોઈ અર્થ નથી. એમનું આ આંતરમંથન કથામાં ગૂંથી લેવામાં આવશે. સુધી પહોંચે અને એમાં રહેલા જીવનસંદેશને સહુ કોઈ પ્રાપ્ત કરે એવું આર્થોજન કર્યું. એ પ્રમાણે તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી, ગુરુ ગૌતમસ્વામી અને ભગવાન ઋષભદેવની કથાનું એના ઘટના-પ્રવાહ તથા એના તત્ત્વજ્ઞાનની પીઠિકા સાથે જાણીતા સાહિત્યકાર અને જૈનદર્શનના આંત૨રાષ્ટ્રીય વિદ્વાન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ દ્વારા આલેખન થયું. એ રીતે ‘મહાવીર કથા’, ‘ગૌતમકથા' અને ‘ૠષભકથા'ની કથાત્રથી થોજાઈ. ડૉ. કુમારપાળ દેસાઈની રસપ્રદ અને હૃદયસ્પર્શી પ્રસ્તુતિએ છેલ્લાં ત્રણ વર્ષથી આગવું આકર્ષણ જમાવ્યું છે. મુંબઈના પાટકર હૉલમાં પ્રત્યેક મહાવીર જયંતીએ ચીજાની આ ત્રિદિવસીય કથાએ એક નવી જુવાળ જગાવ્યો છે અને તેને પરિણામે માટુંગામાં ‘મહાવીર કથા'ની તેમજ જૈન સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયા, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુર અને લંડનમાં કેન્ટન વિસ્તારના દેરાસરની પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે ‘ગૌતમકથા'નું આયોજન કરવામાં આવ્યું. આ સંદર્ભમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘે એક નવી કેડી કંડારી અને સંઘના મંત્રી શ્રી ધનવંતભાઈ શાહે એક વિશિષ્ટ પરિકલ્પના કરી. જેન એપ્રિલને બુધવારે મુંબઈના ભારતીય વિદ્યા ભવનમાં શ્રીનેમ-રાજુલ કથા'નું આયોજન ક૨વામાં આવ્યું છે. આ નેમ-રાજુલની કથા અનેક દૃષ્ટિએ વિરલ અને વિશિષ્ટ બની રહેશે.. કથાતત્ત્વ, સંગીત અને તત્ત્વજ્ઞાનના ત્રિવેણીસંગમ દ્વારા યોજાતી આ કથામાં ડૉ. કુમારપાળ દેસાઈએ એમની પ્રભાવક અને હૃદયસ્પર્શી વાણીથી સહુને મંત્રમુગ્ધ કરી દીધાં. હવે એ શ્રેણીમાં આગામી ૨૨મી એપ્રિલ ને સોમવા૨, ૨૩મી એપ્રિલ ને મંગળવાર તથા ૨૪મી હિંસાના દાવાનળ વચ્ચે રહીને રાજકુમાર નેમ વિચારે છે કે મારો તો ધર્મ અહિંસાનો છે. મારું રાજ છે પ્રેમનું. જે બળથી હિંસા થાય તે ખળ મારે માટે નકામું છે. મારા પ્રેમના રાજ્યને કોઈ સીમાડા હોતા નથી. આ કથામાં નૈમકુમારના આંતરજીવનની ભવ્યતાની ભગવાન મહાવીરના જન્મકલ્યાણક દિવસ નિમિત્તે શ્રી મુંબઈ જૈન યુવક સંધ પ્રસ્તુત કરે છે જૈન ધર્મના વિશ્વ પ્રચારક ડૉ. કુમારપાળ દેસાઈતી પ્રભાવક વાણી દ્વારા 11 શ્રી નેમ રાજુલ કથા 11 તા. ૨૨ સોમ, ૨૩ મંગળ, ૨૪ બુધવાર ૨૦૧૩ સમય : સાંજે ૭ થી ૯ સ્થળ : ભારતીય વિદ્યા ભવન-ચોપાટી-મુંબઈ. પ્રર્વેશ માટે અત્યારથી જ સંસ્થાના કાર્યાલયમાં આપનું નામ નોંધાવો-૨૩૮૨૦૨૯૬ સૌજન્યદાતા માટે વિનંતિ એક, બે, અથવા બર્ણ દિવસ માટે સૌજન્યદાતા આવકાર્ય ધનનો સદ્ઉપયોગ કરી જ્ઞાન કર્મનું પુણ્ય પ્રાપ્ત કરવા ગુણીજનોને વિનંતિ. વિચારદાન શ્રેષ્ઠ દાન છે. ઓળખની સાથેસાથ શ્રી કૃષ્ણ અને બલરામની ભૂમિકા પણ દર્શાવવામાં આવશે. શ્રી નૈમનાય જમના નદીને કાંઠે આવેલા શૌરીપુરના રાજા સમુદ્રવિજયના પુત્ર હતા. કંસ વધમાં શ્રીકૃષ્ણ અને બલરામને દો૨ના૨ રાજા સમુદ્રવિજય હતા અને તેના ફળ રૂપે તેઓને પણ પોતાના રાજપાટ છોડી, હિજરત કરી, દ્વારકા આવવું પડ્યું હતું. અહીં સંઘરાજ્યોનાં તેઓ પણ એક સભ્ય બન્યા અને આ ત્યાગવીર અને શૂરવીર રાજવી સમુદ્રવિજયના પુત્ર ભગવાન નેમનાથે (અરિષ્ટનેમિએ)
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy