________________
૭.
પ્રભુ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
મહાવીર સ્વામી જીવન દર્શન E૫. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરીશ્વરજી
પચ્ચીસો વરસો પૂર્વે એક કુંજ પ્રકાર નો પ્રગટો જુગ જૂનો અંધકાર વિદ્યારતો ભારત ભાગ્ય રવિ ચમકા, કોયલ–મોર કરે કલશોર ને વાયુ વસંતનો વાઈ રહ્યો ક્ષત્રિયકુંડની કુંજમહી ત્રિશલા-કૂખે પુત્રનો જન્મ થયો. બાળને લાડ લડાવતી માવડી ઘોડિયાની દોરી ખેંચતી'તી સુર મધુર મધુર સુક્શાવીને ઉરના અમૃત સિંચતી'તી, ‘વીર થજે, ગંભીર થજે તું' આશિષ એવી આપતી'તી લળી લળી નિજ લાલના લોચન વહાલ ભરીને નિહાળતી'તી. પુત્રના લક્ષણો પારણેથી પળવાર મહીં પરખાઈ ગયાં બાળવયે વર્ધમાનકુમાર તો મહાવીર નામે પંકાઈ ગયા. એક દી' સાપને દેખીને સાથીઓ બાપ રે બાપ પોકાર કરે કાળ ભયંકર ભાળ્યો છતાં ભયભીત થયા વિણ હાથ ધરે !
રૂપ પિશાસ્ત્રનું ધારીને દેવતા વીરને ઊંચી પીઠ પરે નાનડો બહાદુર બાળકુમાર આ દેવને મુષ્ઠિ-પ્રહાર કરે ! આમ અનેક પરાક્રમ કરતાં કિશોરમાંથી યુવાન બને માત-પિતાના માનને ખાતર દેવી પદાનો હાય રે, વૈભવમાં એનો વાસ છતાં યે જળ-કમળની જેમ રહે ભાંગી છતાં યે જોગીની જેમ જ રાગી થતાં ય વિરાગી રહે ! સર્પની કાંચળી માફ એક દી' આ સંસારનો ત્યાગ કરે રેલ મહેલાતાંમાં વસનારો હવે જંગલ જંગલ વાસ કરે ! ચોર અરણ્યે ધૂમતો જાતો જોગી આ પગપાળો માન મળે અપમાન મળે કે આપે ભલે કોઈ ગાળો ! મારગ એનો જંગલ-ઝાડી ને કંટક ઝાંખરાવાળો કંઈ કંઈ વેળા સાથમાં રે'તો મંખલીપુત્ર ગોશાળા ! આત ને ઉપસર્ગની ફોજની ફોજ તેને પડકારની'ની આંધી-તોફાનને વીજ કડાકે કુદરત પછા લલકારતી'તી! દેવ ને દાનવ, ને વળી માનવ, પશુપંખી કંઈ ઝંખી રહમાં હસતે મુખડે તો ય મહાવીર સહુનું મંગલ ઝંખી રહ્યાં. દુ:ખથી લેશ નહિ કરનાર એ સામેથી દુઃખને ડારતો તો સુખની શીતળ છાંય તજીને દાવાનળે ડગ માંડતો'તો પાડનાં હાડ તૂટવાં પા એ પડછંદ બની ધીર ધારતો તો સહાય ક૨વા ઈંદ્ર આવ્યા ત્યારે ઈંદ્રને પણ વારતો'તો ધોર અંધકાર સંકટ વચ્ચે આતમ-સપના માલતીની ઝે૨ હળાહળ ઘૂંટ ગળી જઈ આંખ અમી વરસાવતી'તી! પ્રેમની પાનધાર નિરંતર પાપીના પાપ પખાળતી'તી સ્નેહ-કરુણાની ભાવના એની ડૂબતાં વ્હાણ ઉગારતી'તી!
એપ્રિલ, ૨૦૧૩
ચંડકોશી જેવા ભીષણ નાગને નાથવા વીર વિહાર કરે ઝેર ભર્યાં કંઈ ડંખ દીધાં તો યે એને ઉ૫૨થી પ્યાર કરે! ભાન ભૂલી ભરવાડ ભલેને કાનમાં ખીલા પ્રહાર કરે આતમ-ભાવને ઓળખનારો દેહની ના દરકાર કરે.
એક દી' શિષ્ય બનેલ ગૌશાળો ગુરુને ભાંડતો ગાળો સર્વજ્ઞ છું હું મહાવીર જેવો એવો કર્યો એ ચાળો ! તોજોલેશ્યા છોડી ને પ્રગટાવી ભીષણ ઝાળો વીરને બદલે ભીષણ આગમાં બળી રહ્યો ગૌશાળો !
ક્ષમા તણા ભંડાર પ્રભુજી મારે એને પણ તારે ચંદ્ર સરિખા શીતળ વેણ કહીને બતાને ઠારે કંઈ કંઈ દિવસ-માસ તણા ઉપવાસ કરી વ્રત ધારે ચંદનબાળાની જંય પીડાતી અબળા કંઈક ઉગા ગૌતમ જેવા પંડિતોને સત્યનો પંથ બતાવ્યો
સેકિ જેવા રાજવીઓને ધર્મનો મર્મ સુજાવ્યો. રોહિણી જેવા ચો૨-કુટિલોને મુક્તિનો માર્ગ દેખાડ્યો ! મેઘકુમાર સમાન જુવાનોને જીવન-મંત્ર સુઝાડ્યો. તે સર્મ ધર્મને નામે ખરેખર પાખંડીઓનું રાજ હતું યજ્ઞ મહીં નિર્દોષ બિચારાં પશુઓનું બલિદાન થતું ! કંચન-કામીની કાજ કંઈ કેટલાઓનું લોહી રેડાઈ જતું દંભ ને દાનવતા દેખીને દિલ એનું વર્સોવાઈ જતું ! ગંગાના નિર્મળ નીર સરિખી પાવનકારી વાળી હિંસાની બળતી આગમાં જાવો છોટે શીતળ પાણી એને ચરણે આવીને ઝુકે કંઈ રાજા કંઈ રાણી સિંહ ને બકરી, વેર વિસારી સ્નેહ રહ્યાં છે માર્શી! સાડા બાર વરસ સુધી એણે જોર તપસ્યા સાથે આતમ-ધ્યાનમાં લાગી રેતી શાંત અને સ્મિત સમાધિ સંસારનાં રોગ પારખ્યાં એણે કેવળજ્ઞાનને સાધી ઔષધિ દીધી કે દૂર ટળે સૌ આધિ-વ્યાધિ-ઉપાધિ ! જાણી લીધું કે જીવનયાત્રા થવા આવી હવે પૂરી વિહારનો ક૨ી અંત પ્રભુજી આવી વસ્યા પાવાપુરી અંતિમ શ્વાસ સુધી તો એમન્ને અખંડ દેશના દીધી આસો અમાસની રાતને ટાણે નિર્વાણની ગતિ લીધી! ધરતી પરનો સૂરજ આથમ્યો રાત થઈ ગઈ કાળી અંતરને અજવાળવા કાજે ઉજવે લોક દિવાળી! પાવનકારી પ્રેમળ જ્યોતિ દેતી પાપ પખાળી અંધકારે અટવાઈ રહેનોની વાટ દીયે અજવાળી ! mકવિ શાંતિલાલ શાહ (મહાવીર દર્શન)