________________
તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯
કરી રહ્યો છે કે પ્રત્યેક માનવીને માટે આળસ છોડીને સતત મહેનત અને સત્તત કર્મનિષ્ઠા અનિવાર્ય છે. જુઓઃ प्रवृत्तिमन्तरा शक्ति: कुत्राऽपि नापपद्यते । प्रवृत्तिमन्तरा कार्यं, साध्यते नैव योगिभिः ।।
પ્રબુદ્ધ જીવન
(કર્મયોગ, શ્લોક ૧૨) ‘પ્રવૃત્તિ વિના રાક્તિ ક્યાંય હોય નહિ, પ્રવૃત્તિ વિના યોગીઓ પણ કાર્ય સિદ્ધ કરી શકતા નથી.'
આવતીકાલનું સુંદર સ્વપ્ન નિહાળવાનો તમને હક છે પણ તમને નિષ્ક્રિય બનીને બેસી રહેવાનો હક નથી. પ્રવૃત્તિમાંથી શક્તિ જન્મે છે, સમર્થ બનાય છે. જીવનના, ધર્મના, સાધનાના પ્રત્યેક ક્ષેત્રોમાં પ્રવૃત્તિમય રહેવું પડે. અલબત્ત, એ માટે દરેકે પોતાની બુદ્ધિ મુજબ સમજણ પૂર્વક આગળ વધવું જોઇએ. આ માટેનો માર્મિક નિર્દેશ જુઓ ज्ञानयोगं समासाद्य, प्रवृत्तिः स्वाऽधिकारिकाः । क्षेत्रकालानुसारेण साध्यते कर्मयोगिभिः ।।
(કર્મયોગ, શ્લોક ૧૦) ‘કર્મયોગીઓએ ક્ષેત્ર અને કાલ અનુસાર પોતાના અધિકાર પ્રમાણે જ્ઞાનયોગનો આશ્રય લઈને પ્રવૃત્તિ કરવી જોઇએ.'
તમે માત્ર સતત પ્રવૃત્તિમય રહે એટલું જ જરૂરી નથી પણ તમારી યોગ્યતા મુજબ, યોગ્ય હોય તેવી અને યોગ્ય દિશામાં પ્રવૃત્તિ કરો તે પણ જરૂરી છે. તમે જે કરો તે સ્પષ્ટ સમજણ સાથે, તમારી યોગ્યતા અનુસાર કરશો તો સમય નહિ બગડે, કાર્ય સિદ્ધિ નજીક આવશે! સાયન્સના વિદ્યાર્થીને એ જ ક્ષેત્રમાં જવાનું યોગ્ય ઠરે, તેને આર્ટ્સમાં ન મોકલાયઃ એમ કરવાથી સમય, પૈસા, શક્તિ બધું જ વેડફાય; એના જેવું. આપણી આસપાસ અનેકવાર જોવા મળે છે કે પોતાને લાયક ક્ષેત્ર પસંદ કરવામાં અનેક લોકો થાપ ખાઈ જાય છે. ‘કર્મયોગ’ના ૨૬માં શ્લોકમાં કદાચ એથી જ કહ્યું છેઃ 'બધા કાર્યો કરનારા લોકો પોત પોતાના કર્મ અનુસાર શુભ અને અશુભ ફળ મેળવે છે, જ્યારે યોગીઓ બ્રહ્મશુદ્ધતા પ્રાપ્ત કરે છે.’ યોગીજનોને તેમની પ્રવૃતિ બ્રહ્મશુદ્ધતા આપે છે તેમ કહ્યું તેની સ્પષ્ટતા પણ ‘કર્મયોગ’ના ૨૮માં શ્લોકમાં છેઃ ‘આસક્તિ વિના કરવામાં આવેલું કર્મ નિર્જરા રૂપ છે. સકામ અને નિષ્કામ જેવી વૃત્તિ હોય તેવું થાય છે.”
જૈન ધર્મ માને છે કે તીર્થંકર પરમાત્મા અનંત શક્તિસંપન્ન હોય છે. શ્રી જૈન મહાવીર ગીતા'માં મહાવીરવાણી સાંભળોઃ
यत्र यत्र महाशक्तिस्तत्र तत्र वसाम्यहम् । सर्वशक्ति स्वरुपं मां जानन्ति कर्मयोगिनः ।।
૨૩
રહીએ છીએ, તેમાં જે કામ ક૨વાના છે તે કરીએ છીએ પણ અંતરદશા શુદ્ધ છે કે “આ કશું મારું નથી.' આ નિર્લેપપણું જ આપણને ત્યાગદશા સુધી પહોંચાડશે, તેવું જૈનધર્મ કહે છે. ‘કર્મયોગ'માં કહ્યું છે, ‘કર્મયોગીઓ જ્ઞાન દ્વારા મોહ રાખ્યા વિના નિર્લેપ બનીને કર્મ કરે છે. જેમ પાણીમાં કમળ રહે છે તેમ!'
(કર્મયોગ, શ્લોક ૧૦) ‘જ્યાં જ્યાં મહાશક્તિ હોય છે ત્યાં હું વસું છું. કર્મયોગીઓ મને સર્વ શક્તિ રૂપ જાણે છે.’
જૈનધર્મ માને છે કે પ્રત્યેક પ્રવૃત્તિ કરતી વખતે મનથી તેમાં લિપ્ત થવું ન જોઇએ, એ મુમુક્ષુનું કર્તવ્ય છે. સંસારમાં રહેવું પડે છે માટે
(કર્મયોગ, શ્લોક ૪૩)
વળી કહે છે, ‘કર્મયોગીઓ પ્રવૃત્તિ વડે જ સર્વશક્તિ પ્રાપ્ત કરી શકે છે, જેમ માતા વિના પુત્રનું અસ્તિત્વ નથી તેમ પ્રવૃત્તિ વિના શક્તિ સંભવ નથી.'
(કર્મયોગ, શ્લોક ૪૩) ધાર્મિક વ્યક્તિ આરાધનાથી આત્મકલ્યાણ માટે મથે છે તેમ ધર્મના રક્ષણ માટે પોતાની આહૂતિ આપતા પણ કદીય ખચકાતો નથી. ‘કર્મયોગમાં મહાવીર સ્વામી કહે છે,
मध्धर्मस्य विवृद्धयर्थं रक्षार्थं कर्मयोगिनः । मध्यस्तै धर्म कर्माणि कर्तव्यानि विशेषतः ॥ દ્વારા સવા મધ્યા નીરતા વિરાણ अहं वीर्यात्मना लभ्यो, निर्बलैर्न कदाचन ।। (કર્મયોગ, શ્લોક ૪૭, ૪૮) ‘મારા ધર્મની વૃદ્ધિ માટે, રક્ષા માટે કર્મયોગીઓએ, મારા ભક્તોએ ધર્મકાર્યો વિશેષ કરવા જોઇએ.'
‘બાહ્ય અને આંતરિક એવી વિશ્વનું રક્ષણ કરનારી વીરતાનું આરાધન હંમેશાં કરવું જોઈએ, હું વીરવ્યક્તિ દ્વારા પ્રાપ્ય છું, નિર્બળથી કદી નહિ, '
સાચા ભક્તની હંમેશાં શ્રદ્ધા રહી હોય છે કે પ્રભુ સદાય મારી સાથે છે. ગાંધીજીની પ્રાર્થના યાદ કરવા જેવી છેઃ ‘નિર્બલ કે બલ રામ !! પ્રભુનો આશ્રય મોટી વાત છે. જો આપણે પ્રભુની નજીક છીએ તો પ્રભુ તો સાવ નજીક છેઃ He is nearer to me than my self. એક અનુભૂતિ સાથે ચાલવું પડે, તો કંઈક અંદર સળવળે. આનંદ નિષ્પન્ન થાય. એવો આનંદ કે જે તમે વર્ણવી ન શકો. You can't explain it. yes, you can experience it. શ્રી મહાવીરસ્વામીનું આ ટંકશાળી વચન, સાવ જૂદી રીતે મમળાવવા જેવું છેઃ कर्मभ्यो नैव भेतव्यं मद्यक्तैः कर्मयोगिभिः । येषां चित्तेष्वहं वीरस्तत्र मोहस्य किं बलम् ।
(કર્મયોગ, શ્લોક ૬૧) ‘મારા ભક્ત એવા કર્મયોગીઓએ કર્મથી ડરવું જોઇએ નહિ, જેમના ચિત્તમાં વીર એવો હું છું તેમને મોહનો ડર કેવો ?’
શ્રી યશોવિજયજી મહારાજ શ્રી શીતલનાથ પ્રભુના વનમાં આવું જ કરે છે.
વિષય લગન કી અગન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા; ભઈ મગનતા તુમ ગુશ ૨સ કી, હુંશ કંચન હુંશ દ્વારા ?