________________
૨૬
પંથ પંથે પાથેય
(અનુસંધાન પૃષ્ટ છેલ્લાનું ચાલુ
પ્રબુદ્ધ જીવન
એણે માનવતાને મંડિત વિચારોને આચરણમાં મૂક્યો હોય તે જરૂર આ ધરતી ઉપર મહામાનવની ગણનામાં આવે છે. કાર્ય મહત્ત્વનું છે, પરંતુ એ કાર્યમાં એમણો પોતાના અંતરના અવાજને માનવીય મહોર લગાવી હોય તો એના જેવું પુણ્યનું કામ ક્યાં હોઈ શકે? સ્વર્ગ અને નરકની ભાવનાનો ચિતાર સૌ કોઈને ધરતી ઉપર મળી રહે છે. ત્યાં જાત-પ્રાંત ધર્મ, લિંગ, ભેદ કે રંગભેદની ભાવના ભૂંસાઈ જાય છે.
સાસણગીરની મજા માણી અમે એટલે હું–મારી ધર્મપત્ની જ્યોતિ અને મારી સ્વ. બેન નિર્મળા ત્રિવેદી અવઢવમાં પડી ગયેલા. અજાણી ભૂમિ. છતાંય
અમે ચાલતા ચાલતા એસ.ટી. સ્ટેન્ડે પહોંચ્યા. અમે ત્રણ જણા જ હતા. સાંજે
સાડા-છનો સમય હતો. એસ.ટી. સ્ટેન્ડની બાજુમાં પાછળ એક ડોસીમાં ગરમા ગરમ ગાંઠિયા બનાવી રહ્યા હતા. એની સોડમ અમને ખાવા માટે
ઉત્તેજિત કરી રહી હતી એટલે શ્રીમતીએ કહ્યુંઃ 'ગરમા ગરમ ગાંઠિયાનો નાસ્તો કરીએ તો કેમ?’ અને એ ડોસીમાના ઝૂંપડા જેવા સ્થળમાં ઈંટો ઉપર ગોઠવેલા પાટિયા ઉપર અને બેસી ગયા અને ગાંઠિયાનો ઓર્ડરઆપ્યો.
પણ અમે ત્યાં વિચારતા હતા ક્યાં જવું ? કેમ જવું ? અંધારું ઉતરી રહ્યું છે. રાને કેવી રીતે સ્થળ મેળવવું ? એની ચર્ચા અમારી વચ્ચે ચાલુ હતી. ગાંઠિયા તળતા ડોસીમા અમારી અવઢવ સમજી ગયા. તેણે સૂચવ્યુંઃ
‘આપ અજાણ્યા છો ? પહેલા વહેલા આવ્યા છો ? તો પછી અહીંથી વેરાવળ સાવ નજીક છે. ત્યાં પહોંચી જાઓ.'
અમને એક તો ગાંઠિયાના સ્વાદે મધુરતા આણી દીધી હતી. લીલા મરચાં એમાં અનેરી મીઠાશ મૂલવી રહ્યા હતા. એટલે ડોસી માની વાત અમારે હૈયે ઊતરી ખરી.
તા. ૧૬ માર્ચ, ૨૦૦૯
વચા નેહનો-પ્રેમનો ભાવ ઓગળતો ો છે. મરચાં કરતાંય તમારી ભાવના અમને ગમી ગૈ છે,’ અને માજીના હૈયાની વાતને વાગોળતા અમે બાજુના બસ સ્ટેન્ડ પહોંચ્યા.
નિર્મળાએ કહ્યું: ‘માજી કેવા ઉદાર!'
પત્નીએ ટાપશી પૂરીઃ ‘ગામડામાં હજીય માનવતાના મંદિરો અડીખમ
‘વેરાવળમાં ભાલકા તીર્થ છે. કાનુડાનું અનોખું સ્થાન. સોમનાથ મહાદેવનું મંદિર છે અને આમ ભગવાનના દર્શન-હિલોળા લેતો સાગર પણ તમને સહુને હૈયે આનંદ ઓરશે.' ડોસીમાએ વિગત સમજાવી.
શ્રીમતીને મરચાંનો ખાવા ભારે શોખ મોળા મરચાં હતાં અને ગાંઠિયા હતા. પણ મરચાં ખલાસ થઈ ગયાં હતાં. માજીનું ધ્યાન ગયું અને એમણે ખોબો ભરી મરચાં અમારા નાસ્તામાં મૂકી દીધાં.
નાસ્તો પૂરો કર્યો. આનંદનો અભરખો મન જીતી ગયો અને અમે માજીને ગાંઠિયાના ખર્ચની રકમ આપી. તો એમણે ગાંઠિયાના જ પૈસા લીધા. મરચાંના નહિ જ.
મેં પૂછી નાંખ્યું, 'મા મરચાં તો તમે અમને ખોબો ભરીને આપ્યા એનું શું?'
‘દીકરા આ સોરઠ ભૂમિ છે. સોરઠી મન અને હૈયાં છે. અમે માનવીયુંનું મન પારખી લઈએ છીએ. તમે અહીંઆ આવ્યા-તમારી વાત સાંભળી એટલે મેં તમને સોમનાથ દરશનની વાત કરી. બાકી તો બધાય ભગવાનના વિચાર અંગે મળે છે, મુસાહરો આવે ને જાય, પણ બહારગામના માનવીયું ક્યાંથી મળે ? તમે આમ તો અમારા અતિથિ. ગાંઠિયાના રૂપિયા ન લેવાય.’ માજી એમની નિખાલસપૂર્વક વાત જણાવી રહ્યા હતા.
‘માજી, અમારા મુંબઈમાં નાસ્તામાં એક મરચું માગો તો એના રૂપિયા દેવા પડે.' મેં હસતાં હસતાં કહ્યું.
‘દીકરા, જ્યારથી રૂપિયા ફદિયા આવ્યા છે ને ત્યારથી માણહ માણહ
છે.
મેં કહ્યું: 'ગામડાની ધૂળમાં આજ પણ દેવી હૈયાની મહોલાતો સોહમ ફેલાવી રહી છે.
અમે બસ સ્ટેન્ડે ઊભા હતા. અમે વેરાવળ ક્યાં કોને ત્યાં ઊતરવું એ વિચારતા હતા. ત્યાં શ્રીમતી બોલી ઊઠ્યા. ‘મારા મામા વેરાવળમાં નાની
હવેલીના મુખિયાજી છે-પણ વેરાવળમાં એનું ઘર ક્યાં એની ખબર નથી.’
બસ આવી. અમે બેઠા. અમારી પાછળ એક યુવાન ચશ્માધારી-મજાના ચહેરાવાળા ભાઈએ મને કહ્યું : ‘હું અહીંનો ગિરનારની ભૂમિનો એન્જિનિય૨ છું. પાણીના સંચયનું સંભાળું છું. હું વેરાવળનો છું અને નોકરી માટે
દરોજ સાસણગીર આવું છું. તમે કહેલી નાની હવેલીના સ્થળે હું મૂકી પછી મારે ઘેર જઈશ.’
અને અમે ૯-૩૦ ક્લાકે રાત્રે વેરાવળ ઊતર્યા, પેલા ભાઈ અમને
નાની હવેલીના દરવાજા સુધી મૂકી ગયા અને અમે હવેલીમાં મામાને ઘે૨ પહોંચ્યા. લગભગ દસ વાગ્યા હતા. મામાને ત્યાં વાળુની તૈયારી થઈ રહી
હતી અને ઓચિંતા અમે પહોંચી ગયા.
કેટલાય વરસો પછી મામા ભાણકી (મારી ધર્મપત્ની) અને મને અને મારી બહેનને જોઈ આનંદ વિભોર બની ગયા. *** ૧૩-એ, આશીર્વાદ, પ્લોટ નં. ૩૫૩-બી-૧૪, વલ્લભ બાગ રોડ, સાઈબાબા મંદિરની સામેની ગલ્લી, પાટકોપર (પૂર્વ), મુંબઈ-૪૦૦ ૦૭૭, ફોન નં. : ૨૫૦૬૯૧૨૫
ગુજરાત વિધાપીઠ
આંતરરાષ્ટ્રીય જૈનવિધા અધ્યયન કેન્દ્ર
INTERNATIONAL CENTRE FOR
JAINA STUDIES
ધોરણ ૧૨ પાસ થયેલ કોઈ પણ જૈન-જૈનેતર ભાઈ–બહેનો માટે ગુજરાત વિદ્યાપીઠના સર્ટિફિકેટ કોર્સના પ્રવેશ માટે અરજી મંગાવવામાં આવે છે. લંડન, મુંબઈ યુનિવર્સિટીમાં જૈન ફિલોસોફી ડિપાર્ટમેન્ટમાં ચાલતા કોર્સમાં જૈન દર્શનના વિવિધ વિષયોનું પ્રાથમિક અને ઉચ્ચ કક્ષાનું અધ્યયન કરાવવામાં આવે છે. જે હવે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠમાં પણ કરાવવામાં આવે છે.
વાર્ષિક સત્ર જાન્યુઆરી ૨૦૦૯ થી ડિસેમ્બર-૨૦૦૯ સુધી વાર્ષિક કોર્સ ડીશ. ૫૦૦/
દર શનિવારે બપોરે ૧-૦૦ થી ૫-૦૦ નો સમય રહેશે.
પ્રવેશ ચાલુ છે. વહેલી તકે સંપર્ક કરો. સંપર્ક : ડૉ. પૂર્ણિમા એસ. મહેતા, આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦૦૧૪. ફોન નં. ૨૭૫૪૨૦૯૮.