________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦
વિચારમાં ઉતારનાર યોગમાર્ગનો અધિકારી બને છે. આ ચાર વાતો છે
૧. ગુરુ-દેવ આદિનું પૂજન, ૨. સદાચાર, ૩. તપ, ૪. મુક્તિ અનુષ્ઠાનના પાંચ પ્રકાર બતાવ્યા છેપ્રત્યે અપ
૧. ગુરુસેવા–જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તથા ક્રિયામાં અપ્રમાદી કોઈ સર્વ જીવોને મોક્ષમાર્ગ બતાવનારા જે હોય તે ગુરુ છે. તેવા પૂજ્ય ગુરુઓની શ્રદ્ધાપૂર્વક વિનય, ભક્તિ કરવી તે ગુરુસેવા.
દેવપૂજા-જે વીતરાગ, લોકોત્તર દેવો ઉત્તમ આત્મગુણોથી ભરપુર, તેમની પૂજા કરવી, સ્તુતિ કરવી તે દેવપૂજા.
૨. સદાચાર-યમ-વ્રત, નિયમ-ઈન્દ્રિય અને મનનો નિગ્રહ કરનારા અભિગ્રહ તેમજ દયા, દાન, બ્રહ્મચર્ય, ક્ષમા આદિ શુદ્ધ આચાર
પાળવા.
પ્રબુદ્ધ જીવન
૩. તપ-બાહ્યાંતર અને અત્યંતર તપ
૪. મુક્તિનો અદ્વેષ-સર્વ કર્મનો ક્ષય કરી સચ્ચિદાનંદ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવું, એવા મોક્ષના સ્વરૂપ પ્રત્યે અનાદર ન કરતા પૂર્ણ શ્રદ્ધાથી મોક્ષ તરફ પ્રવૃત્તિ કરવી.
(૧) વિષ (૨) ગર (૩) અનુષ્ઠાન (૪) તદ્વેતુ (૫) અમૃત. આમાંથી પ્રથમ ત્રણ અસદ્ અનુષ્ઠાન છે (અનુષ્ઠાન એટલે યોગમાં પ્રવૃત્તિ) એટલે જીવો જે અનુષ્ઠાન કરે છે તેમાં તેઓનો આશય કીર્તિ, ઐશ્વર્ય મેળવવાનો હોય છે, પરોકમાં ફળની અપેક્ષા હોય છે તેથી તે સંસારની વૃદ્ધિમાં કારણભૂત થાય છે. કર્મની નિર્જરા માટે થતા નથી. જ્યારે છેલ્લા બે સદ્નનુષ્ઠાન છે. પુનબંધક આદિ યોગાધિકારીઓને સઅનુષ્ઠાન જ હોય છે. આ શુદ્ધ અનુષ્ઠાન ત્રણ પ્રકારે છે-વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ, અનુબંધશુદ્ધ.
આ
૧. વિષષશુદ્ધ-મુક્તિના ધ્યેયથી કરાતું અનુષ્ઠાન વિષયસુદ્ધ અનુષ્ઠાન છે.
૨. સ્વરૂપશુદ્ધ-જેનું પોતાનું સ્વરૂપ શુદ્ધ હોય તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે.
૩. અનુબંધશુદ્ધ-શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે સમ્યજ્ઞાનથી યુક્ત અને પ્રશાંત વૃત્તિવાળા અનુષ્ઠાન અનુબંધશુદ્ધ અનુષ્ઠાન હોય છે. આ ત્રણ અનુષ્ઠાનમાં ઉત્તરોત્તર અનુષ્ઠાન શ્રેષ્ઠ છે.
આ પૂર્વ સેવાના યોગે જે જીવો યોગાધિકાર પામ્યા છે એમને આ. હરિભદ્રસૂરિએ ચાર વિભાગમાં વહેંચેલા છે
જે આત્મા પુનબંધ છે તેઓ વિષયાનુષ્ઠાન, સ્વરૂપ દુહાનુષ્ઠાન,
૧. અપુનર્બંધક, ૨. ભિન્નગ્રંથિ (સમ્યક્દષ્ટિ), ૩. દેશિવરતિ, અનુબંધશુદ્ધાનુષ્ઠાન આ ત્રણે અનુકુલ સામગ્રીના યોગે પ્રાપ્ત કરે ૪. સર્વવિરતિ. છે. અને ગ્રંથીભેદ કરી શુદ્ધતાપૂર્વક સમ્યગ્દર્શનને પામે છે. પ્રશસ્ત રીતે યોગપ્રવૃત્તિમાં આગળ વધો થયાપ્રવૃત્તિકરણને કરી અનુક્રમે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરીને આગળ વધી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. આ ભવ્યાત્મા ગ્રંથિભેદ કરતા દેવપૂજા, ગુરુભક્તિ, વ્રત, પચ્ચખાણ, તપ, શાસ્ત્રશ્રવણ કરતા સમયગ્દર્શન અને દેશવિરતિરૂપ ચારિત્રભાવને પામે છે. જ્યારથી ગ્રંથિભેદ થયેલ છે ત્યારથી શુભ પરિણામની ધારાને અનુક્રમે વધારતો સંસારના
બીજા યોગાધિકારી છે ભિન્નગ્રંથિ એવા સમ્યદૃષ્ટિ જીવો. આ જીવોને ધર્મશાસ્ત્ર શ્રવણ કરવાની ઉત્કૃષ્ટ ઈચ્છા હોય છે અને ચારિત્રધર્મ પ્રત્યે તીવ્ર અનુરાગ હોય છે. તેમનું ચિત્ત મોક્ષાભિમુખહેતુભૂત કર્મમલને હણતો સર્વવિરતિ ચારિત્રને પામે છે. સર્વથી
હોય છે. માત્ર દેહથી તેઓ સંસારમાં હોય છે.
એટલે કે પૂર્ણ ભાવે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, એમ પાંચ મહાવ્રત પાળવા તેમજ રાત્રિભોજન ત્યાગ એવી અનેક પ્રકારની યોગ પ્રવૃત્તિ કરાય છે. પૂર્વે કહેલ અધ્યાત્મભાવ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંશય આ યોગ ગ્રંથિભેદ કરનારા માર્ગાનુસારી આરાધતા અનુક્રમે અધ્યાત્મભાવ રૂપ આત્મસ્વરૂપનો લાભ થાય છે. અધ્યાત્મયોગ સમ્યગ્દર્શન અને જ્ઞાનથી યુક્ત હોય છે. આવા અધ્યાત્મ- યોગીઓ ભાવના, ધ્યાન અને સમતા આ ત્રણ યોગના અભ્યાસથી વૃત્તિસંશય નામના પાંચમા યોગભેદની પ્રાપ્તિ કરે છે. વૃત્તિસંશય એટલે રહેલી કર્મસંયોગના યોગ્યતાની નિવૃત્તિ. આત્માના કર્મ બાંધવાના હેતુરૂપ થનારા ચિત્તની રાગદ્વેષમય ક્લિષ્ટતાવાળી વૃત્તિઓનો નાશ ધર્મધ્યાન અને શુકલધ્યાનના યોગે
અપુનર્બંધક જીવો, ભવાભિનંદી જીવોથી વિરોધી લક્ષણવાળા હોય છે. તેઓ ઉદારતા, નિર્લોભતા, અદીનતા, નિર્ભય, સરલતા, વિવેક, જ્ઞાન એવા ગુણોથી યુક્ત હોઈ આ ગુણોને વધારતા જઈ ક્રમશઃ યોગવૃદ્ધિ કરતા, ગ્રંથિભેદ કરવા સમર્થ બને છે.
૪૯
સમ્યગ્દષ્ટિ જીવો ચિત્તના સંકલેશનો હ્રાસ કરતા કરતા ક્રમશઃ ચારિત્રી અવસ્થા પ્રાપ્ત કરે છે. આ ચારિત્રી મહાત્માઓ માર્ગાનુસારી (અર્થાત્ વીતરાગ પરમાત્માના ઉપદેશેલા શાસ્ત્રોમાં અત્યંત શ્રદ્ધાયુક્ત, ધર્મ-પ્રવૃત્તિમાં અત્યંત ઉત્સાહી અને શક્તિ પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરનારા, મહાન પુરુષોના ગુણાનુરાગી) હોય છે. અને શુભ પરિણામ વડે શક્ય તેટલો ધર્મપુરુષાર્થ કરનારા હોય છે. આ દેશ-વિરતિધર અને સર્વ-વિરતિધર ચારિત્રીના વર્ણનમાં અધ્યાત્મ આદિ પાંચ ભેદોનું વર્ણન કરેલું છે. પ્રથમ બે પ્રકારના યોગાધિકારીઅપુનર્બંધક અને સમ્યગ્દષ્ટિ જીવો પર ચારિત્રોહનો વિશેષ પ્રભાવ હોવાથી આ યોગો ‘યોગબીજ’ રૂપે હોય છે.
શુભ પરિણામયુક્ત શુદ્ધ અનુષ્ઠાન આત્મસ્વરૂપની શુદ્ધતા કરતો હોવાથી અને મોક્ષ સાથે જોડતો હોવાથી યોગરૂપ છે. અહીં ગ્રંથકારે