SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ટોબર, ૨૦૧૨ આથી વિપરીત છે. વાસ્તવમાં એકતાની ભાવના વેદનાનાં આંસુ સારે છે. અનાયાસ હોઠ પર શબ્દો આવે છેઃ મેરા ભારત મ્યાન, પ્રદેશવાદ, કોમવાદ, ભાષાવાદ, જાતિવાદ વગેરેના પ્રબળ પ્રભાવ હેઠળ સમાજ ભિન્નભિન્ન વર્ગોમાં વિભાજિત થઈ ગયો છે. પ્રબુદ્ધ જીવન ૧૯ ક્રોધ કે આનંદ, જે તે આવેગના અતિરેકમાં માણસ બેજવાબદાર બની વિવેકબુદ્ધિ ખોઈ બેસે છે. સારા-ખરાબનો, ઈષ્ટ-અનિષ્ટનો ભેદ પારખવાની એની શક્તિ કુંઠિત થઈ જાય છે. આલિશાન ઈમારતના કાચ તોડતા ટોળાને જોઈ પોતે પણ એક પથ્થર ફેંકવા ચાય છે. ઘડિયાળના શૉરૂમમાં લૂંટફાટ થતી જોઈ બેચાર કાંડા-ઘડિયાળ પોતાના ખિસ્સામાં સેરવી દે છે. આની પાછળનું મુખ્ય કારણ છે સ્વકીય-પરકીય ભાવના અથવા અપના પાયાની ભાવ. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા. એ અખંડિતતા પરનો પહેલો પ્રચંડ પ્રહાર હતો. બે ભાઈઓના પરિવાર અલગ થતાં જુદાઈની દિવાલ ઊભી થાય છે. આ અમારું વાસણ, પેલું તમારું. આ અમારું ફર્નિચર, પેલું તમારું. એમ દેશના બે ટુકડા થતાં પ્રજા વચ્ચે વૈમનસ્ય અને દ્વેષની ભાવના ધર કરી ગઈ, કેટલાક મનોમન દિલાસો મેળવી લે છે કે આવી પરિસ્થિતિ નો વિશ્વમાં ઠેર ઠેર જોવા‘સોશિયલ સાયકોલોજી ઓફ મોડર્ન લાઈફ'માં જણાવે છે તેમ, ટોળું એટલે એક જ ઉત્તેજનાથી સમાન પ્રક્રિયાઓનો અનુભવ કરતા લોકોનો અસ્થાયી સમૂહ. ૐકાર્ટ (Descartes) નામના વિજ્ઞાને કહ્યું છેઃ I think, therefore I am. (મારી વિચારક્ષમતા મારા અસ્તિત્વનો પુરાવો છે.) આ વિજ્ઞાન ગુણગ્રાહી હતા. અન્યથા એમણે આટલું ઉમેર્યું હોત–આવેશમય અવસ્થામાં મારી વિચારશક્તિ ક્ષીણ થઈ જાય છે. એસ.એચ. બ્રિટ પોતાના પુસ્તક મળે છે. જેમ કે, ચીન-તિબેટ, ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા, પેલેસ્ટાઈન-ઈઝરાયલ વગેરે. અપરાધ ભાવમાંથી છુટકારો મેળવવા કરાતો આ તર્ક આત્મવંચના છે. કરૂણતા એ છે કે ભારતીય ઉપખંડની ભીતર પણ સમય-સમય પર આ પ્રક્રિયા જુદાજુદા સ્વરૂપે આકાર લેવા લાગી. સ્વતંત્રતાના ૬૫ વર્ષ પછી પણ તે થંભી નથી. જેમ કે, શાસનવ્યવસ્થાના એક ભાગરૂપે અથવા વહીવટી સરળતા ખાતર રાજ્યોની અને તેના જિલ્લાઓની પુનર્રચના થઈ. એ આવકાર્ય હશે, પરંતુ તેનાથી જો પ્રજામાં સંકુચિતતાની ભાવના જન્મે તો તે શાપરૂપ બની જાય છે. એક રાજ્યના લોકો બીજા રાજ્યમાં સ્થળાંતર કરીને સમરસ થઈ ગયા હોય, સુખેથી રોજીરોટી કમાતા હોય અને એકાએક કોઈ કારણસર ત્યાંની મૂળ પ્રજામાં સ્વકીય-પરકીય ભાવના જાગૃત થાય છે, એ જલદ સ્વરૂપ ધારણ કરે છે. પરિણામે સ્થળાંતરિત લોકો વતનમાં પાછા ફરવા ઉંચાળા ભરે છે. હવે તો રાજ્યના પણ ટુકડા થવાની નોબત આવી છે. ' ‘સમૂહ માનસ' (Group mind) સ્વકીય-પરકીય ભાવનાની આગમાં ઘી હોમવાનું કાર્ય કરે છે. સમૂહ માનસ એટલે સર્વસાધારણના મનમાં ઉત્પન્ન થતો સમૂહ મનોભાવ (mass mentality). આવૃત્તિમાંથી જ ‘ટોળું (mob) ઉદ્ભવે છે. માણસ બે મન ધરાવે છે–‘વ્યક્તિગત મન' અને ‘સમૂહ મન', (મન એક જ, પણ એના બે ખંડ) સૌ પ્રથમ ફ્રેન્ચ સમાજશાસ્ત્રી લેખોંએ (Lebon) સમૂહ મનો સિદ્ધાંત આપ્યો. વ્યક્તિ એકલી હોય ત્યારે શાણી ને સમજુ હોય છે. લાગણીની અભિવ્યક્તિમાં સમતુલિત હોય છે; પરંતુ ટોળાની સાથે જોડાતાં તેના જેવું આત્યંતિક વર્તન કરતી થઈ જાય છે. તે ઝનૂની, હિંસક અને ક્રૂર બની જાય છે. જાણે કે સભ્યતાના કેટલાય પગથિયાં એ ઊતરી જાય છે. આમ વ્યક્તિગત મન પર સમૂહ મન હાવી થઈ જાય છે. પરિણામે તિરસ્કાર, ટોળાકીય વર્તન એવો નશો છે કે વ્યક્તિ પોતાને બિનધાસ્ત બાદશાહ સમજે છે, કારણ કે એને અનામીપણું અથવા અજ્ઞાત રહેવાની નિરાંત (Sense of anonymity) પ્રાપ્ત થાય છે. તોફાન કે ભાંગફોડમાં પોતાનો કેટલો હાય છે, એ ક્યાં કોઈ જાણી શકવાનું છે! કંઈક ખોટું કર્યાની લાગણી કે સમાજનો ડર લગભગ નામશેષ થઈ જાય છે. બધા નિશ્ર્ચિતપણે એકસરખું વર્તન કરે છે. ૧૯મી સદીમાં પશ્ચિમમાં રંગભેદ નીતિ હતી, ત્યારે ગોરાઓ ટોળામાં એકત્રિત થઈ નીગ્રોને મારીનોંખતા અચકાતા નહિ. ધર્મ એક સંવત્સરી એક નગરો અને મહાનગરોમાં સભા સરઘસ, રેલી, ધરણાં, વિરોધપ્રદર્શનો રોજિંદી ઘટના બની ગઈ છે. માણસને તેનો હિસ્સો બનવાનું ગમે પણ છે. અધૂરામાં પૂરું, સ્વાર્થી crowd puller મહારથીઓ લોકોની સંવેદનશીલતાનો ગેરલાભ લઈ એમની આગેવાની કરે છે. આવી પરિસ્થિતિમાં માણસની સ્વતંત્રપણે વિચાર કરવાની શક્તિ ક્યાંથી સાબૂત રહે ? માણસ એવી તસ્દી લેતોય નથી. હઇશો-હઇશો કરતો એ ટોળામાં ભળી જાય છે, ત્યાં સૌની સાથે એ માનસિક એકરૂપતા અને નિકટના અનુભવે છે. શિથિલ મન ધરાવતી વ્યક્તિઓ ૫૨ સમૂહ મનની અસર એટલી ઊંડી હોય છે કે એ એકલી હોય ત્યારે પણ તેમનું વ્યક્તિગત મન એકદમ સુખ હોય છે અને સમૂહ મનના સંદર્ભમાં જ તેમની તમામ ગતિવિધિ આકાર લે છે, અદ્દશ્ય દોરના આધારે નાચતી કઠપૂતળીની માફક. એ-૬, ગુરુપા સોસાયટી, શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ, વડોદરા-૩૯૦૦૦૬, ફોન : ૦૨૬૫-૨૪૮૧૬૮૦. આરંભમાં જ મેં શીખી લીધું છે કે જાહેર કામ કદી કરજ કરીને કરવું નહીં લોકોનો બીજાં કાર્યો વિષે ભલે વિશ્વાસ કરાય, પણ પૈસાના વાયદાનો વિશ્વાસ ન કરાય. - મો. ક. ગાંધી
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy