________________
નવેમ્બર, ૨૦૦૯
બહારવટિયા મીરખાંના નામનો ચારેબાજુ ભય ફેલાયેલો છે. એનાથી ભલભલા ધ્રૂજે છે અને એથી જો મીરખાંના નામે ગામ ડરીને રૂપિયા પહોંચતા કરી જાય, તો કામમાં ફતેહ મળી જાય. જિંદગીભરનું દેવું એક જ ધાએ ચૂકવાઈ જાય.
પણ મગનની બાજી તો ધૂળમાં મળી ગઈ. વળી એન્ને દારૂના નશામાં પોલીસો અને ગામ લોકોને બધી વાત માંડીને કહી દીધી. એના સાથીદારોના નામ પણ આપ્યાં. એમને પણ પકડવામાં આવ્યા અને ધાસની ગંજ બાળવા માટે લાવવામાં આવેલ ધાસલેટ (કેરોસીન)નો ડબ્બો પણ ઝડપાયો. ગામના કયા વેપારીની દુકાનેથી એ લાવવામાં આવ્યો હતો એની પણ ભાળ મળી. આમ આખોય કંસ એવો મજબૂત હતો કે મગનનો કોઈ બચાવ કરી શકે તેમ નહોતું. પોલીસ એને પકડીને લઈ ગઈ. સહુએ માન્યું કે ગામનો એક કાંટી ગયું, નહીં તો કેટલાય યુવાનોનું જીવતર એણે બગાડી નાંખ્યું હોત.
મગનના બાપ અમથુ
દરબાર સાથે જાત્રાએ ગયા હતા. એમને ખબર મળી, ત્યારે એ અભણ માણસે પત્તામાં
(પોસ્ટકાર્ડ)માં એટલું લખાવ્યું. ‘જેનું અન્ન આપણા પેટમાં હોય અને એનું ખરાબ કરીએ તો ઈશ્વર ન સાંખે. મારો દીકરો આવી ન હોય. એને કાયદેસર જે સજા થતી હોય તે ભલે થાય. કદાચ એકવાર સજા કરવાથી એનું ભવિષ્ય સુધરી પણ જાય.'
કોઈ બીજાં પિતા હોત તો એણે ઠેઠ સુધી લાંચ અને લાગવગ લગાવી હોત, પણ આ અભણ માણસ આબરૂ અને આમન્યાનો મહિમા જાકાતો હતો. એણે ધાર્યું
હોત તો દરબાર સાહેબની લાગવગથી સાક્ષીઓને કમજોર
બનાવી નાખ્યા હોત અને પુત્રને શકનો લાભ અપાવી શક્યો
હોત, પણ જીવનભર સચ્ચાઈ
૨૫
અને ખાનદાનીને વળગી રહેલા અમથુજીએ આ આફતના સમયમાં પણ એનો જ આશરો લીધો.
પ્રબુદ્ધ જીવન
મગનને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો, ત્યાં સુધી એમણે ઉંબર બહાર પગ પણ ન મૂક્યો. જિંદગીની સંધ્યાએ લાગેલા ધાએ અમયુજીના જીવને અંદરથી કોરી ખાધો. ગામમાં આબરૂને આત્મા સમાન માનતા અમથુજીને આબરૂ ગયા પછી જાણે એના દેહમાંથી આત્મા ઊડી ગયો હોય એમ લાગતું હતું. નિઃસાસો નાંખીને એ ધણીવાર બોલતા,
‘અરે, મારે ત્યાં ભગવાને કોઈ દુશ્મનને દીકરો બનાવીને મોકલ્યો! નક્કી પરભવનાં કોઈ પાપ નડ્યા.'
શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આયોજિત
વીસમો જૈન સાહિત્ય સમારોહ
રૂપ માણાક મંશાલી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી ૨૦ મો જૈન સાહિત્ય સમારોહ ૨૦૧૦ માં જાન્યુઆરી ૨૯ અને ૩૦મી તારીખે રતલામ (મધ્ય પ્રદેશ) માં અને ૩૧ મી એ નાગેશ્વર (મધ્ય પ્રદેશ) માં યોજાશે. આ સમારોહનું સંયોજન અને સંચાલન જૈન ધર્મના અભ્યાસી ડૉ. ધનવંત શાહ કરશે.
સમારોહનું વિષય શિર્ષક જૈન સાહિત્ય ગૌરવ ગ્રંથ' છે. સમારોહમાં ભાગ લેનાર વિજ્ઞાન મહાનુભાવોએ જૈન ધર્મના પ્રાચીન, હિન્દી અથવા અંગ્રેજીમાં વિગતે લઘુ નિબંધ તૈયાર કરી એ નિબંધનું ૨૦ મધ્યકાલિન અથવા અર્વાચીન કોઈપણ એક જૈન ગ્રંથ ઉપર ગુજરાતી, મિનિટ વાંચન અને ચર્ચા કરવાની રહેશે. ગ્રંથોની યાદી શ્રી મહાવીર જૈન વિદ્યાલયની મુંબઈ શાખામાંથી પ્રાપ્ત થશે. (ફોન નં. ૨૩૭૫ ૯૧ ૭૯ |૨૩૭૫૯૩૯૯૨૫૦૪૯૩૯૭ ૬૫૨૨ ૮૩૮૬, ફેક્ષ નં. ૨૩૭૨ ૯૨ ૪૨, ઈ. મેઈલ-hosmjvs rediffmail.com)
નિબંધ પ્રસ્તુત કરનાર મહાનુભાવ વિદ્વાનોને પોતાના સ્થાનેથી આવવાજવાનો પ્રવાસ ખર્ચ શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી અર્પણ થશે, તેમ જ રહેવા વગેરેની વ્યવસ્થા ઉપર જણાવેલ નિયંત્રક ટ્રસ્ટ કરશે અને નિબંધ લેખકનું માનદ પુરસ્કારથી સન્માન કરો.
પ્રાપ્ત નિબંધો ભવિષ્યમાં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થશે. વિજ્ઞાન નિબંધ લેખો ઉપરાંત જૈન ધર્મના અભ્યાસુ અને જિજ્ઞાસુઓને પણ આ સમારોહમાં પધારવાનું રૂપ માણક ભંશાલી ટ્રસ્ટ તરફથી નિયંત્રણ એ સર્વેની સર્વ વ્યવસ્થા પણ આ નિયંત્રક ટ્રસ્ટ કરશે.
છે.
જે વિદ્વાનો અને જિજ્ઞાસુ અભ્યાસીઓ આ સમારોહમાં પધારવા ઈચ્છતા હોય નેઓશ્રીએ પત્ર દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી કચ્છી વિશા ઓશવાલ જૈન મહાજન વાડી, ૯૯/૧૦૧, કેશવજી નાયક રોડ, ચીંચ
બંદર, મુંબઈ-૪૦૦૦૦૯ એસરનામે જાણ કરવાની રહેશે તેમ જ ઉપરના કોન નંબર ઉપર વિદ્યાલયના શ્રી હેમંતભાઈ બી. શાહને તા. ૩૦-૧૧-૨૦૦૯ સુધી સંપર્ક કરવા વિનંતી છે.
ગરીબ અને અભણ અમથુજીએ હોટલ વેચી દીધી. બંગડીવાજાની ખેરાત કરી નાંખી અને દીકરાનું જે દેવું હતું તે ટૂંકી કમાણીમાંથી કરકસર કરીને
વાળ્યું.
મગને લખેલી જાસાચીદીની વાત ગામે જાણી, પોલીસ એને બેડીઓ પહેરાવી થાણે લઈ ગઈ.
એ દિવસે આખા ગામે પેટ ભરીને ખાધું અને નિરાંતે ઊંધ લીધી.
બીજે દિવસે અનેક જગાએ
સત્યનારાયણની કથાઓ અને શિવ-મહિમ્નસ્તોત્ર જપના પારાયણ આરંભાષા, થોડે દિવસે તો વરસોડા ગામ બહારવટિયા
મીરખાંની વાત ભૂલી ગયું,
આ ઘટનાએ ભીખાલાલને વિચારતા કરી મૂક્યા. શહેરના આકર્ષણોથી થતી ગામડાંના યુવકોની બરબાદી એમણે મગનમાં જોઈ અને આ વાત એમણે એમની વાર્તાઓમાં વણી
લીધી
(ક્રમશ:) ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી,
અમદાવાદ-૩૮૦ ૦૦૭.
મોબાઈલ ૦૯૮૨૪૦૧૯૯૨૫