SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ નવેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૨૩ પ. પૂ. આચાર્યશ્રી “વાત્સલ્યદીપ'સૂરીશ્વરજી મ. [લગભગ બે વર્ષ સુધી ‘શ્રી જૈન મહાવીર ગીતા'નો પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મ. સાહેબે ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકોને અમ્બલિત સ્વાધ્યાય કરાવ્યો એ માટે સર્વ વાચક વર્ગ, ‘પ્ર.જી.” અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પૂજ્યશ્રીનો સર્વદા ઋણી રહેશે. આ લેખમાળાથી વિખૂટા પડતા અવશ્ય વેદના અનુભવાય છે, જાણે જ્ઞાન અમૃતધારા સ્થિર થઈ ગઈ. જ્ઞાન આરાધના સમાધિસ્થ થાય એવી ક્ષણ પાસે પૂજ્યશ્રી આપણને લઈ આવ્યા. જૈન સાધુ ચાતુર્માસ સિવાય સતત વિહારમાં જ હોય, ઉપરાંત દિવસ દરમિયાન આ સાધુ નિયમોનું પાલન, વ્યાખ્યાન અને શારીરિક શ્રમ, આ બધાં કાર્યો કરતા કરતા જ્યાં હોય ત્યાંથી પ્રત્યેક હપ્તો સમયસર પહોંચતો કરવો એ કેટલું કઠિન કાર્ય છે એની તો કલ્પના જ કરવી રહી. પૂજ્યશ્રીએ આ સર્વ શ્રમ ઉઠાવ્યો, અને ચિંતન આકાશને શબ્દોમાં ગોઠવ્યું. આ મહાકાર્ય માટે આપણે પૂજ્યશ્રીનો જેટલો આભાર માનીએ એ અલ્ય જ છે. ‘પ્ર. જી. 'ના વાચક એટલા સદ્દભાગી કે આવો અપૂર્વ જ્ઞાન લાભ એ પ્રાપ્ત કરી શક્યા. - આ પ્રકરણમાં પ્રસ્તુત ગ્રંથ જે મૂળ સંસ્કૃતમાં છે એની સર્જન કથા અને સંઘર્ષ વ્યથા ઉપરથી આજે પૂજ્યશ્રીએ પડદો ઉઘાડ્યો છે, ત્યારે એ વાંચીને ૫. પૂ. યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી અને પૂજ્યશ્રીના શિષ્ય આચાર્ય શ્રી દુર્લભસાગર સૂરીશ્વરજી પ્રત્યે આપણો આત્મા નમન ભાવો અનુભવી લે છે, અને એ જ પંક્તિમાં સ્થાનસ્થ છે. પૂ. શ્રી વાત્સલ્યદીપ સૂરીશ્વરજી કે જેમણે આપણને આ ગ્રંથના આકાશને આપણી સમક્ષ ઊઘાડી દીધું પ્રત્યે એવો જ ભાવ હૃદયમાંથી નિર્ઝરે છે. પૂજ્યશ્રીએ માત્ર પોતાના ગુરુ પ્રત્યેનું જ નહિ પણ દાદાગુરુ પ્રત્યેનું ઋણ પણ પ્રગટ કર્યું. એઓશ્રીને ધન્યવાદ પાઠવવાની આપણી તો પાત્રતા નથી, પણ અંતરના આનંદને વ્યક્ત કરવા શબ્દો પણ ક્યાં છે? અમદાવાદની અમારી એ થોડી પળોની સંવાદ યાત્રા, એ પણ કોઈ શુભ-ધન્ય પળ હશે કે પૂજ્યશ્રીની વાણીમાંથી ‘શ્રી જૈન મહાવીર ગીતા'ની વાત નીકળી અને એ શબ્દો મારા હૃદયમાં સ્થિર થયા અને મારા અંતરમાંથી વિનંતિ શબ્દો સરી પડ્યા, અને પરિણામે આ ૨૩ હપ્તાની સુદીર્ઘ જ્ઞાનવર્ધક લેખમાળા! આ ૨૩ પ્રકરણો હવે વહેલી તકે ગ્રંથ સ્વરૂપે જૈન શાસનને પ્રાપ્ત થાય એવી મા શારદાને પ્રાર્થના. પુનઃ પુનઃ ‘પ્ર.જી.ના વાચકો વતી પૂજ્યશ્રી પ્રત્યે ઋણના ભાવો આનંદ-વિયોગ ભાવે વ્યક્ત કરું છું. જી, આ ૨૩ હપ્તાનો આપનો સાથ અમને ગમ્યો, ખૂબ ગમ્યો, પણ વિખૂટા પડવાનું ન ગમ્યું. આપને ? તંત્રી] ધર્મની મૌલિકતા અપાર છે. સકળ વિશ્વમાં ધર્મનું પ્રભુત્વ છે. નહીં પરંતુ બે પચ્ચીસી વીત્યે શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીના આર્ય દેશમાં ધર્મનું મહત્ત્વ છે. ધર્માચરણ કરનારા સત્પુરુષોનું પટ્ટપરંપરક શિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી દુર્લભસાગર સૂરિજીના હાથમાં પણ ઘણું મહત્ત્વ છે. સજ્જનોની પરોપકારથી ભરેલી અને કરુણાથી તે અમૂલ્ય હસ્તપ્રત આવી. તેમણે જોયું કે તે હસ્તપ્રતમાં ક્રાંતિકારી ભરપૂર પ્રવૃત્તિઓ સૌ માટે આકર્ષક બની રહે છે. વિચારોનો ભંડાર હતો. ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી ઋદ્ધિસાગર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ આર્ય દેશમાં સૂરીશ્વરજી તથા પ્રશાંતમૂર્તિ પૂજ્ય આચાર્ય શ્રી કીર્તિસાગર મહત્ત્વપૂર્ણ ગણાય છે. સૂરીશ્વરજીના આશીર્વાદ મેળવીને તેમણે પ્રકાશન કાર્ય શરૂ કરાવ્યું. જૈન ધર્મ સકળ વિશ્વના સર્વ જીવોના કલ્યાણ માટે છે. આ ધર્મનું સુશ્રાવકો શેઠ શ્રી કેશવલાલ લલુભાઈ ઝવેરી, શ્રી ચીમનલાલ તત્ત્વ દર્શન કરાવવા માટે, પ્રેરણા આપવા માટે અનેક ગ્રંથોની જેચંદભાઈ, શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ-જયભિખુ વગેરેને સાથે સમયે સમયે મહાપુરુષોએ રચના કરી છે. રાખીને આચાર્ય શ્રી દુર્લભસાગર સૂરિજીએ પુસ્તક પ્રકાશન શરૂ - પરમ પૂજ્ય, યોગનિષ્ઠ, જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કરાવેલું પણ તે સમયે આ પુસ્તકોના પ્રકાશન માટે પ્રચંડ વિરોધ તેમના સમયના ક્રાંતિકારી સાધુપુરુષ છે. તેમણે અનેક નવી કેડી ઉઠ્યો. સાગર ગચ્છના સાધુઓ અને અન્ય સાધુઓ અને જૈન કંડારી છે. “શ્રી જૈન મહાવીર ગીતા' તેમણે જે અનેક નવી કેડી સમાજનો એક હિસ્સો આ પુસ્તક પ્રકાશનના વિરોધ માટે, એમ કંડારી છે તેમાંનો જ એક ભાગ છે. આ એક ક્રાંતિકારી ગ્રંથ છે. કહી શકાય કે ઝનૂનથી આગળ આવ્યો. આ સમગ્ર ઘટનાનો હું સાક્ષી મૂળ તો શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીએ “કાલ્પનિક અધ્યાત્મ મહાવીર' છું. બાળવયમાં મેં આ સમગ્ર પ્રસંગ જોયો છે. પૂજ્ય આચાર્ય શ્રી (ભાગ-૧,૨,૩) અને “શ્રી જૈન મહાવીર ગીતા'ની રચના કરીને દુર્લભસાગર સૂરિજીએ તે સમયે અને ત્યાર પછી જીવનપર્યત આ જીવનના અંતિમ સમયે પોતાના અંતેવાસી શ્રી પાદરાકરને હસ્તપ્રત પુસ્તક પ્રકાશનથી અપૂર્વ યશ પણ મેળવ્યો અને જીવનભર કષ્ટ સોંપી રાખેલી. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી સ્વયં જાણતા હતા કે પણ મેળવ્યું. આ ગ્રંથમાં મૂકાયેલા વિચારરત્નોનું તેજ આજના સમાજ સહન “શ્રી જૈન મહાવીર ગીતા” શું છે? આગળના પાનાં જોયા પછી કરી શકશે નહીં તેથી તેમણે શ્રી પાદરાકરને સૂચના આપેલી કે જણાશે કે એક વૈરાગી જૈન સાધુ ક્રાંતિનું કેવું અદ્ભુત અનુસંધાન મારા મૃત્યુ પછી એક પચ્ચીસી વીતે આ ગ્રંથરત્નો પ્રગટ કરજો. જીવન અને વિશ્વ સાથે જોડી આપે છે! “શ્રી જૈન મહાવીર ગીતા'માં જોકે એક પચ્ચીસી વીત્યા પછી નાણાંના અભાવે ગ્રંથો પ્રગટ થયા શું નથી? આ ગ્રંથમાં તમામ વિશિષ્ટતાઓ છલકાય છે.
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy