SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન વિષય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ હવે શિક્ષણને સમાજમાં આર્થિક સીડી ચઢવાના સાધન તરીકે નહિ પણ વ્યક્તિત્વ વિકાસના માધ્યમ તરીકે સ્વીકારવું પડશે. શિક્ષણ એ માનવ હક્ક છે માટે દરેક બાળકને શિક્ષણ મળે એ જોવાની સ૨કા૨ અને રાષ્ટ્રના દરેક નાગરિકની ફરજ છે. આ દેશમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવાનું અને શિક્ષકોને સંસ્કારવાનું કામ કથાકારો, લોકશિક્ષકો અને સંતો સુપેરે કરી શકે તેમ છે. પૂ. મોરારી બાપુએ પોતાના ગામમાં શિક્ષક સત્ર યોજી પાંચસો શિક્ષકોને પુસ્તકો અને કેસેટો અર્પણ કરી હતી. એ કાર્ય વિદ્યા જગતની અપૂર્વ ઘટના ગણાય. જે વિદ્યાગુરુ પાસેથી આપણે વિદ્યા ગ્રહણ કરી પરિવાર અને સમાજમાં સ્થિર થયા પછી આપણે ક્યારેય તેને યાદ કરીએ છીએ ? સૌરાષ્ટ્રના એક ગામડામાંથી ભણી અને અમે બધા ભાઈબહેનો મુંબઈ આવ્યા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લઈ અહીં ડૉક્ટર, સી.એ., એન્જિનિયર, એમ.બી.એ. થઈ પોતપોતાના વ્યવસાય ઉદ્યોગમાં સેટલ થયા. થોડા વર્ષો પહેલાં અમને વિચાર આવ્યો કે આપણે જેની પાસે ભણ્યા એ શિક્ષક-શિક્ષિકાઓને ગામ જઈ મળીએ. કેટલાક રિટાયર્ડ થયેલા, કેટલાક બીજે ગામ ગયેલા પરંતુ ગામની શિક્ષણ સંસ્થાઓના સહયોગથી જિલ્લાના કુલ્લે ૪૭ શિક્ષક-શિક્ષકિાઓ અગાઉથી આપેલ આમંત્રણ પ્રમાણે અમારે ત્યાં પરિવાર સાથે પધાર્યા. દેશ-વિદેશમા વસતા અમારા પરિવારના સભ્યોએ એક દિવસ એ વિદ્યાગુરુવર્યો સાથે ગાળ્યો. ‘ગુરુ વંદના’ કાર્યક્રમ હેઠળ સમારંભમાં તેઓ જ્યાં બેઠા હતા ત્યાં જઈ અમે કુમકુમ અક્ષતથી તિલક કરી, મા સરસ્વતીની ચાંદીની મુદ્રા પ્રતીક રૂપે અર્પણ કરી, મીઠાઈ અને ઋણ સ્વીકાર સન્માન પત્ર સાથે વંદન વ્યક્તિના ચિત્તમાં રહેલી સર્જકતા કોળે છે કોઈ ઘટનાથી. કોઈ પ્રસંગ એવો સ્પર્શી જાય કે આખું અંતર ડામાડોળ થાય અને એમાંથી સર્જક-ચેતના જાગ્રત થાય છે. આજથી ૯૦ વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતના વરસોડા ગામમાં બનેલી એક ઘટનાએ નિશાળિયા જયભિખ્ખુના જીવનમાં પારાવાર ૨૧ કરી સન્માન કર્યું. આજે વર્ષો પહેલાંનો એ દિવસ મારા માટે અવિસ્મરણીય આનંદ પર્વ સમાન છે. બાળકોના જીવનમાં શ્રમ, સ્વાવલંબન, સમૂહ જીવનના ખ્યાલો અને પ્રકૃતિનું સાન્નિધ્ય મળે તેવી શિક્ષણ સંસ્થાઓના વિકાસની જરૂર છે. નાલંદા, તક્ષશિલા, વિક્રમ શિલા અને ગુજરાતના વલ્લભીપુરની સંસ્થાના અવશેષો આજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઈતિહાસ જયભિખ્ખુ જીવનધારા : ૧૪ D ડૉ. કુમારપાળ દેસાઈ [ગુજરાતી સાહિત્યમાં નવલકથા, નવલિકા, ચરિત્ર, બાળસાહિત્ય જેવાં સાહિત્ય-સ્વરૂપોમાં ખેડાણ કરનાર સર્જક ‘જયભિખ્ખુ’ની જીવનકથા હવે એમના સર્જનકાળના પરોઢ તરફ આગળ ચાલે છે. સર્જકની સર્જકતાનો થતો ક્રમબદ્ધ વિકાસ એ સહુ કોઈની જિજ્ઞાસાનો વિષય હોય છે. ‘જયભિખ્ખુ’ના બાળપણની મધુર સ્મૃતિઓ જોયા પછી હવે જોઇએ એમના હૃદયમાં પડેલાં સર્જકબીજની વાત એમની જીવનકથાના આ ચૌદમા પ્રકરણમાં. નારીને રોવા વિના, કર્મમાં કંઈ છે નહીં! સાથે બતાવવા જેવા છે. શાંતિ નિકેતન, શારદા ગ્રામ, લોક ભારતી, ઋષિકુળ, નવસારીનું તપોવન, સંસ્કારતીર્થ, આટકોટનું રૂડા ભગતનું વિદ્યા સંકુલ, અંકલેશ્વરનું ગુરુ વિદ્યાલય, સુરેન્દ્રનગરનું સરદાર પટેલ શિક્ષણ સંકુલ અને સુરતના ગજેરા વિદ્યા સંકૂલની શિક્ષણ જગતના જિજ્ઞાસુઓએ મૂલાકાત લેવી જોઈએ. રાષ્ટ્રપિતા ગાંધીજી, જેના જન્મદિવસને આપણે શિક્ષક દિન રૂપે ઉજવીએ છીએ તે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, મહિલા શિક્ષણના પ્રણેતા ધોંડો કેશવ કર્વે, રવીન્દ્રનાથ ટાગો૨, મનુભાઈ પંચોળી, જુગતરામ દવે, ગીજુભાઈ, નાનાભાઈ ભટ્ટ, નવલભાઈ શાહથી લઈને સૌરાષ્ટ્રના છેવાડાના ગામ અમરેલીના વિદ્યાગુરુ ઋષિતુલ્ય નવલકાંત જોષી જેવા નામી અનામી અનેક શિક્ષકો અને શિક્ષણ જગતના મહાનુભાવો કે જેણે શિક્ષણના પવિત્ર ગંગાજળને દુષિત થતું અટકાવવાનો સમ્યક્ પુરુષાર્થ કર્યો છે, જેના કારણે વિદ્યારૂપી દીપકની જ્યોત પ્રજ્જવલિત છે અને એ વિદ્યા દીપકમાંથી લાખો દીવા પ્રગટી રહેલ છે એવા પુણ્ય શ્લોક પુરુષોની આપણે અભિવંદના કરીએ. ૬૦૧, સ્મિત, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૭૭. ફોન : (૦૨૨) ૨૫૦૧૦૬૫૮. મોબાઈલ : ૯૮૨૦૨૧૫૫૪૨. મંથન જગાવ્યું. અત્યાર સુધી શાળા, શિક્ષકો, મિત્રો અને પ્રકૃતિની આસપાસ ધબકતી એમની ચિત્ર-સૃષ્ટિમાં એક ઘટનાએ એવો પ્રલય સર્જ્યો કે જાણે બાળપણનું સમગ્ર મુગ્ધવિશ્વ એના પ્રવાહમાં તણાઈ ગયું અને જીવનનું એક નવું જ પરિમાણ ઊપસી આવ્યું. પોતીકાઓની
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy