SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ઈલેકટ્રોનનો સમુદ્ર અને નિશ્ચય-વ્યવહાર ઘડૉ. જવાહર પી. શાહ પ્રાસ્તાવિક અર્વાચીન વિજ્ઞાન અસ્તિત્વ કે સત્તા (reality) વિષે જે કાંઈ પણ કહે છે તેમાં આપણી પરંપરાના પ્રાચીન જ્ઞાનનું કંઈક અંશે પુનરાવર્તન થતું હોવાનું જોવા મળે છે. જો કે બન્ને સ્વતંત્ર પો નિષ્કર્ષો તારવે છે. વિજ્ઞાનની પરિભાષા તેને સૂત્રો કે સમીકરણ દ્વારા વ્યક્ત કરે છે. જ્યારે પ્રાચીનકાળમાં ધાર્મિક પ્રતીકો કે શબ્દ રૂપકો દ્વારા તેની રજૂઆત થતી આપણને કોઈ પૂછે કે તમારી દૃષ્ટિએ ગઈ સદીની મહાન શોધ કઈ? તો આપણે જવાબ આપીએ કે આઈન્સ્ટાઈનનું જાદુઈ સૂત્ર E=mc. આ સૂત્રમાં ઊર્જા અને દળનો સંકુલ સંબંધ સ્થાપિત થયો છે. પ્રાચીન શાસ્ત્રોના અવગાહન દ્વારા આપણે તેને લગતા પ્રતીક કે શબ્દરૂપક શોષી શકીએ. જૈન દર્શનમાં પુદ્દગલની વિભાવના છે. આપણે બહુધા તેને ભૌતિક પદાર્થ રૂપે જ ગણીએ છીએ પરંતુ શાસ્ત્રીય વ્યાખ્યામાં જેમાં પૂરણ અને ગલનની પ્રક્રિયાઓ સૂચિત થાય છે તે પદાર્થને પુદ્ગલ કહેવામાં આવેલ છે. રૂપિય; પુવા : એ તત્ત્વાર્થની ઉક્તિમાં અન્ય અરૂપી પદાર્થોની સરખામણીમાં તેનું વિશેષ લક્ષણ વ્યક્ત કરવામાં આવ્યું છે પણ વસ્તુતઃ તેના મૂળભૂત એકમ – પરમાણુમાં રહેલી શક્તિનું પણ તે પ્રક્રિયાઓ અર્થઘટન કરે છે. આ જગત કે સમસ્ત બ્રહ્માંડમાં બધું પુનરાવર્તન પામતું રહે છે. જેને Law of cycllä periodicity કહે છે. આપણા શાસ્ત્રોમાં કાલચક્રની અવધારણા છે. અર્વાચીન વિજ્ઞાન કહે છે કે કાલ સીધી લીટીમાં ગતિ કરતો નથી. તેમાં વળાંક છે. (curveture of time). ઉત્સર્પિણી અને અવસર્પિણી મળીને એક કાલચક્ર થાય છે એવી શાસ્ત્રીય વાત ત્યારે કેટલી સંગત લાગે છે! ક્વોન્ટમ્ ફિલ્ડ થિયરી દર્શાવે છે કે સમગ્ર આકાશ (space) ઊર્જા ક્ષેત્રો (energy fields)થી ભરેલું છે. અણુની નાભિમાં જે ન્યુટ્રોન છે તે જ દૂર દૂરની આકાશગંગાઓમાં કે તારા વિશ્વમાં ન્યુટ્રોનના પલ્સાર્સ તારાઓ છે. ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની ત્રિમૂર્તિ ક્વાર્કસ નામના તેથી પણ સૂક્ષ્મ કોની બનેલી છે. સિગ્મા, ન્યુટ્રિનો, મ્યુઓન, પાયોન કે લેપ્ટોન કે ટાઉ વગેરે પરમાણુ કણો એકમેકના સંઘાતથી ઉત્પન્ન થાય છે. પરમાણુ જગતમાં દરેક કણના પ્રતિરૂપો પણ છે. Mater-દ્રવ્યનું પ્રતિરૂપ-anti matter તરીકે ૫ ઈલેકટ્રોન-પોઝિટ્રોન પ્રોટોન-એન્ટી પ્રોટોન રૂપે અસ્તિત્વ ધરાવે છે અને વાસ્તવમાં બબલ ચેમ્બર નામના ઉપકરણમાં તેની વાસ્તવિકતા ચકાસવામાં પણ આવી છે. ઊર્જાના અનંત પ્રવાહને સમાવિષ્ટ કરી કણાં પરિવર્તનના અવનવા રૂપો તરીકે આ પારસ્પરિક અસરોને વ્યક્ત કરે છે. પરમાણ્વિક કણો ઊર્જા રૂપોની સાતત્યપૂર્ણ વિવિધતામાં સર્જાય છે અને નાશ પામે છે. કર્ણાની આ પારસ્પરિક અસરોમાં ચિર સંરચના પણ ઊભી થાય છે જે આપણે સખત-solid ભૌતિક જુગત રૂપે નિરખીએ છીએ. ભગવાન મહાવીર તેમની સમવસરણ સભામાં ગણધરોના િ [[? એ પ્રશ્નના જવાબમાં તત્ત્વનું સ્વરૂપ દર્શાવતા કહ્યું હતું ‘ઉપમે ટુ વા, વિનમે વા, ધ્રુવે વા।’ આમ સમસ્ત લોકોમાં સતત ગતિ (પરિસ્કંદ) કે ક્રિયા રૂપે ઊર્જાનું વૈશ્વિક નૃત્ય થતું એ છે. ડૉ. ક્રિટાફ કામા પણ કહે છે કે `Movement and rythm are essential position of matter, all that matter, whether here on the Earth or in outerspace is involved in a continuous cosmic dance.' મોટા ભાગના કણો એક સેકંડના અબજમાં ભાગ કરતા પણ ઓછો સમય અસ્તિત્વ ધરાવે છે! (૧ સેકંડ= ૧૦ પાર્ટિકલ સેકંડ) બાદર કે સ્થૂળ પદાર્થ ઊર્જા રૂપે પલટાઈ જાય છે. પુદ્ગલ પરમાણુની સ્કૂલ કે સૂક્ષ્મ થવાની વાત સ્થાનાંગ અને ભગવતી-વિચારણાના અંગોને આકાર આપે છે. જીમાં યુગોપૂર્વે કહેવામાં આવી છે જેને આજનું વિજ્ઞાન સમર્થન આપી રહ્યું છે. વૈજ્ઞાનિક વાસ્તવિકતાના નિર્દેશનમાં મોટી મુશ્કેલી એ છે કે આધુનિક વિજ્ઞાનના આધારસ્તંભ સમો હાઈઝનબર્ગનો અનિશ્ચિતતા સિદ્ધાન્ત કહે છે કે પરમાણુ કણનું એક જ સમયે સ્થિતિ અને વેગમાનનું નિર્ધારણ અશક્ય છે. આમ વૈજ્ઞાનિક વાસ્તવિકતા સ્વનિર્ભર નથી. જે સિદ્ધાન્તો વડે વૈજ્ઞાનિક વાસ્તવિકતા સમજાવાય છે તે વાસ્તવિક સત્યના અખંડિત પ્રવાહની અમુક બાજુઓનું ખંડગ્રાહી જ્ઞાન માત્ર છે. જો કે વિજ્ઞાનીઓના સિદ્ધાન્તો અને સાધનો અમૂર્ત (abstract) વૈજ્ઞાનિક સિહાનો વિશ્વ કે લોક (જન પરિભાષામાં લોક અને કાંડ પર્યાયવાચી ગણી શકા)ને જે વ્યવસ્થા કે ઓર્ડરમાં ગોઠવે છે તેમાંથી જ ‘વાસ્તવિકતા' અંગેના ખ્યાલો નિર્મિત થતા રહે છે. આઈન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટીવીટી કે ક્વોન્ટમ્ થિયરી પણ લોકનું વર્ણન કરનાર પૂર્ણ સિદ્ધાન્તો નથી. વિજ્ઞાનીઓને ઘણીવાર એવું લાગે છે કે વિશ્વના બંધારણના સૂક્ષ્મ ધટર્કો-fundamental building blocks of Universeઅનિશ્ચિત રૂપે વર્તતા કોઈ અનિર્ણિત અને અવ્યાખ્યેય સત્યને રજૂ કરે છે. ફ્રેંચ વિજ્ઞાની de Brogliએ પુદ્દગલ કણની તરંગ પ્રકૃતિનો સિદ્ધાન્ત
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy