________________
૬૪
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
એપ્રિલ, ૨૦૧૩ ભવિષ્યવાણી
| ડૉ. રેણુકા પોરવાલ [ ડૉ. રેણુકાબહેને “શ્રીમદ્ બુદ્ધિસાગરજી' વિષય પર પીએચ.ડી. કર્યું છે. મુંબઈ યુનિવર્સિટી જેન એકેડેમીમાંથી ‘ડિપ્લોમા ઇન જેનિઝમ' તથા ડિપ્લોમા ઇન ઇન્ડિયન એસ્થેટિક્સ' કરેલ છે. તેઓ વિઝિટિંગ લેકચરર તરીકે સેવા આપે છે અને જ્ઞાનસત્ર તથા જૈનસાહિત્ય સમારોહમાં અભ્યાસપૂર્ણ નિબંધો રજૂ કરે છે. ]
ભવિષ્યવાણી એક દિન એવો આવશે એક દિન એવો આવશે, મહાવીરના શબ્દો વડે સ્વાતંત્ર્ય જગમાં થાવશે,
| સ્વાતંત્ર્ય જગમ થાવશે. સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં શુભ દિવ્ય વાદ્યો વાગશે, બહુ જ્ઞાનવીરો, કર્મવીરો જાગી અન્ય જગાવશે... (૧) અવતારી વીરો અવતરી કર્તવ્ય નિજ બજાવશે. અશ્રુ લુહી સો જીવનમાં શાંતિ ભલી પ્રસરાવશે... (૨) સહુ દેશમાં, સહુ વર્ણમાં, જ્ઞાનીજનો બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુખીનો કરુણા ઘણી મન લાવશે.. (૩) સાયન્સની વિદ્યા વડે શોધો ઘણી જ ચલાવાશે, જે ગુપ્ત તે જાહેરમાં અદ્ભુત વાત જણાવશે... (૪) રાજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે, હુન્નર કલા સામ્રાજ્યનું બહુ જોર લોક ધરાવશે.... (૫) એક ખંડ બીજા ખંડની ખબરો ઘડીમાં આવશે, ઘરમાં રહ્યા વાતો થશે, પરખંડ ઘર સમ થાવશે... (૬) એક ન્યાય સર્વે ખંડમાં સ્વાતંત્ર્ય ન્યાયો થાવશે, બુધ્યબ્ધિ પ્રભુ મહાવીરનાં તત્ત્વો જગતમાં વ્યાપશે... (૭) (ભાગ- ૮, પૃષ્ઠ-૪૨૦-૪૨૧, સંવત ૧૯૭૦, આસો સુદ-૧, રવિવા૨)
| આ, બુદ્ધિસાગરસૂરિ કવિ પરિચય
યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજીનો જન્મ વિજાપુરના શીવા પટેલના ઘરે વિ.સં. ૧૯૩૦માં શિવરાત્રીના દિને- મહા વદ ચૌદશે થયો હતો. સંસારી નામ બહેચરદાસ. કિશોર વયે એકવાર
રવિસાગરજી મહારાજ સાહેબને ભેંસની અડફેટે આવતા બચાવ્યા ત્યારથી તેઓ જૈન સાધુઓના સંપર્કમાં રહેવા લાગ્યા. મહેસાણાની યશોવિજય સંસ્કૃત પાઠશાળા'માં જૈન ધર્મ અને અન્ય ધર્મોના ગ્રંથોનું અધ્યયન કર્યું. ૨૫ વર્ષની ભરયુવાનીમાં દીક્ષા લઈ બુદ્ધિસાગરજી બન્યા. તેમનું આયુષ્ય ફક્ત ૫૧ વર્ષનું હતું. દીક્ષા પર્યાયના ૨ ૫ વર્ષમાં તેમણે સાહિત્યના દરેક પ્રકારો પર માતબાર કૃતિઓની રચના કરી.
આચાર્યશ્રીએ ધાર્મિક રંગે રંગાયેલા આત્મલક્ષી અધ્યાત્મ અને તજ્ઞાનથી ભરપુર અઢળક સ્તવનો, ગઝલો, ચોવીસીઓ, પદો ઉપરાંત નવીન પરિબળો ઝીલતાં કાવ્યોની રચના કરી. તેઓ પોતે સુધારક વિચારના હતા માટે ગુજરાતી સાહિત્યમાં પ્રસાર પામતીનવી લહેરમાં પોતાની લેખિનીને પણ દાખલ કરી. તેમની પદ્યસૃષ્ટિમાં બે ખંડ કાવ્યો ‘સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય' અને ‘ભારત સહકાર શિક્ષણ કાવ્ય'માં નદી અને વૃક્ષના સૌંદર્ય પરથી બોધ ગ્રહણ કર્યો છે તો ‘કક્કાવલી સુબોધ'માં બારાખડીના અક્ષરો પરથી અઢળક પદોની રચના કરી છે. તેમના બાર ભજન સંગ્રહોમાં દેશપ્રેમ, શ્રધ્ધાંજલિ, નગર વર્ણન, તીર્થદર્શન, અલખ ફકીરીની મસ્ત ગઝલો વગેરે ગીતો અઢારે આલમના લોકો માણી શકે એવા બિનસંપ્રદાયી છે.
ગુરુદેવે અધ્યાત્મ અને યોગ સાધનાના બળે જીવનમાં અપ્રતિમ સિદ્ધિ મેળવી હતી. અહર્નિશ ‘૩ૐ અર્હ મહાવીર''ના જાપમાં રમમાણ રહેતા. તેમને પ્રભુ મહાવીરના સિદ્ધાંતોને વિશ્વમાં ફેલાવવા હતા.
વિવેચન
ભાવ સૃષ્ટિને શબ્દદેહ આપ્યો છે. ગુરુદેવ બુદ્ધિસાગરજીએ આઠમા ભજન સંગ્રહમાં અગણિત કાવ્યોનું પ્રભુ મહાવીરના તેઓ અનુયાયી હતા. તેમણે પોતાના યોગબળથી સર્જન તો કર્યું છે પરંતુ એ સર્વને જાતે જ સરળ શૈલીમાં ભાવ અને ભવિષ્ય દર્શન કર્યું હતું. તે સમયે વિશ્વયુદ્ધમાં લાખો માણસોનો સંહાર વિષયવસ્તુને સ્પષ્ટ કર્યો છે. એમાં ૯૦૦ પૃષ્ઠો છે. એની પ્રસ્તાવના થયો હતો. આવા સમયે તેમણે પોતાના યોગબળથી ભવિષ્યમાં લોકો ૬૫ પૃષ્ઠોમાં આલેખી છે જેમાં એમણે પોતાના હૃદયમાં સ્કુરણા પામતી કેવી રીતે રહેશે, કોને પ્રાધાન્ય આપશે તથા જ્ઞાનીજનોની શી સ્થિતિ