SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પ્રબુદ્ધ જીવન ધર્મ માર્ગે વળવા નિર્દેશ કરે છે. ઉપરોક્ત રત્નત્રયી પ્રતીકમાં દર્શાવવા પાછળ એ પણ રહસ્ય રહેલું છે કે ચૈત્યવંદન કરતી વખતે કે અન્ય ધર્મક્રિયામાં પણ અક્ષતની ત્રણ ઢગલીઓ કરી, જિજ્ઞાસુ આત્મા રત્નત્રયી માટે પ્રાર્થના કરે છે. પૂ. વીરવિજયજી મહારાજશ્રીએ પણ શ્રી મહાવીર પરમાત્માના એક સ્તવનમાં ત્રણ રતન મુજ આપો તાતજી એવી માંગણી કરી છે. આવી માંગણી કરવાનો હેતુ રત્નત્રયી પામી (સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન-સમ્યગ્ ચારિત્ર) કર્મથી મુક્ત બની આત્મા મુક્તિ તરફ પ્રયાણ કરે છે. આ રીતે પ્રતીકમાં ત્રણ ઢગલીઓ સૂચિતાર્થ છે જે પ્રતીકનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવા આવશ્યક બને છે. એટલે જ પ્રતીકને દરેક જૈને અપનાવવું જ જોઈએ. ત્યારબાદ પ્રતીકમાં સ્વસ્તિકનું ચિહ્ન આલેખેલું છે. પ્રતીક અષ્ટમંગલમાં મંગળરૂપે છે. એના દર્શનને સહારે માનવી મંગલ કાર્યો કરવા પ્રેરાય છે. ઈન્દ્રાદિ દેવો પણ ભગવંતની આગળ અષ્ટમંગળ આલેખે છે. તો માનવીએ તો વિશિષ્ટ લાભ માટે આલેખવો સ્વભાવિક બને છે. ઉપરાંત આ સ્વસ્તિકમાં બીજો અર્થ પણ સૂચિત છે. સંસારમાં જીવાત્મા રખડતો રખડતો ચાર ગતિમાં (મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકી) પસાર થતો હોય છે. આ રીતે ભવભ્રમણ કરતો જીવ અંતે કર્મો ખપાવી ચારે ગતિમાંથી મુક્ત થઈ મોક્ષ પામે છે. જાન્યુઆરી, ૨૦૧૨ પાસ્તુ ધર્મહસ્તમાં અંતર્ગત છે-અહિંસા, જૈન ધર્મ અને અન્ય દર્શનો અહિંસા પરમોધર્મના સૂત્રોચ્ચાર સાથે જીવનને ધન્ય બનાવે છે. એક દૃષ્ટિએ વિચારીએ તો પાંચ મહાવ્રતોમાં અહિંસાનું પ્રથમ સ્થાન છે. એટલે પહેલે પ્રાણાતિપાત વિરમણ વ્રતનું મહત્વ ઘણું જ છે. પરંતુ ખૂબી એ છે કે અહિંસા વ્રતના સવિશુદ્ધ પાલનમાં બીજા વ્રતો પણ સમાઈ જાય છે. પાંચે મહારોનો અહિંસામાં સમાવેશ થઈ જાય છે. પાંચે મહાવ્રતોનો અહિંસામાં સમાવેશ થઈ જતો હોઈ પ્રતીકમાં માત્ર અહિંસાનો જ નિર્દેશ કર્યો છે. આ બાબત જરા વિગતથી વિચારીએઃ અહિંસા પાળનાર વ્યક્તિ કદી જૂઠું બોલશે નહીં. જૂઠ્ઠું બોલે તો કંઈક ખોટું કરવાનું બને અને તેથી અહિંસાગત સચવાય નહિ. એટલે અહિંસામાં સત્યવ્રત સમાઈ જાય છે. બીજું મૃષાવાદ વિરમણ વ્રત આમ અહિંસા અંતર્ગત થઈ ગયું. મનુષ્ય ભવની મહત્તા એ કારણે છે કે આ ભવમાં સહજ રીત મનન, વાચન, સત્સંગ કે ગુરુદેવના ઉપદેશથી માનવી રત્નત્રયી પ્રાપ્ત કરે છે અને પછી મુક્તિ માર્ગે આગળ વધે છે. જ્ઞાનીઓએ તો અનેકવાર કહ્યું છે કે મનુષ્યભવ સિવાય મુક્તિ નથી. માનવી મનુષ્યભવમાં કષાયાદિથી ઘેરાયેલો હોય છે. પણ સદ્ગુરુના ઉપદેશથી તપ-સંયમાદિ અનુષ્ઠાનો દ્વારા કર્મો ખપાવવાની તક મનુષ્યભવમાં જ મળે છે. અને તો જ જીવાત્મા કર્મોથી મુક્ત થઈ મોક્ષ ગતિ પામે છે. અત્યાર સુધી અનંત તીર્થંકરોએ અને મુમુક્ષુ-પુરુષનો પણ સમુર્ગો નાશ થયો આથી વિશુદ્ધ બ્રહ્મચર્ય વ્રતના આત્માઓએ આ માર્ગે જ મનુષ્ય ભવમાં મોક્ષ મેળવ્યો છે. હવે વાત આવી અદત્તા દાનની. ત્રીજે અદત્તાદાન વિરમણવ્રત. માનવી ચોરી કરવા વિચારે એટલે અનિચ્છનીય પ્રવૃત્તિ કરવી પડે. ધનના વિનાશમાં માનવી પ્રાણત્યાગ (આત્મહત્યા પણ કરે. ચોરી કરતાં કોઈની હત્યાનો પણ સંભવ છે. માટે ચોરી કરનારથી અહિંસાત સચવાય નહિ. આ રીતે અહિંસાવ્રતમાં અદત્તાદાન વિરમણ નામના વ્રતનો પણ સમાવેશ થઈ જાય છે. હવે આવી ચોથા મૈથુન વિરમણ વ્રતની વાત, ચોથા મૈથુનમાં શારીરિક રીતે નારીના સંયોગમાં અનેક બે ઈન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોનો નાશ થાય છે. માનવીનું ચિત્ત આત્મભાવથી વિમુખ બની પૌદ્ગલિક ભાવમાં આસક્ત બને છે. જીવાત્મા આત્મગુણથી ભ્રષ્ટ બની અહિંસા કરવા સાથે અન્ય જીવોનો પણ હિંસક બને છે. પરસ્ત્રીગમનને કારણે વિશ્વ વિજ્રથી રાજા રાવણ જેવા સમર્થ દેવગતિમાં ભલે વૈભવ વિલાસ અને આનંદ-પ્રમોદની સામગ્રી સાંપડે. પણ (સમ્યગ્ દર્શન અને સમ્યગ્ જ્ઞાન હોવા છતાં) સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. મુક્તિ માટેનો યોગ મળતો નથી. એટલે મોક્ષ પામતા નથી. એટલે જ દેવો પણ મનુષ્ય ભવ મેળવવા લલચાય છે. પાલનમાં અહિંસા રહેલી છે. અહિંસાના વિશુદ્ધ પાલનમાં આ રીતે બ્રહ્મચર્ય વ્રત પણ સમાઈ જાય છે. હવે વાત આવી છેલ્લા પાંચમા મહાવ્રત પરિગ્રહ વિરમણ વ્રતની. આ છે અપરિગ્રહ વ્રત. પરિગ્રહ આસક્તિ વધારે છે. ધન મેળવવા માટે અનેક પ્રકારની કુટિલ નીતિ અપનાવી પડે છે. ગમે તેવું સાચું જૂઠું બોલી અનેક વસ્તુઓ મેળવવાની ઘેલછામાં અનેક પ્રકારના અસત્યનો આશરો લેવો પડે. હિંસાદિ પણ કદાચ આચરવી પડે, મેળવેલ ધનના રક્ષણ માટે અનેક પ્રકારનું દુર્ધ્યાન કરવું પડે. હિંસા પણ કરવી પડે. એટલે વિશુદ્ધ અહિંસા પાળી શકાય નહીં માટે જ અહિંસામાં અપરિગ્રહ વ્રતનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે જ જ્ઞાની પુરુષોએ અહિંસા મહાવ્રતના સુવિશુદ્ધ રક્ષણ માટે જ પાંચ મહાવ્રતોનું શુદ્ધ પાલન કરવાનું જણાવેલ છે. આ રીતે અહિંસા વ્રતમાં પાંચેય મહાવ્રતોનો સમાવેશ થઈ જાય તીર્થંચ અને નારકીના જીવો તો દુઃખમાં એટલા બધાં સંડોવાયેલા, ઘેરાયેલા હોય છે કે તેમને ધર્મક્રિયા કરવાનું સૂઝે જ નહિ તો મુક્તિ તો ક્યાંથી જ પામે ? એટલે કર્માધિન તીર્થંચને નારકના જીવો માટે રત્નત્રયી કે મુક્તિ શક્ય જ નથી. પછી પ્રતીકમાં અહિંસા, કેન્દ્રસ્થ રાખી, ધર્મહસ્ત આલેખાયેલ છે. જે હસ્ત ધર્મલાભ કે આશીર્વાદ બક્ષે છે. આ પુન્યવંતો પંજો જીવાત્માને ધર્મ, નીતિ અને સચ્ચાઈનો માર્ગ ચીંધતો માનવીને
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy