________________
આમન
‘જ્યાં હો ત્યાં મહેકતા રહો' મોહનદાસને મહાત્મા સુધી પહોંચતા કરવામાં એમની માતાએ શું ભાગ ભજવ્યો ?
ગાંધીને પેદા કરનાર સ્ત્રીએ પણ કંઈક અજબ ભાગ ભજવ્યો હશે જ. ગાંધીને વીલાયત મોકલતાં પહેલાં માતાએ સખત વિરોધ નોંધાવ્યો અને પછીથી ત્રણ મહાવ્રતો લેવરાવ્યા બાદ બતાવેલી મરજીમાં એનાં ઊંડાં મૂળ દેખાય છે. ત્રણ મહાવ્રતો બ્રહ્મચર્ય, માંસ ત્યાગ અને મદીરા ત્યાગના વ્રતો લેવરાવીને જ તેમણે ગાંધીજીના જીવનનાં પા જ નાંખ્યો એમ કહી શકાય. ગાંધીજીના શરીરને તેમણે જન્મ આપ્યો તે તો ખરી જ, પણ ગાંધીજીના અધ્યાત્મ શરીરને પણ તેમણે જ જન્મ આપ્યો. તેમણે જે આધ્યાત્મિક બીજો વાવ્યાં તે જ આગળ જતાં રહ્યાં અને હાચ્યાં છે.
એક વાર મહાદેવભાઈ ગાંધીજીની‘આત્મકથા'ની સંક્ષિપ્ત આવૃત્તિનાં પ્રુફ તપાસતાં બાપુને પૂછે છેઃ 'તમારી માતાના કઠણ વ્રતો : એકાદશી, ચાતુર્માંસ, ચાંદ્રાયણ વગેરેની વાત કરી છે, પણ આપે તો શબ્દ Saintliness (પવિત્રતા) વાપર્યો છે. અહીં પવિત્રતા કરતાં તપશ્ચર્યા કહેવા આપ
સાર્જન-સૂચિ
પ્રબુદ્ધ જીવન
નથી ઈચ્છતા ? તો શબ્દ Austerity ન લખાય ?
બાપુ કહે: ‘ના, મેં પવિત્રતા શબ્દ હેતુપૂર્વક વાપર્યાં છે, તથષ્ટમાં તો બાહ્ય ત્યાગ, સહનશક્તિ અને આડંબર પણ હોઈ શકે; પણ પવિત્રતા એ તો આંતરગુણ છે. મારી માતાના આંતરજીવનનો પડઘો એની તપશ્ચર્યામાં પડતો. મારામાં કશી પવિત્રતા જોતા હો તો તે મારા પોતાની નથી. પણ મારી માતાની છે. મારી માતા ચાળીસ વ૨સે ગુજરી ગયેલાં એટલે મેં એની ભરજુવાની જોઈ છે. પણ કદી એને ઉછાંછળી કે ટાપટીપવાળી કે કાંઈ પણ શોખ કે આડંબર ક૨ના૨ી મેં જોઈ નથી. એની પવિત્રતાની જ છાપ હંમેશને માટે મારા ઉપર રહી ગઈ છે.
અમને બાળકોને કાંદાનો બહુ શોખ. વૈષ્ણવ ધર્મમાં કાંદા ન ખવાય, પણ મા સાથે કજીયો કરીએ. મા બાપડી પોતે ન ખાય પણ અમારે માટે જુદા કાંદા રાંધીને અમને ખવડાવે. અને એમ ખવડાવતાં ખવડાવતાં ટીકા કરીને અમારી આદત માતાએ છોડાવી, એ એની શુદ્ધ અહિંસા અને સત્યાગ્રહ હતો. અમારો સિદ્ધાંત ભોગનો હતો, એનો ત્યાગનો હતો. પોતાનો ત્યાગ ન છોડતાં અમારા ભોગને રીઝવતાં. પણ પ્રેમને બળે એ છોડાવી શકી. ત્યારથી હું મારી મા પાસે પ્રેમમય અસહકાર શીખ્યો.
ક્રમ
કૃતિ
(૧) મારી માતૃભાષા : મારી ગુજરાતી (૨) રામકૃષ્ણ પરમહંસનું દક્ષિણારમાં આગમન (૩) આપણા ભાવ-વિશ્વના કવિ : ટી.એસ.એલિયટ (૪) શ્રીમદ્ ભાગવતને આધારે અવતારવાદની વિભાવના (૫) સામાન્ય લેખન-અશુદ્ધિઓ (૬) ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસ નિમિત્તે ડૉ. કુમારપાળ દેસાઈના મુખે મહાવીર કથા
(૭) મહાવીર કથા : પ્રતિભાવ
(૮) જયભિખ્ખુ જીવનધારા-૧૭ (૯) પ્રશ્ન પત્ર
(૧૦)શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૧૭ (૧૧) ધર્મમય વિજ્ઞાન
(૧૨)જૈન પારિભાષિક શબ્દોશ (૧૩) સર્જન સ્વાગત (૧૪) પંથે પંથે પાથેય : પ્રેમનું તેલ
કર્તા
ડૉ. ધનવંત શાહ ગંભીરસિંહ ગોહિલ
ડૉ. રણજિત એમ. પટેલ
રબારી રાછોડભાઈ એમ. શાંતિલાલ ગઢિયા
ડૉ. કુમારપાળ દેસાઈ
પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ નમીચંદ જૈન
અનુવાદ : પુષ્પાબેન પરીખ ડૉ. જિતેન્દ્ર બી. શાહ
ડૉ. કલા શાહ ગીના જૈન
પૃષ્ટ
૬
८
૧૦
૧૧
૧૩
હ્યુ છે . ૪ ૧
૨૬
૨૭
૨૮
એપ્રિલ ૨૦૧૦
માનાં છોડાં પબ્લિક ઉપર ન બને
હરીલાલભાઈની દીકરી મનુબહેન માંદી પડીને સેવાગ્રામ થોડા દિવસ રહી હતી, તો ગાંધીજીએ મનુબહેનના પતિ સુરેન્દ્ર મશરુવાળાને લખ્યું : મારો ધર્મ મનુ ઉપર થયેલું ખર્ચ તમારી પાસેથી લેવાનો છે. મેં કોઈ ની ખા હિસાબ તો નથી રાખ્યા. તમને પાલવે તે રકમ મોકલશે એટલે ધર્મ સચવાશે. કમાતાં છોકરાં પબ્લિક ઉપર ન નભે એ જ બરાબર ને ?
હરીલાલભાઈની મોટી દીકરી રામીબહેનના પતિ કુંવરજીભાઈ પારેખને ટી.બી. થયેલો ત્યારે ગાંધીજીએ એમને પોતાની પાસે છએક માસ રાખી સારવાર કરલી, તેઓ જમાઈ હોવા છતાં ગાંધીજીએ તેમના ખર્ચનું બીલ મોકલી આપેલું. સૌજન્ય : “સદ્ભાવના-સાધના'
‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી
૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨
૨. પ્રબુદ્ધ જૈન
૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે
૩. તરૂણ જૈન
૧૯૩૪ થી ૧૯૩૭
૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩
૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ ૧૯૫૩ થી
* શ્રીમુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યા૨બાદ માસિક
૨૦૧૦માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૫૭માં વર્ષમાં પ્રવેશ
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ
પૂર્વ તંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કૌહારી મણિલાલ મોકમચંદ શાહ જગુભાઈ મહેતા પરમાણંદ કુંવર કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ