________________
ડિસેમ્બર, ૨૦૦૯
યાત્રા કરી અને જીવનની પ્રત્યેક પળ એઓશ્રીએ જિન શાસન અને જૈન પ્રાચીન સાહિત્યને સમર્પિત કરી, પરંતુ આચાર્ય કે એવા કોઈ પદની ક્યારેય ઈચ્છા ન કરી. સર્વદા પોતાને ‘જૈન મુનિ જંબૂવિજય' જ કહે અને લખે, પાંડિત્ય અને પાવનત્વનો આવો સુમેળ એક જ વ્યક્તિમાં ભાગ્યે જ મળે.
ન
પ્રબુદ્ધ જીવન
હિમાલયમાં બીકેદાર પર પૂજ્યશ્રીએ જિન મંદિરની પ્રતિષ્ઠા કરી, અને ‘મારી હિમાલય યાત્રા' પુસ્તકનું સર્જન કર્યું. પત્ર રૂપે લખાયેલું આ પુસ્તક પત્ર-પ્રવાસ સાહિત્ય જગતનું અણમોલ નજરાણું છે.
પૂજ્યશ્રીના સત્સંગથી અનેક પરદેશીઓના જ્ઞાનમાં વૃદ્ધિ થઈ એટલું જ નહિ પણ એ સર્વે શાકાહારી અને જૈન આચારધર્મી બન્યા. પૂજ્યશ્રી જ્યારે યુવાન હતા ત્યારે એ સમયના સમર્થ પંડિતો પં. સુખલાલજી અને પં. બહેચરદાસજી જેવા અનેક પૂજ્યશ્રીના જ્ઞાન પ્રત્યે આકર્ષાયા હતા.
પૂજ્યશ્રીએ જૈન તત્ત્વ સાહિત્યના ક્ષેત્રમાં જે જે અમૂલ્ય પ્રદાન કર્યું છે એની યાદી લખવા જઈએ તો એ યાદી દીર્ઘ બને. પૂજ્યશ્રીના સાહિત્ય કર્મ ઉપર પીએચ.ડી.ના ગ્રંથો લખાય એટલું વિપુલ અને ઊંડું સાહિત્ય કર્મ એઓશ્રીએ કર્યું છે. સાત વર્ષના અથાગ પરિશ્રમ બાદ દાર્શનિક પંડિત સુખલાલજી અને પ્રાકૃતના મહાવિદ્વાન પંડિત બેચરદાસ દોશી શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિએ લખેલા 'સન્મતિ પ્રકરણ ગ્રંથ'નું સટિક સંપાદન કર્યું. આ ગ્રંથમાં રહેલી ક્ષતિઓ ત૨ફ એ સમયે ૨૩ વર્ષના યુવાન મુનિ જંબૂ વિજયાએ ધ્યાન દોર્યું ત્યારે બધાં ચકિત થઈ ગયા અને જૈન તત્ત્વજ્ઞાનના અદ્ભુત
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા ૦૨-૦૧૨૦૧૦ શનિવારના રોજ સાંજના ૫-૦૦ કલાકે મારવાડી વિદ્યાલય હાઈસ્કૂલ, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ ખાતે મળશે જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે. (૧) ગત વાર્ષિક સભાની મિનિટ્સનું વાંચન અને બહાલી. (૨) ગત વર્ષ ૨૦૦૮-૦૯ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તેમજ શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને
પુસ્તકાલયના વૃત્તાંત તથા ડિટેડ થયેલા હિસાબો મંજૂર
૫
અને ગહન ગ્રંથ 'દ્વાદશારે નપચક્રમ્'ના સંપાદનનું કામ એઓશ્રીને સોંપાયું.
૧૯ વર્ષે પ્રથમ ભાગ, ૪૦ વર્ષે ૩ ભાગ પ્રગટ કરી મુળગ્રંથને પૂજ્યશ્રીએ જીવંત કર્યો. ૪૦ વર્ષના અવિરત પુરુષાર્થથી આ દાર્શનિક ગહન ગ્રંથનું પુનઃ સર્જન જેવું સંપાદન કાર્ય પૂજ્યશ્રીએ કર્યું. આ ઘટના માત્ર જેન શાસનને જ નહિ, પરંતુ રાષ્ટ્રને ગૌરવ અપાવે એવું મહોદધિ કાર્ય આ પૂજ્યશ્રીએ કર્યું છે. (આ વિશે જિજ્ઞાસુને ગુજરાત સમાચાર-૩ ડિસેમ્બરના ‘ઈંટ અને ઈમારત'માં ડૉ. કુમારપાળ દેસાઈનો લેખ વાંચવા વિનંતિ.)
કરવા.
(૩) સને ૨૦૦૯-૧૦ ની સાલ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પદાધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની નિમણૂક
(૪) સને ૨૦૦૯-૧૦ ની સાલ માટે સંઘ તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના ડિટર્સની નિમણૂક કરવી . (૫) પ્રમુખશ્રીની મંજૂરીથી અન્ય રજૂઆત.
માત્ર જ્ઞાનના ક્ષેત્રે જ નહિ, પણ કરુણાના ક્ષેત્રે પણ એઓશ્રી એટલા જ સક્રિય હતા. મુંગા જીવોની સેવા માટે પાંજરાપોળની પ્રવૃત્તિમાં સતત પ્રવૃત્ત રહ્યા, તેમજ ગરીબ વર્ગ માટે ઉપયોગી થવા સર્વદા પુત્રી તત્પર રહેતા. પૂજ્યશ્રી આવા ક્રુષ્ણાવતાર હતા.
પૂજ્યશ્રી જંબૂ વિજયજીની અકસ્માતે વિદાયથી માત્ર જૈન શાસન માટે જ નહિ પણ સમગ્ર ભારતીય સંસ્કૃતિને ખોટ પડી છે.
ભારતના ગ્રંથ ભંડારોમાં સમાધિસ્થ સ્થિતિમાં રહેલા એ પ્રાચીન પૃષ્ટો પાસે જઈને એ પૃષ્ટોને આપણે આ દુઃખદ સમાચાર આપીશું તો એમની આંખોમાં પણ અશ્રુ ઉભરાશે અને એજ આંખોમાં કોઈ મહાન આત્માની ‘રાહ’ જોવાની મુદ્રાના દર્શન પણ થશે.
વાર્ષિક સામાન્ય સભા
પૂજ્યશ્રીના મહાન આત્માને નમો નમઃ
આવા અકસ્માતમાં કાળધર્મ પામેલા સર્વે સાધુ-સાધ્વીના આત્માને અમારા કોટિ કોટિ નમન.
ધનવંત શાહ
ઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં જણાવવાનું કે સંઘ તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના ડિટ થયેલા હિસાબો શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. તા. ૨૮-૧૨-૨૦૦૯ થી તા. ૩૦-૧૨-૨૦૦૯| સુધીના દિવસોમાં બપોરના ૩ થી ૬ સુધીમાં સંધના નવા કાર્યાલયમાં કોઈપણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે. કોઈને આ આ સામાન્ય સભામાં હિસાબો અંગે પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તો વાર્ષિક સામાન્ય સભાના બે દિવસ અગાઉ લેખિત મોકલવા તેઓને વિનંતી.
જે સભ્યોને ઑડિટ કરેલા હિસાબોની નકલ જોઇએ તો તેમની લેખિત અરજી મળતાં નકલ મોકલવામાં આવશે. વાર્ષિક સામાન્ય સભામાં સર્વ સભ્યોને ઉપસ્થિત રહેવા વિનંતી છે. કાર્યાલયનું નવું સરનામું : ૩૩, મહંમદી મીનાર, ભોંયતળિયે, ૧૪મી ખેતવાડી, A.B.C. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪.
નિરુબહેન એસ. શાહ
ડૉ. ધનવંત ટી. શાહ
મંત્રીઓ