SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર, ૨૦૦૯ પુસ્તકનું નામ : આત્મિક શાવિકાસની ભૂમિકાઓ લેખક : મુનિશ્રી અમરેન્દ્ર વિજયજી પ્રકાશક : જ્ઞાનજ્યોત ફાઉન્ડેશન ટ્રસ્ટ, C/o. દિનેશ એચ. દેઢિયા, ૪૦૫, કમલા નગર, એમ. જી. રોડ, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૭. ફોનઃ (૦૨૨)૬૪૫૧૪૬૭૧. મૂલ્યઃ રૂા. ૧૦/-, પાના ૧૬, પ્રથમ આવૃત્તિ ૨૦૦૮. પૂજ્ય મુનિશ્રીની સર્વશ્રેષ્ઠ કૃતિ 'આત્મજ્ઞાન અને સાધનાપથ'ના ચોથા પ્રકા અનુભૂતિજન્મ જ્ઞાનના રૂપ-સ્વરૂપની છબી આ નાનકડી પુસ્તિકામાં પ્રગટ થાય છે. જાત વિશેના તથા જગત વિશેના વ્યક્તિના ખ્યાલ અનુભૂતિ કેવી રીતે બદલી નાંખે છે તેનું નિરૂપણ મુનિશ્રીએ કર્યું છે. આધુનિક વિજ્ઞાનના નિષ્કર્ષોની ગહન છતાં રસપ્રદ ચર્ચા આ પુસ્તિકામાં કરી છે. વાચકોને અંતર્મુખતાના ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે આ પુસ્તિકાનું શાંત મને વાંચન જરૂરી છે. XXX પુસ્તકનું નામ : સેતુબંધ લેખક : મુનિ રાજચંદ્ર વિજયજી પ્રકાશક : શ્રી રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ C/o. વિનસ મેડીકલ, ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે, અમદાવાદ-૩૮૦ ૦૧૪. ફોનઃ (.) ૨૭૫૪૦૩૧૨. પ્રાપ્તિસ્થાન : ન. વિ. રામસૂરીશ્વરજી તત્ત્વજ્ઞાન સંસ્કૃત પાઠશાળા શાહ ભુવન, ધર્મનાથ દેરાસરની સામે, કાર્ટર રોડ નં. ૧, બોરીવલી (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૬. આ ગ્રંથના પ્રવચનકાર પૂ. તપાગચ્છાચાર્ય રામ-અભય દેવસૂરિના શિષ્ય તત્ત્વપ્રવચન પ્રજ્ઞ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે આપેલા પ્રવચનોનું અવતરણ મુનિ રાજદર્શનવિજયજીએ કરેલ છે. આચાર્ય દેવ શ્રી રત્નચંદ્રસૂરિજી મહારાજ સાહેબ જૈન જગતમાં તાત્ત્વિક પ્રવચનમાં કુશળ વના તરીકે જાણીતા છે. આચાર્યદેવશ્રીના શિષ્ય રત્ન મુનિ રાજદર્શન વિજયજીએ પ્રવચનકારના આશયને સાચવીને રોજ-બરોજના પ્રવચનો લખવાનું સુંદર કામ કર્યું. પ્રભુ જીવન સર્જન-સ્વાગત આવ્યો છે. a ડૉ. કલા શાહ મહાત્માનું સાદાઈભર્યું જીવન સંસારીજનોને શી રીતે પ્રભુના શાસન સાથે જોડી આપે છે તે સેતુબંધ' સાચા શબ્દનો સેતુ રચી આપે છે. આ ગ્રંથનું પરમ લક્ષ્ય છે. આમ આ ગ્રંથનું નામ આ ગ્રંથની વિશેષતા એ છે કે પ્રવચનમાં વ્યક્ત થતો પ્રભુના વચનોનો તાત્પર્યાર્થ મુનિશ્રીએ પાને પાને ઝીલ્યો છે. તત્ત્વાર્થની ભરપૂર એવા વિચારોને પાને ઝીલ્યો છે. તત્ત્વાર્થની ભરપૂર એવા વિચારોને અભકાવતાં વીજળી સમા વાક્યો પ્રાસંગિક ઉદાહરણો અને દૃષ્ટાન્તો દ્વારા પ્રવચનના ગૂઢ વિષયને સરળ અને મધુર તથા હૃદયસ્પર્શીબનાવે છે. આ સેતુબંધ આપણાં જીવનને પ્રભુની સાથે અને ધર્મની સાથે જોડનારી ગ્રંથ છે. XXX પુસ્તકનું નામ ઃ કથાબોધ સુવિશુદ્ધ દેશના દાતા વ્યાખ્યાન વાચસ્પતિ પૂ આચાર્યદેવ શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજના પ્રભાવક પ્રવચનમાંથી સંયોજક : પૂ. આ. શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્ર સૂધીરજી મહારાજ પ્રકાશન : મોક્ષમાર્ગ પ્રકાશન, સુરત પ્રાપ્તિસ્થાન : જિનવાણી પ્રચારક ટ્રસ્ટ, ૪૯, બેંક ઑફ ઈન્ડિયા બિલ્ડિંગ, ૧૮૫, શેખ મેમન સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૩. મૂલ્ય ઃ રૂા. ૧૦૦/- પાના ઃ ૩૪૦, આવૃત્તિ ઃ પ્રથમ વિ. સં. ૨૦૬૫ વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ. વિજયરામચંદ્ર સૂરીજી મહારાજાના શ્રીમુખે કોવાયેલી કથાઓ તથા કથાપ્રસંગો ઘણાં વર્ષો પૂર્વે ‘કથાઓ અને કથા પ્રસંગો-ભાગ-૧-૨' તરીકે પ્રકાશિત થયા હતા. તેને નજર સમક્ષ રાખીને કથા પરિચય સંકલિત કરવામાં આવ્યો છે. કોઈ ધર્માચાર્યના મુખે કહેવાતી કથાનું રૂપ-સ્વરૂપ કેવું હોય તેનું સચોટ દર્શન કરાવવા આ કથાઓ સમર્થ છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે ‘જૈન પ્રવચન’ સાપ્તાહિકના અંકોમાંથી સંયોજિત આ કથાઓ જે જે વિષયના ઉપદેશના સમર્થનમાં કહેવાઈ ની તે વિષયના ઉપદેશમાંની કેટલીક હકીકતોનો દરેક ૨૭ કથાના પ્રારંભમાં અને અંતમાં સંગ્રહિત કરવામાં આ કારણે આ સંગ્રહ કેવળ કથાત્મક જ ન બનતાં મુખ્યત્વે ઉપદેશાત્મક બન્યો છે. આ ગ્રંથની ૩૫ કથાઓ બોધાત્મક લીપી વર્ણવાયેલ હોવાથી કથાબોધ' નામ સાર્થક સિદ્ધ થાય છે. આ ગ્રંથમાં લખાયેલ ૧ થી ૨૪ સુધીના કથાપ્રસંગો જૈન શાસનના કાર્યાગ સાથે સંબંધિત છે જ્યારે ૨૫ થી ૩૫ સુધીના કથા પ્રસંગો બોધક બને તેવા હોવાથી અહીં સંકલિત ક૨વામાં આવ્યા છે. કથાવાચનના રસિયાઓને આ ગ્રંથ ગમશે એ જ રીતે તત્ત્વાર્થીજનોને પણ પ્રિય થઈ પડશે. XXX પુસ્તકનું નામ : શાશ્વત નવકાર મંત્ર લેખક : ડૉ. રમણલાલ ચી. શાહ પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. મૂલ્ય : રૂ. ૧૫૦/- પાના ઃ ૨૬૨, આવૃત્તિ : પ્રથમ ઓગસ્ટ-૨૦૦e. નમસ્કાર મહામંત્ર જૈન ધર્મનો મુખ્ય મંત્ર છે. આ મંત્ર સકલ શ્રુતનો સાર છે અને સકલ તીર્થનો પણ સાર છે. નમસ્કાર મહામંત્ર પર અનેક ગ્રંથો લખાયા છે અને તેનો મહિમા વર્ણવતા ગ્રંથો પણ લખાયા છે. ડૉ. રમણભાઈ શાહે સમયે સમયે નમસ્કાર મહામંત્ર પર લખેલા લેખોનો આ સંગ્રહ નવકાર વિશેની સાચી, સૂક્ષ્મ અને સરળ સમજ આપી જાય છે. પ્રત્યેક પદનું સ્વરૂપ રમણભાઈએ લેખ સ્વરૂપે આપેલ છે. રમણભાઈમાં શાસ્ત્રી પદાર્થોને સરળ ભાષામાં રજૂ કરવાની અદ્ભુત કલા હતી. સર્વ સામાન્ય જનોને સમજાય તેવી સ૨ળ અને સુબોધ શૈલીમાં નવકાર મહામંત્રના પાનો અહીં પરિચય કરાવ્યો છે. આ લેખોનું વાંચન કરતી વખતે સ્વયં રમણભાઈ આપણી સાથે હોય તેવી અનુભૂતિ આપણને થાય છે. નવકારમંત્રના આરાધકોને નવકાર મંત્રના પર્દાના અક્ષરોની સૂક્ષ્માતિસૂક્ષ્મ સમજ પ્રાપ્ત કરવી હોય તેણે આ પુસ્તક વાંચવા અને વસાવવા જેવું છે. XXX બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૩. ફોન નં. : (022) 22923754
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy