SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન માર્ચ, ૨૦૧૧ અનેકવિધ પરમાત્માના દર્શન થાય છે. પરંતુ વેદના ધર્મનું સ્વરૂપ અને સગર્ભા બની. તેના વિયોગથી પરિતક્ત પુરુરવા જલવિહારમાં વિશ્વના પદાર્થોની અનેકતામાં પરમ તત્ત્વની એકતાનું દર્શન થાય ક્રીડા કરતી ‘ઉર્વશી’ સાથેનો સંવાદ મળી રહે છે. છે. (ામ્ સત્ વિઝા વહુધા વન્તિ) (Pg. 27). બ્રાહ્મણ ગ્રંથમાં ‘પુરુરવા વચનબદ્ધ થાય છે કે ક્યારેય નિર્વસ્ત્ર કલ્પ વેદના ચાર ચરણ ટ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદમાં (સંભોગ સિવાય) નહીં થાય પરંતુ દેવતુલ્ય ગાંધર્વ ઉર્વશીના ઘેટા અનુક્રમે કલ્પસૂત્ર, શ્રોતસૂત્ર, ગૃહસૂત્ર, ધર્મસૂત્રનો સંક્ષિપ્ત પણ ચોરી લે છે. જેને બચાવવા “પુરુરવા' ઉત્તરીય વસ્ત્ર વગર કુદી પડે સરલ પરિચય આ પુસ્તકની વિશિષ્ટતા છે. નર્મદાશંકર વૈદિક યુગનો છે. તે જ વખતે ગાંધર્વો વિજળી કરે છે. ‘ઉર્વશી' નિર્વસ્ત્ર પુરુરવાને આ રીતે પરિચય આપે છે. (૧) મંત્રયુગ, (૨) બ્રાહ્મણયુગ, (૩) જોઈ લે છે અને ચાલી જાય છે. આમ વેદ તથા બ્રાહ્મણમાં ઉર્વશીના અરણ્યયુગ, (૪) ઉપનિષદ્ યુગ જેમાં મંત્રો સૂક્ત (ઋચાઓ) મુખમાં જ ઉપદેશ મૂકે છે કે સ્ત્રી સાથેની મૈત્રી વધુ ટકી શકતી કવિઓની (ઋષિઓની) રચના છે. બ્રાહ્મણક જે ધાર્મિક વિધિઓના નથી.” વિગતવાર પ્રબંધો છે અને ઉપનિષદો જેમાં આધ્યાત્મજ્ઞાન છે. સૂર્યા સૂક્તમાં સૂર્ય (સૂર્યની પુત્રી)ના વિવાદનો પ્રસંગ વર્ણવ્યો ઋગ્વદમાં સ્ત્રીનું સ્થાન ખૂબ ઉચ્ચ કક્ષાએ હતું જે પરીવલ્કય છે. જેને આ સૂક્તમાં ‘ઉષા' નામ આપ્યું છે. બે અશ્વિનીકુમારો અને તેની પત્ની મૈત્રીય તથા કાત્યાયનની તથા શિષ્યા ગાર્ગીના તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા પરંતુ તેનું લગ્ન “સોમ' સાથે સંવાદ વડે જોવાય છે. આ સંવાદ-પ્રધાન વાર્તાલાપ પ્રધાન અર્ધી થયું હતું. આ બધી ઋચાઓ આજે પણ લગ્નવિધિમાં બોલાય છે નાટકીય રચનાઓનો ઉલ્લેખ “વેદો અને વેદાંગ'માં જોવા મળે છે. તેવો ઉલ્લેખ “વેદો અને વેદાંગ’ પુસ્તકમાં મળે છે. ઋગવેદના દશકમંડળમાં આવતી ‘પુરુરવા’ અને ‘ઉર્વશી'ના સંવાદમાં સામવેદ સંહિતા જેને ગીત (ગાન) કહેવામાં આવે છે તેમાં દેવિક સૌંદર્યની પ્રતિમા “ઉર્વશી’ પૃથ્વી ઉપર ‘પુરુરવા'ની પત્ની રૂપે અવતરી ગાનના પ્રકારો તેમ જ તાલના પ્રકારો જેનો કર્ક સંક્રાંતિ તથા કોમી નામ ધારણ કરીને ન જ ચાલવું જોઈએ તા. ૧૫-૫-૪૧ના આ પત્રના પરમ સ્નેહી આ જ પૂ. કાકા સાહેબે ‘પ્રબુદ્ધ જૈન'ને વિશાળ બનાવવાનું સૂચન કરતો પત્ર પરમાનંદભાઈને લખ્યો. તા. ૩૦-૪-૪૧ પ્રિય પરમાનંદભાઈ, | વર્ધા હોઉં છું ત્યારે તમારું ‘પ્રબુદ્ધ જૈન' જોવાની ઇંતેજારી રહે છે. પણ હું તો મોટે ભાગે રખડતો રહ્યો છું. પરિણામે તમારું છાપું નિયમિત વંચાતું નથી. જેટલું જોયું છે તે પરથી મને ઘણો સંતોષ થયો છે; પણ આશ્ચર્ય જરાય થયું નથી. તમારી પાસેથી જે અપેક્ષા રખાય છે તે જ બર આવેલી જોઉં છું. દરેક વસ્તુનો બન્ને બાજુનો વિચાર કરવો, સમતોલપણું જાળવવું, રાષ્ટ્રહિતની દૃષ્ટિએ જ અને સમભાવપૂર્વક ટીકા કરવી, સંસ્કૃતિનાં સારા તત્ત્વો ઓળખવાં, અને પ્રગતિ માટે અનુકૂળ રહેવું એ તમારા સ્વભાવની ખાસિયત છે. એનો પડઘો ‘પ્રબુદ્ધ જૈન'માં પડે એમાં નવાઈ શી? ભાષાની દૃષ્ટિએ પણ તમારા પાક્ષિકે સંતોષ આપ્યો છે, જો કે છાપણીની શુદ્ધિ વિષે તેવું અભિનંદન નથી આપી શકતો ! પણ મારે તો એવી બીજી જ ફરિયાદ કરવી છે. તમે ‘પ્રબુદ્ધ જૈન' જેવા કોમી નામ તળે કેટલા દિવસ સુધી રહેશો? જે જૈન હોય તે રાષ્ટ્રીય ન હોય એમ હું નથી કહેવા માગતો અને જાગતો પ્રબુદ્ધ જૈન તો શુદ્ધ રાષ્ટ્રીય જ હોઈ શકે એ બધું ખરું. પણ ઝેરી કોમીવાદના આ દિવસોમાં આપણે કોમી નામ ધારણ કરીને ન જ ચાલવું જોઈએ. સ્વામી વિવેકાનંદે પોતાના માસિક માટે ‘પ્રબુદ્ધ ભારતનું નામ ન રાખ્યું હોય તો એ જ નામ સૂચવત. | તમારું અને તમારા પાક્ષિકનું મુખ્ય કાર્ય જૈન સમાજને તેમ જ આખા ગુજરાતને અહિંસાની નવી દૃષ્ટિ આપવાનું છે અને એ નવી દૃષ્ટિએ જીવનના બધા પાસા ખીલવવાનું છે. આપણા જાત-જાતના, ખાનપાનના અને શાદી બાહના પ્રશ્નો આપણી આગળ છે જ; પણ જે પ્રશ્નો આખી દુનિયા આગળ વિરાટ રૂપે પ્રગટ થયા છે તેમનો ઉકેલ ભારતીય દૃષ્ટિએ અને અહિંસાની ઢબે કેમ આવી શકે એમ છે, એ જોવાનું અને બતાવવાનું કામ તમારે કરવાનું છે. એ ભાવ વ્યક્ત થાય એવું કંઈક નામ રાખશો તો સારું થશે. એ જ ભાવ વ્યક્ત કરવા માટે અમે અમારા માસિકને ‘સર્વોદય’ કહ્યું છે. તમે તમારા માસિકને ‘સર્વહિત” અથવા “વિશ્વ કલ્યાણકહી શકો છો. પણ આવું ભારેખમ નામ ન જોઈતું હોય તો એ જ મતલબનું કોઈ હળવું નામ પસંદ કરશો. મને પોતાને ભારેખમ નામ પસંદ કરવામાં સંકોચ નથી હોતો. ઉદ્દેશ મહાન હોય તો નામ પણ મહાન રખાય. ઘણીવાર નામ જ આપણને એવી જાતની દીક્ષા આપે છે અને આપણી પાસે ઉચ્ચ આદર્શ પળાવે છે. તંબુર જો સ્ટેજ ઉચ્ચ સ્વરમાં રાખ્યો હોય તો તે રીતે ગાવું જ પડે છે. તમારા પાક્ષિકથી જો સંતોષ ન થયો હોત તો નામપરિવર્તનની સૂચના હું ન જ કરત. નેહાધીન કાકાના સપ્રેમ વંદન.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy