SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ભાગી. અમે એવા સદ્ભાગી છીએ. જોગાનુજોગ હરી એવું બન્યું કે આ લેખ લખવા માટે ની જૂની ફાઈલો હું ઉથલાવતો હતો ત્યારે ‘ખોટ’ શબ્દ તો વારે વારે આવે જ, પણ એક વર્ષે તો દોઢ લાખની ખોટ, અને હમણાં ન કરીને શ્રી મથુરાદાસભાઈ મને કહે, ૨૦૧૧-૧૨માં ‘પ્ર.જી.’ના ખાતામાં દોઢ લાખની ખોટ છે!! બોલો, આ ‘દોઢ લાખ' અને ‘ખોટ’ શબ્દ અમારો કેડો જ છોડતો નથી. પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૫-૧૯૩૯ના અંકમાં મગનભાઈ દેસાઈનો જે સંદેશો અપાવે. મળ્યો હતો, એ આજના સંદર્ભે પણ કેટલો ઉચિત છે ! એઓ લખ છે. ‘આજના જમાનામાં જૈન કોમ પાસે એક ખાસ જવાબદારી છે. જગતમાં અહિંસાનો સંદેશો આપનાર મહાવીર સ્વાર્થીના તેઓ અનુયાયી છે. તે સંદેશો આપવાનું અને જગતને તેનો જ્વલંત પાઠ આપવાનું તેમને શિરે છે એમ વિશેષ કહી શકાય... આજનું જગત અહિંસાનો સંદેશો જરા જુદી રીતે માર્ગે છે. આજનો સમાજ રક્ષક થવાને બદલે ભક્ષક જ વધારે બનતો જાય છે. એક વ્યક્તિ મંદિર દર્શન, પુજા પાઠ વિગેરે કરે છે. છતાં તેનો વ્યવહા૨ જુઓ તો, જાણે અજાણ્યે પણ, સમાજમાં તે ભક્ષક પોષક હોઈ શકે છે, હોય છે. આ જમાનામાં અહિંસા પૂજકોએ આ સામાજિક હિંસાનું નિવારણ શોધવું જ પડશે. નહિ તો સમાજની સાથે વ્યક્તિ પણ સંડોવાશે ને બેઉ અધોગતિ પામશે.' આ ગ્રહોની વાત કરી એટલે આપ ૨ખેને એવું માનતા કે આ લખનાર જ્યોતિષમાં માને છે, કે પછી ‘નિયતિ’માં માની હું ચૂપ થઈ જાઉં એમ મને કોઈ કહે,-એપ્રિલના મોતીચંદ ગિરધરલાલ કાપડિયા લખે છે: મારા ‘નિયતિ’ના લેખ સંબંધી ફોન-પત્રો દ્વારા ગજબની ચર્ચાઓ થઈ. કેટલાક જિજ્ઞાસુઓએ તો પૂ. સંત અમિતાભના દર્શને જવાની પણ યોજના કરી. આ પ્રતિભાવો વિશે ક્યારેક અવશ્ય વાત કરીશું. કાકા કાલેલકરે જે સંદેશો આપ્યો હતો, એ તો સર્વકાલિન છે : વાચકો સાથેઅહિંસક શબ્દયુદ્ધ કરવાની મજા પણ કંઈ ઓર છે! વાચકો જાગૃત અને જિજ્ઞાસુ છે એની પ્રતીતિ થતાં ક્યા તંત્રીને આનંદ ન થાય ? ‘જૈન દર્શન' પણ એવું જ એક જીવનવ્યાપી સાર્વભૌમ દર્શન છે. સ્યાદ્વાદની ભૂમિકા ઉપર અહિંસા અને તપના સાધન વડે આખી દુનિયાનું સ્વરૂપ ફેરવવાની શક્તિ અને અભિલાષા જૈન દર્શનમાં છે અથવા હોવા જોઈએ. વિનાશની અન્ની ઉપર આવી જ્યોતિષ કે નિયતિમાં નહિ, હું પહોંચેલા આ જગતને જો છેલ્લી ઘડીએ બચી જવું હોય તો એણે તો મારા વાચકોમાં અને વાચકોને માનું છું. એટલે વાચકોને વિનંતિ કરું છું કે આ સામયિક ચિરંજીવ બને એવી આર્થિક યોજના કરે, અને માત્ર કુંડલીમાં ૮૨ વરસથી પડેલા પેલા ‘ધન’ના ગ્રહને શાંત કરી ૉટ' શબ્દન અમારી જેનામાં માનવ પ્રગતિની સાચી તમન્ના ધમધમતી રહી હોય તે જ ખરો ‘પ્રબુદ્ધ જૈન' કહેવાય અને તેવો તેવો પ્રબુદ્ધ જૈન સમાજને સાચી દોરવણી આપવાને સર્વ પ્રકારે યોગ્ય ગણાય. સ્યાદ્વાદરૂપી બૌદ્ધિક અહિંસા સ્વીકારવી જ જોઈએ. અહિંસારૂપી નૈતિક સાધના આચરવી જ જોઈએ અને તપરૂપી સંકલ્પ સામર્થ્ય કેળવી સાધનાની પૂર્વ તૈયા૨ી ક૨વી જ જોઈએ. જૂન, ૨૦૧૨ બેલેન્સશીટમાંથી નિલાંજલિ ૧ વર્ષનું લવાજમ રૂા. ૨૦૦/-(U.S. $ 20) એટલે પ્રથમ પગલા રૂપે ત્રણ વર્ષ પછી-ત્રણ વર્ષમાં મોંધવારી કેટલી વધી ? !–હવે અમે લવાજમ વધારીએ છીએ. આ ‘કાળઝાળ’ મોંઘવારીમાં બધાંએ જીવતા શીખી હોવું એ પણ એક 'તપ' જ છે. આ લવાજમ વધારાથી‘પ્ર.જી.’ ને થોડોક જ આધાર મળશે, પરંતુ આથી વિશેષ નક્કર યોજના કરાશે તો જ ‘પ્ર.જી,' થયા સ્વરૂપે સ્થિર, સ્વસ્થ અને દીર્ઘાયુ બનશે. ‘પ્ર.જી.’ આ સંસ્થાના આજીવન સભ્યો, પેટ્રો, મુનિ ભગવંતો, અને મૂર્ધન્ય બૌદ્ધિકો તેમજ કેટલીક વિદ્યા સંસ્થાઓ, પુસ્તકાલયો અને જિજ્ઞાસુઓને વિના મૂલ્યે પ્રતિ માસે અર્પણ કરાય છે. આ સર્વે મહાનુભાવો અને સંસ્થાને અમારી વિનંતિ છે કે સ્વૈચ્છિક રીતે ‘પ્રબુદ્ધ જીવન નિધિ'માં પોતાનું આર્થિક યોગદાન આ સંસ્થાને 'પ્ર..'ના સ્થાયી ભંડોળ માટે અર્પણ કરે. ‘પ્રબુદ્ધ જીવન’ માત્ર આ સંસ્થાની પત્રિકા જ નથી., પણ ગુજરાતી ભાષી સર્વ સામયિકમાં એણે પોતાનું એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ‘પ્રબુદ્ધ જીવને’ ત્રણ પેઢીને જ્ઞાનયાત્રા કરાવી એ પરિવારોનું સંસ્કાર ઘડતર કર્યું છે એ હવે સાબિત થઈ ચૂકેલી ઘટના છે. આ સંદેશો શાસ્ત્રી પંડિતો દુનિયાને ન આપી શકે તે ‘પ્રબુદ્ધ આનંદની ઘટના તો એ છે એ એ જૈન' જેવા સામયિક આપી શકે.’ પરિવારની ચોથી પેઢી અને નવી પેઢીના હૃદય સુધી પણ એ હવે ૩ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦/-(U.S. $ 50) ૫ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦/-(U.S. $ 80) * ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦/-(U.S. $180)
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy