SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પ્રધાન નથી. અંતે તો આચાર જ મુખ્ય છે. સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર-આ ચાર જ મોક્ષના દ્વારનું દર્શન કરાવી શકે છે. જૈન ધર્મના સર્વ સંપ્રદાયોના તત્ત્વને સમાવે એવા ગ્રંથનું સર્જન કરવાનું વિનોબાજીએ વિચારી એક વિશાળ યોજના બનાવી. આખરે વિનોબા સત્યગ્રાહી અને સમન્વયકારી તો હતા જ. અને પોતે રચેલા અન્ય ધર્મના સારના પુસ્તકોમાં આ જૈન ધર્મ સારનો ખૂટતો મણકો પણ એમને પૂરવો હતો જ. અને આ ભગીરથ કમ માટે જૈન ધર્મ તત્ત્વના વિદ્વાન બ્રહ્મચારી તપસ્વી જિનેન્દ્ર વર્ણીજી એમને મળી ગયા. વર્ણીજીએ જૈન સંપ્રદાયના બધાં ગ્રંથોનો અભ્યાસ કરી એક પુસ્તક તૈયાર કરી એને ‘જૈન ધર્મસાર શીર્ષક આપ્યું. પહેલાં એક હજાર નકલો તૈયાર કરી જૈન સાધુઓ અને વિદ્વાનોને મોકલાવી. સૂચનો માટે નિમંત્રણ આપ્યું. વિદ્વાનોના સૂચનો આવ્યાં, ગાથાઓ સૂચવાઈ, અને એ ધ્યાનમાં રાખી બીજું સંકલન શ્રી દલસુખભાઈ માલવણિયાએ કર્યું, ફરી સૂચનો નિમંત્ર્યા, સૂચનો આવ્યા અને વર્ણીજીએ ત્રીજું સંકલન કર્યું અને નામ આપ્યું “જિાધમ્મ’. દિલ્હીમાં જૈન ધર્મના સર્વ સંપ્રદાયના લગભગ ૩૫૦ વિદ્વાનોની બેઠકમાં આ સંકલન પ્રસ્તુત થયું, તા. ૨૯, ૩૦ નવેમ્બર-૧૯૭૪. બે દિવસમાં ચાર બેઠકો થઈ. ચારે બેઠકોનું અધ્યક્ષસ્થાન સ્વીકાર્યું મુનિશ્રી સુશીલકુમારજી, મુનિશ્રી નથમલજી, મુનિશ્રી જનક વિજયજી તથા ઉપાધ્યાય મુનિશ્રી વિદ્યાનંદજી. આ ચારે બેઠકોને આશીર્વાદ મળ્યાવંદન. આ શોધ હમણાં બે વરસ પહેલાં જ થઈ. આચાર્ય તુલસીજી, આચાર્ય ધર્મસાગરજી, આચાર્ય શ્રી વિજય સમુદ્રસુરિજી તથા આચાર્ય શ્રી દેશભુષાજીના. આ ચારે અોની સહાયતાથી આત્મ-પ્રકાશી વર્શીએ ગ્રંથને અંતિમ સ્વરૂપ આપ્યું, જે સર્વમાન્ય થયું. પ્રબુદ્ધ જીવન આ સર્વ પ્રક્રિયા પૂ. વિનોબાજીના પ્રત્યક્ષ અને પરોક્ષ માર્ગદર્શનથી થઈ. પણ વિનોબાજીએ ક્યાંય પોતાનો કોઈ આગ્રહ પ્રદર્શિત ન કર્યો. એઓ માત્ર નિષ્પક્ષ દૃષ્ટા જ રહ્યાં કારણ કે એ જાણતા હતા કે એ પોતે -જૈન છે. એમનો આંતરભાવ નો સમન્વયનો જ હતો. જુલાઈ, ૨૦૧૩ સુધી આ ‘જૈન-ધર્મ-સાર' ‘સમાસુત્ત 'નું અધ્યયન થતું રહેશે. છેલ્લાં દોઢ હજાર વર્ષમાં નહોતું થઈ શક્યું તેવું એક બહુ મોટું કાર્ય સંપન્ન થયું. એમાં બાબા માત્ર નિમિત્ત બન્યા, પણ મને પાકી ખાત્રી છે કે એ ભગવાન મહાવીરની કૃપા છે.' ૨૫-૧૨-૭૪, ચાર ખંડ-૧. જ્યોતિમુખ, ૨. મોક્ષ માર્ગ, ૩. તત્ત્વદર્શન, ૪. સ્યાદ્વાદ, ચુમાલીસ પ્રકરણો ૭૫૬ (૧૦૮૪૭) ગાથાઓ, જેમાં જૈનધર્મ, તત્ત્વદર્શન તથા આચાર માર્ગનો સર્વાંગીણ સંક્ષિપ્ત પરિચય આવી જાય છે. મૂળ પ્રાકૃત ભાષાના આ સમા સુત્તને શ્રમણ સૂત્રમ્ પણ કહેવાયું, એમાં સમાંતરે સંસ્કૃત ગાથા અને ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં એનું ભાષાંતર પણ થયું છે. આ બધી ગાથાઓ જૈનોના આગમો અને પ્રાચીન ગ્રંથોમાંથી લેવાયેલી છે. કઈ ગાથા કયા ગ્રંથમાંથી છે એ વિનોબાજીના સૂચનથી નથી દર્શાવાયું. કારણકે જો કઈ ગાથા કયા ગ્રંથમાંથી લેવાઈ છે એ જો જણાવાય તો પાછા સંપ્રદાયોમાં ચર્ચા-કલહ થાય કે અમારા આ ગ્રંથમાંથી આ ગાથા કેમ નહિ, અથવા ‘આ’ ગ્રંથને કેમ સ્થાન નહિ ? વિનોબાજી જેોની નર્સનસના જાણકાર હશે ? આ ગ્રંથો છેઃ ઉત્તરાયન સૂત્ર, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, દ્રવ્ય સંગ્રહ, ગોમટસાર, પંચાસ્તિકાય, દશ વૈકાલિક સૂત્ર, ભગવતી સૂત્ર, પંચ પ્રતિક્રમા, વગેરે લગભગ ૬૧ ગ્રંથો. આ ‘સમાસૂત્ત’ના સર્જન પહેલાં સંકલન પુસ્તકો તૈયાર થયા હતા, જેમાં શ્વેતાંબર મુનિ ચૌથમલજી દ્વારા, ભગવત ગીતા જેવો ૧૮ પ્રકરણનો ‘નિગ્રંથ પ્રવચન’, આચાર્ય બુદ્ધિસાગર દ્વારા ‘મહાવીર ગીતા’ અને ‘પંડિત બેચરદાસ’ દ્વારા ‘મહાવીર વાણી', પરંતુ આ પુસ્તકોમાં લગભગ એક જ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ હતું એટલે એ સર્વમાન્ય ન થયા. અને એનો વિશેષ પ્રચાર પણ ન થયો. પરંતુ અ-જૈન વિનોબાજીએ ‘સમાસુત્ત' દ્વારા સર્વ ફિરકા માન્ય જે વિરાટ કાર્ય કર્યું તેવું જૈન ધર્મના છેલ્લા ૨૫૦૦ વર્ષમાં નથી થયું, એટલે આ મહાન કાર્ય માટે જૈન શાસન એમનું ઋણી રહેશે. પરંતુ અતિ પરિશ્રમથી અને સમન્વય દૃષ્ટિથી સર્જાયેલા, સર્વ જૈન સંપ્રદાય સમન્વય જેવા આ ‘સમણસુત્તું' જેવા ગ્રંથને જૈનોએ કેટલો આવકાર્યો ? ૧૯૭૫માં પ્રકાશિત થયેલા આ ગ્રંથની માંડ દશેક આવૃત્તિ થઈ હશે. એનો અનુવાદ સંસ્કૃત, ગુજરાતી, હિંદી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં થશે. અન્ય ભાષામાં થયો હોય તો એની માહિતી મારી પાસે નથી, એટલો આ ગ્રંથનો શાંતપ્રચાર છે. આવા ગ્રંથને તો હાથીની અંબાડી ઉપર બિરાજાવી ગામેગામ દર્શનીય કરવો જોઈએ. ચતુર્વિધ ૫૦૦/-(U.S. $ 50) ૫ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦/-(U.S. $ 80) ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦/-(U.5. $180) • પૂ. વિનોબાજીની પ્રેરણા, તપસ્વી વર્શીજીનો પ્રંચડ પુરુષાર્થ, સર્વ સંપ્રદાયના અનેક વિદ્વાન પંડિતો અને મુનિજનોનું સંશોધન, સર્જન, સંવર્ધન, સંયોજન અને સમર્થને પરિણામે જે જૈન તત્ત્વજ્ઞાનનો પ્રતિનિધિ ગ્રંથ સર્જાયો તે ‘સમાસુત્ત' ગ્રંથ, જેનું પ્રકાશન તા. ૨૪-૪-૧૯૭૫ના મહાવીર જયંતીને દિવસે થયું અને પહેલે જ દિવસે બધી નકલો વેચાઈ ગઈ. આ મહાન કાર્યના સર્જનનો ઇતિહાસ દીર્ઘ છે, અહિં તો માત્ર પરિચયાત્મક લાઘવ ‘સમાસુત્ત'નું સર્જન એ જૈન ઇતિહાસની ૨૧મી સદીની આ મહાન ઘટના છે. વિનોબાજીએ સંતોષ વ્યકત કરતાં લખ્યું કે ‘હવે આગળ ઉપર જ્યાં સુધી જૈન ધર્મ ટકશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ ધર્મો પણ હશે ત્યાં ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૧ વર્ષનું લવાજમ રૂા. ૨૦૦/-(U.S. $ 20) પરંતુ આપણા વિદ્વાન પંડિતોમાંના એક પ્રકાંડ વિદ્વાન અને આગમોના અભ્યાસી પૂ ડૉ. સાગરમલજી જૈને ખૂબ જ પરિશ્રમ બાદ પૂ શોધી આપ્યું કે કઈ ગાથા કયા ગ્રંથમાંથી છે. પૂજ્યશ્રીને આપણા
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy