SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ८ પ્રબુદ્ધ જીવન છે. આપણી અદ્દભૂત નરવસ સિસ્ટમ (નારી તંત્ર દ્વારા શરીરના ચોક્કસ અવયવને પ્રવૃત્તિ કરવાનો આદેશ આપે છે અને આ વૃત્તિઓનું પ્રવૃત્તિઓમાં રૂપાંતરણ થાય છે. યોગની પ્રવૃત્તિ શરૂ થાય છે અને નવાં કર્મોનો બંધ થાય છે એ સમયે કષાયાદિની તીવ્રતા મંદતાના આધારે નવાં કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને બંધ થાય છે. આ નવાં કર્મનો અબાધાકાળ પૂરો થતાં કે નિમિત્ત મળતાં પાછા ઉષમાં આવે છે, વૃત્તિ ઉત્પન્ન કરે છે, જે પ્રવૃત્તિમાં પરિણમે છે અને નવાં કર્મો બંધાય છે. આમ કર્મનું વિષચક્ર ચાલુ રહે છે. જીવને સંસારમાં જન્મ-મૃત્યુના ચક્કરમાં રખડાવે છે, નચાવે છે, એના પ્રોગ્રામ મુજબ સુખ-દુઃખનો અનુભવ કરાવે છે. એકાંત દુઃખમય સંસારમાંથી છૂટવા માટે કર્મના આ વિષચક્રને તોડવાની જરૂર છે. આને માટે આવશ્યક પગલું છે. આત્માના પોતાના ગુણોને જાણવાનું 'હું આત્મા છું, શરીર નથી”, એવું ભેંશાન થવાથી જ આત્માર્થ થવાય છે. નવેમ્બર, ૨૦૦૯ પ્રત્યેક કાર્ય માટે પાંચ સમવાય કારણો હોય છે કાળ, સ્વભાવ, કર્મ (પ્રારબ્ધ અથવા નસીબ), પુરુષાર્થ અને નિયતિ. પ્રત્યેક કાર્ય એનો સમય આવે ત્યારે થાય છે. પદાર્થના સ્વભાવ પ્રમાણે થાય છે અને જીવના કર્મ-પ્રારબ્ધ અનુસાર અથવા તો ઈશ્વરની ઈચ્છા અનુસાર થાય છે. પણ જૈન દર્શન નિતાંત વ્યક્તિવાદી અને પુરુષાર્થવાદી દર્શન છે. એ દૃઢપણે માને છે કે આત્મા પોતાના પુરુષાર્થથી કર્મને-ભાગ્યને બદલી શકે છે. આત્મા પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે. કર્મની દસ અવસ્થાઓમાં ત્રણ અવસ્થા છે-ઉદીરણા, સંક્રમણ અને નિયતિ. ઉદીરણા એટલે કર્મનો ફળ આપવાનો નિશ્ચિત સમય થાય એ પહેલાં એને ભોગવી લેવાં અર્થાત્ ઉષમાં આવે તે પહેલાં એની ઉદીરણા કરી અને ભોગવી લેવાં. સંક્રમણ એટલે કે સજાતીય પ્રકૃતિનું અંદર અંદર પરિવર્તન થયું, જેમકે આત્મા ધ્યાન મંત્ર આદિ પ્રવૃત્તિ દ્વારા અશાતા વેદનીયનું શાતા વેદનીયમાં સંક્રમણ કરી શકે છે. પરંતુ 'નિકાચિક' કર્મમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. આવાં કર્મ કરતી વખતે આત્માના પરિણામ-ભાવો-એટલાં બધાં તીવ્ર હોય છે કે એ અત્યંત ચીકણા કર્મ બાંધે છે જેને એણે ભોગવવા જ પડે છે. પણ નિકાચિત સિવાયના ‘દલિત' કર્મોમાં આત્મા પોતાના અકર્મવીર્યથી આત્માશક્તિથી-પુરુષાર્થથી ઉદીરણા અથવા સંક્રમણ કરી શકે છે. કર્મનું વિષચક્ર તોડવા માટે એક અન્ય પુરુષાર્થ પણ છે. એ છે-પાપ કર્મ ઉદયમાં આવે ને અશુભ ફળ આપે ત્યારે સમભાવથી-સમતાથી સહન કરવાનો, આમ કરવાથી જૂનાં કર્મ ખપી જશે નવા નહીં બંધાય. આમ આત્મા કર્મ કરતી વખતે સ્વતંત્ર હોય છે પણ ભોગવતી વખતે સ્વતંત્ર અથવા પરતંત્ર બંને હોઈ શકે છે. ભગવાન મહાવીરે આત્માને કર્મના વિષચક્રમાંથી છૂટવા માટે, આત્માના શુદ્ધિકરણ, ઉત્તરીકરણ માટે બે માર્ગો બતાવ્યા છે–સંવર અને નિર્જરા. સંવર એટલે નવાં કર્મોના બંધને રોકવાની પ્રક્રિયા. આશ્રવ એટલે આત્માના કલુષિત ભાવી જેનાથી કર્મબંધ થાય. આ આશ્રવનો નિરોધ કરવો એનું નામ સંવ૨. આને માટેનું પગલું છે-સમ્યક દર્શનની-બોધિરત્નની પ્રાપ્તિ. જે વસ્તુ જેવી છે તેવી એના ખરા સ્વરૂપમાં જાણાવી સમ્યજ્ઞાન છે, એને બોધિ-સંબોધિ પણ કહેવામાં આવે છે. આ બોધિ રત્ન પ્રાપ્ત કરવા માટે દર્શન મોહનીય કર્મનો થોપશમ કરવાની જરૂર છે, કારણ કે આ કર્મ આત્માને પોતાના સાચા સ્વરૂપનું ભાન નથી થવા દેતું. આત્માની શુદ્ધિકરણની પ્રક્રિયા એટલે જે કારણોથી કર્મબંધ થાય છે એ જ કારણોને વિપરીત દિશામાં ફેરવી નાંખવાની પ્રક્રિયા. ભગવાને કહ્યું છે ‘જે આસવા તે પરિસવા, જે પરિસવા તે આસવા. એટલે કે જે આશ્રવ છે-કર્મબંધનું કારણ છે, તે જ પરિશ્રવ પણ છે. કર્મ રોકવાનું પણ એજ કારણ બની શકે છે. કર્મબંધન માટે મુખ્ય કારણ છે મન-વચન-કાયાની પ્રવૃત્તિ, તો એને તોડવા માટે પણ આ ત્રણ યોગની પ્રવૃત્તિનો જ ઉપાય બતાવવામાં આવ્યો છે. ફેર માત્ર એટલો છે કે હવે આ પ્રવૃત્તિઓનો એક માત્ર ઉદ્દેશ હશે-આત્માનું શુદ્ધિકરણ, કર્મબંધન રોકવું અને કૃત કર્મને તોડવા. જૈન કર્મવાદમાં આયુષ્ય સિવાય બધી જ જાતના કર્મને ક્ષીણ કરવાના પુરુષાર્થનું વિવેચન છે. પણ આ પુરુષાર્થ સમ્યક્ દૃષ્ટિ યુક્ત થવો જોઈએ. સમ્યક્ દષ્ટિ વગરનો અવળો પુરુષાર્થ પ્રત્યુત નુકસાન કરે છે. પુરુષાર્થ માટે છ વસ્તુ આવશ્યક છેઃ ‘ઉદ્યમ સાહસઃ ધૈર્ય, બુદ્ધિઃ શક્તિઃ પ્રાક્રમઃ ષડેતે યંત્ર વર્તન્તે, તત્ર દેવઃ સહાયકમ્' ।। બીજું પગલું તે કાર્યોત્સર્ગ. આને માટે પ્રથમ પાંચ જાતના સંકલ્પો કરવાના છે ૧. તસ્સ ઉત્તરી કરાં-તે પાપકારી પ્રવૃત્તિરૂપ આત્માનું ઉત્તરીકરણ એટલે કે શુદ્ધિકરણ કરવા માટે. ૨. પ્રાયશ્ચિત્ત કરવા માટે-જે ભૂતકાળમાં એવી પ્રવૃત્તિઓ કરી એનું પ્રાયશ્ચિત્ત કરવા માટે. ૩. વિસોહી ક૨ણેણં-કર્મ રૂપી રજ-મેલથી મલિન આત્માની કરવા માટે. ૪. વિસલ્લી કરણાં-રાગ, દ્વેષ રૂપી શય, ૪ કષાય અને નવ નોકષાય રૂપી કાંટાઓને દૂર કરવા માટે, ૫. પાપકર્મનો નાશ કરવા માટે. હવે આપણે શુદ્ધિકરણની પ્રક્રિયાના ક્રમની ચર્ચા કરીએ. સર્વપ્રથમ પગલું છે–સામાયિક. સામાયિકમાં સંકલ્પ કરવાનો છે કે 'સાવજ્જે જોગં પચ્ચખામિ. ‘સર્વ પ્રકારા સાવધ યોગોનો ત્યાગ કરું છું. અર્થાત્ ચોક્કસ સમય (૪૮ મિનીટ) સુધી હું કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહીં કરું. મારા મનથી, વચનથી અને કાયાથીશુદ્ધિ પાપ કરીશ નહીં અને અન્ય કોઈ પાસે કરાવીશ નહીં. અકુશળ મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો નિરોધ કરી માત્ર કુશળ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ જ કરીશ. આ ત્રણેય યોગની પ્રવૃત્તિ ઉદિત કર્મના એકપણ આદેશ મુજબ નહીં કરું. આ આત્માનો પુરુષાર્થ છે જે જૈન ધર્મનો પાયો છે. ‘હામિ કાઉસગ્ગ', હું કાર્યાત્સર્ગ કરું છું. સાવદ્ય વૃત્તિવાળી કાયાનો ઉત્સર્ગ-ત્યાગ કરું છું, મન, વચન અને કાયાની બધી જ
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy