SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શનિવારે સવારે વહેલો તો ઊઠ્યો, મનમાં 'આત્મસિદ્ધિ'નું રટણ અનાયાસે ગુંજતું હતું. બાથરૂમમાં ગયો અને ફસડાઈ પડ્યો. શતાબ્દી ચૂકી ગયો. પંદરેક મિનિટે સ્વસ્થ થયું. અમદાવાદ પહોંચવા ફ્લાઈટની ટિકિટ મંગાવી. થોડી વાર આરામ કર્યો. અંતરમાં સ્તોત્રનું ગુંજન ચાલુ જ હતું. પિતાપુત્રીના ભાવવાહી શબ્દોના આંદોલનો ખેતરમાં અવિરત ધ્વનિત-પ્રતિધ્વનિત થતા રહેતા હતા. બપોરે હરી બેચેની થઈ અને ફ્લાઈટમાં જવાનું કેન્સલ કર્યું. ‘કાબુલીવાલા'માં ન પહોંચવાનો અફસોસ મનને વિંટળાઈ વળ્યો. નિ પસાર થયો, દિવ પણ પસાર થો, સોમવારે સાંજે બેચેની વી, અને ડૉક્ટર પાસે દોડ્યા. તરત જ બધાં રિપોર્ટ કાઢી તપાસીને ડૉક્ટર ગણેશ કુમાર કહે, 'મેસિવ એટેક પછી આટલા બધાં કલાક તમે જીવી કેમ શક્યા? શક્ય જ નથી.’ હું શું કહું? એમને સ્તોત્ર અને શ્રદ્ધા સાથે શો સંબંધ ? પછી તો આઈ.સી.યુ. અને સારવારની ને ડૉક્ટરોની ફોજ હૃદયની એક નસ પૂરી બ્લોક, એન્જોપ્લાસ્ટિ-એક સ્ટેન્ટ મૂકાયું અને ત્રણ સપ્તાહ હોસ્પિટલનો મહેમાન બની ઘરના દર્શન થયા. બિપીનભાઈ નિલમબેન અને રેશમા દોડી આવ્યા. એમના મનમાં ભાર વધી ગયી, પણ એમના સ્તોત્ર ગુંજને તો મને બચાવ્યો હતો. નિમિત્ત અને સંકેતનું રહસ્ય ત્યારે ઊઘડ્યું. પરિવાર અને મિત્રો સાથે અમારા યુવક સંઘના મુરબ્બી સભ્યો દોડી આવ્યા. રસિકભાઈ પોતે હૉસ્પિટલમાં અને ત્યાંથી મારી ચિંતા કરે. ચંદ્રકાંતભાઈ, ભૂપેન્દ્રભાઈ, લલિતભાઈ, નિતીનભાઈ, મથુરાદાસભાઈ, નીરુબેન, પુષ્પાબેન, ગુલાબભાઈ-કુસુમબેન, સી. જે. શાહ, રસિકભાઈ દોશી, યુવક સંઘના પૂર્વ મંત્રી શ્રી ધીરજલાલ ફૂલચંદ દોશી, અમદાવાદથી કુમારપાળભાઈ અને જિતુભાઈ, તેમ જ યુ.કે.થી માણેક સંગોઈ મારી તબિયતની ચિંતા કરી. આચાર્યશ્રી પૂજ્ય વાત્સલ્યદીપજીએ આશીર્વાદ પાઠવ્યા. કોને કોને યાદ કરું? જવાહરભાઈએ આવીને ‘પ્રબુદ્ધ જીવન'ના સંયુક્ત અંકના સ્વરૂપ સમા વિના, પામ્યાં જ અનંત સમજાવ્યું તે જ નમ શ્રી સદ્ગુરુ ભગવંત. (૧) પ્રબુદ્ધ જીવન સેવે સદ્ગુરુ ચરણને ત્યાગી દઈ નિપ પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. (૯) ‘આત્મા છે’, ‘તે નિત્ય છે', છે ક! નિશ ‘છે ભોક્તા’ વળી ‘મોક્ષ છે’, ‘મોલ ઉપાય સુધર્મ ’(૪૩) રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની સંગ થાય નિવૃત્તિ જેહથી, ઑક્ટોબર, ૨૦૧૧ મુદ્રણ અને સુશોભન માટે મને ચિંતામુક્ત કરી દીધો. કોના સ્નેહ અને સૌજન્યને સંભારું? લલિતભાઈને વ્યાખ્યાનમાળાની ચિંતા થઈ. મેં કહ્યું, બધું ગોઠવાઈ ગયું છે, ચિંતા ન કરો અને હજુ ત્રણ સપ્તાહ આપણી પાસે છે. હું જરૂર આવી શકીશ. અને યુવક સંઘના આશીર્વાદે હું વ્યાખ્યાનમાળામાં જઈ પણ શર્યા. નિતીનભાઈ સોનાવાલાએ વ્યાખ્યાનમાળામાં વક્તાઓનો પરિચય આપી મારા શ્રમને હળવો કર્યો. આ બધાંનો અખૂટ પ્રેમ અને સદ્ભાવના મને ઋણ ભાવ પાસે લઈ જાય છે. આભારથી આ ભાર ઓછો થાય એમ નથી જ. કેટલાંક ભારો’ આપણા હૃદયમાં ચિરંજીવ બની જાય એ જ આપણા ઉત્તર જીવનનું પાય છે. તે જ મોક્ષનો પંથ, (૧૪) કોઈ માને કે ન માને, પણ શબ્દ અને ોત્રમાં શી શક્તિ છે, એ તો અનુભવે જ સમજાય–રહેવું સદા શુભ ભાવમાં! હવે 'આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપરના દશ ગ્રંથી મને બોલાવી રહ્યાં છે. એ જ મને અવકાશ આપશે, શક્તિ આપશે, દર્શન આપશે. મેં ઘણી અંગત વાતો લખી, 'પ્રબુદ્ધ જીવન'ના વાચકોનો સમય અને પ્રબુદ્ધ જીવન'ના પાનાનો ઉપયોગ કર્યો છે. આપને એ યોગ્ય એ ન લાગે તો મને ક્ષમા કરશો. લેખક બીજા માટે લખે છે, તો ક્યારેક એ પોતાની અનુભૂત્તિ ઠાલવે, તો એટલો હક તો એને આપ આપશો ને? આપ એટલા ઉદાર છો જ. મહાકવિ ટાગોરનું એક કાવ્ય : આત્મસિદ્ધિ શાસ્ત્ર આચમન મન જરીયે નથી આજ મરવાનું ગમે છે સુંદર આ વિષે ફરવાનું, રહેવું છે. માનવો વચ્ચે સૂરજ–તેજની સાખે. જો સહજ વચ્ચે ને અવસર મળે તો મનના દ૨મ દેવળ નિજસ્વભાવનું. અખંડ વર્ત સા કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વા, (૧૩) શુદ્ધ બુદ્ધ ચૈતન્યન સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. (૧૧૭) Tધનવંત શાહ drdtshah@hotmail.com દયા, રાહત, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય ગુજાગ્ઝ (૧૩૮) દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. (૧૪૨)
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy