SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૩ ઘટના હોતી નથી, પરંતુ એનો વારસો કે એની પરંપરા છેક વર્તમાન સમય સુધી લંબાઈ હોય છે. એ ઘટનાનો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સંદર્ભ હોય છે. એ ઘટનાના શબ્દોના મર્મ માત્ર એ ઘટના સાથે જ નહીં, પરંતુ સમગ્ર સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય છે. જે સ્થળોએ ઘટના બની હોય છે, એ સ્થળોનું પણ આગવું મહત્ત્વ અને પ્રભાવ હોય છે. આ રીતે કથા એટલે માત્ર ઘટનાની રસાળ જમાવટ નહીં, પરંતુ સમગ્ર સાંસ્કૃતિક સંદર્ભનું પ્રાગટ્ય. આ વર્ષે ‘નેમ-રાજુલ કથા'નો પ્રારંભ નેમિનાથ વંદનાથી કર્યા બાદ ડૉ. કુમારપાળ દેસાઈએ કથાના પાવનત્વની વાત કરી હતી. એમણે કહ્યું કે વિકથા, વિવાદ અને વ્યર્થતા છોડીએ તો જ તીર્થંક૨ની કથાનું પાવનત્વ આત્મસાત્ કરી શકીએ. પુત્રીના લગ્નની વાત હોય, કોઈ હત્યાની ઘટના હોય કે પછી ચૂંટણીના કોઈ સમાચાર હોય, તો આપણે એકધ્યાને સાંભળીએ છીએ, તો પછી આ પ૨માત્માની પાવન કથા તો પૂર્ણ એકાગ્રતાથી સાંભળવાની હોય. એમાં સ્નાન કરીને આત્માને શુદ્ધ, બુદ્ધ અને સાત્વિક કરવાનો છે. એ પછી કથાના મર્મને પ્રગટ કરતાં ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું કે યુગને જોડે તે કથા, સંસારને ઉજાળે તે કથા, ધર્મને જગાડે તે કથા, સંવાદને સર્જે તે કથા. કથામાં વક્તા અને શ્રોતા નહીં. વક્તા અને શ્રોતા એક બની જાય અને કોઈ ત્રીજું જ બોલતું હોય. જ્યાં ધ્યાન અને ધ્યેય એક બની જાય. પ્રબુદ્ધ જીવન ૧૫ મહિમા નથી, પણ સ્નેહનું ભવોભવનું સાતત્ય છે. જ્યાંવિવાહ પાછળ ભોગ નહીં, પણ અધ્યાત્મ અનુભવ રહેલો છે. પ્રેમની અનેક વ્યાખ્યા મળે છે અને છતાં પ્રેમ અવ્યાખ્યાઈ રહ્યો છે એમ કહીને એમણે એ‘નારદભક્તિસૂત્ર'માં આલેખાયેલી પ્રણયવિભાવના આલેખી છે. अनिर्वचनीयं प्रेमस्वरूपम् मूकास्वादनवत् । प्रकाशते क्वापि पात्रे । गुणरहितं कामनारहितं प्रतिक्षणं वर्धमानमविच्छन्नं सूक्षमतरमनुं भवरुपम ।। (પ્રેમનું સ્વરૂપ અવર્ણનીય છે. મૂંગાના સ્વાદ સમાન છે, એ કોઈ અધિકારીમાં જ પ્રકાશિત છાય છે. એ ગુણરહિત, કામનારહિત, પ્રતિક્ષણ વર્ધમાન, અવિચ્છિન્ન, અધિક સૂક્ષ્મ તથા અનુભવસ્વરૂપ છે.) (૫૧-૫૨) આવા દિવ્ય સ્નેહનું અહીં વર્ણન છે અને તે પણ તીર્થંકરના જીવનનું. એ પછી શ્રોતાઓને સવાલ કર્યો કે ખરેખર આપણે તીર્થંકરને પામ્યા છીએ ખરા? એમના ચંદન, પૂજન અને અર્ચન કરીએ છીએ પણ સાથોસાથ એમના જીવનનો ગહનતાથી વિચાર કર્યો છે ખરો ? પછી એક નવો વિચાર આપતાં કહ્યું કે તીર્થંક૨ માત્ર શાંતિ નથી આપતા, એ તો પ્રસન્નતા આપે છે. વ્યક્તિ શાંતિ ઘણી બાબતમાંથી મેળવી શકે છે. પ્રકૃતિના ખોળે જાય, ટ્રાંક્વિલાઈઝરની ગોળી લે કે પછી દોડધામભર્યા જીવનમાંથી બહાર નીકળીને થોડો આરામ કરે. તીર્થંકર ચિત્ત-શાંતિ નહીં, બલ્કે પરમ પ્રસન્નતા આપે છે અને તે પણ અનેક સંકટ વચ્ચેની પ્રસન્નતા. શાંતિ આજે હોય અને કાલે ન પણ હોય, જ્યારે પ્રસન્નતાનો પરમ સ્પર્શ પામેલી વ્યક્તિના હૃદયમાં સદાય એનો વાસ હોય છે. શાંતિના સરોવ૨માં કોઈ કાંકરો નાંખે તો અનેક વમળ ઊભાં થાય, જ્યારે પ્રસન્નતાના સાગ૨માં કોઈ કાંકરો નાંખે તો કશું ન થાય. સાગર એને સહજ રીતે પોતાનામાં સમાવી લે, એમણે કહ્યું કે જો તીર્થંકરને ભૂલી જઈશું તો ધર્મનો પાર્યો ગુમાવી બેસીશું અને પાયા વિનાની ઈમારત કેવી હોય? ધર્મને કથાનો પ્રારંભ કરતા ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું કે આ કથા એ વિરલ પ્રેમની કથા છે. આ કથા એ પ્રાણી-મૈત્રીની કથા છે. આ કથા એ જીવનની ઊર્ધ્વયાત્રાની કથા છે અને કષાયમુક્તિથી માંડીને મોક્ષપ્રાપ્તિ સુધીની કથા છે. નેમના સંતાન નિર્બળ ન હોય, એમ કહીને એમણે કહ્યું કે અહીં આલેખાયેલો પ્રેમ એવો છે અભિનંદન – ભૂરિ ભૂરિ વંદના · ભૂરિ ભૂરિ વંદતા – અનુમોદતા સૌ પ્રથમ તો લેક્ચર વ્યાખ્યાન કરતાં તદ્દન જુદી જ પરિકલ્પનાતીર્થંકર ભગવંતો ગણધરોના જીવન તથા આચરણ દ્વારા ઉપદેશને કથા સ્વરૂપે રજૂ ક૨વાની, તે અંગે જરૂરી વાતાવરણ ઉભું કરવાનું સુંદર આયોજન, વિષયને તારુ કરતી કથાનો લાભ આપવા બદલ આપને અભિવંદન. જ્યાં સ્પર્શ નથી ને પ્રેમ છે, જ્યાં મિલન નથી ને મેળ છે જ્યાં દેહ નથી ને આત્માનો અનુભવ છે. અને જ્યાં પાણિગ્રહણ નથી ને આભાર માનવા માટે શબ્દો નથી. પરમ પ્રસન્નતા છે. આ એક પ્રેમકથા નથી પરંતુ દુન્યવી પ્રેમથી પરમાત્મા પ્રીતિ સુધીની પાવન યાત્રા છે. આંતરિક પ્રેમથી ઉત્કૃષ્ટ યોગ સુધીનો અનુભવ છે. ભારતીય સંસ્કૃતિના પ્રણયના સર્વોચ્ચ આદર્શનું અહીં આલેખન છે. જ્યાં આવેગશીલ મોહનો આ સુંદર અતિ ઉપયોગી પ્રવૃત્તિનું ભગીરથ કાર્ય ઉપાડી લેવા માટે અને આયોજન કરવા માટે સંઘના હોદ્દેદારો તથા સર્વે કાર્યકરોના કથા શ્રવણના સર્વ લાભાર્થી હંમેશાં ઋણી રહેશે. આપ સર્વનો પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઈએ કથામાં તરબોળ કરવા વિષે તથા શ્રોતાઓ તેમના કેટલા ઋણી રહેશે તે રજૂ કરવા મારી પાસે શબ્દો નથી. તેમનો જે લાભ મળે છે તે પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા જ ગણી શકાય. આપ સર્વના આભાર સાથે લી. આપનો હિંમત ગાંધીના જય જિનેન્દ્ર સંપ્રદાયમાં વહેંચી નાંખ્યો, સંપ્રદાયમાંથી ગચ્છ, ગચ્છમાંથી સંઘાડી અને સંઘાડામાં પણ અમુક કૃપાવંત પ્રિય મહાત્મા - આમ તીર્થંકર સુધી પહોંચી શક્યા નહીં. વર્તુળ એટલું નાનું કરતા ગયા કે એક નાનકડા બિંદુ પર આવીને અટકી ગયા! તારે તે તીર્થ અને તીર્થને સ્થાપે તે તીર્થંકર. જગતમાં ત્રણ પ્રકારના સાગર મળે છે. (૧) મોહસાગર,
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy