SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ અત્યારે હું હાથમાં પેન પકડી લખી રહ્યો છું, તો મારો લખવાનો અનુભવ જ્ઞાત મનનો પ્રદેશ છે. જે અનુભવથી આપણે પોતે સભાન હોઈએ, જાગૃત હોઈએ, એ આપણા જ્ઞાત મનનો અનુભવ છે. લખતી વખતે સામે દિવાલ પર એક જીવડું ચાલી રહ્યું છે, એનો પણ મને ઝાંખો ખ્યાલ છે. એ થયું અર્ધજ્ઞાત મન. લેખન દરમિયાન ધારો કે, ‘મનન” શબ્દની જગ્યાએ મારાથી ‘મગન’ લખાઈ જાય (ભૂલ નહિ જ કરું એવા સંકલ્પ છતાં, તો એ ભૂલ Slip of Pan નહિ, પણ અજ્ઞાત મનના કારણે હોઈ શકે છે. કોઈ કહે છે કે નીતિમત્તા, ધર્મ, સંસ્કાર વગેરે જેને અમાન્ય કરે છે એવા આપણા વિચારો કે ભાવોને જ્ઞાત મન ધક્કો મારીને અજ્ઞાત મનના પ્રદેશમાં ધકલી દે છે (દમન – Repression – કરે છે), જેથી રોજ-બ-રોજના આપણા વ્યવહારમાં આ વૃત્તિઓ વિક્ષેપ ન પાડે અને આપણે સભ્ય, સુસંસ્કૃત દેખાઈએ. (કેવો દંભ આચરીએ છીએ આપણે !) જ્ઞાત મન એટલે સુસંસ્કૃત મન અને અજ્ઞાત મન એટલે દુવૃત્તિઓથી સભર આપણું ખાનગી મન. અજ્ઞાત મનની સામગ્રી પણ બહાર આવવાની કોશિશ તો કરે જ ને! તોફાની બાળકને બાથરૂમમાં પૂરી દીધો હોય, પણ એ મુક્ત થવા ધડી ધડી .......કર્યા કરશે અને તક મળતાં જ બહાર નીકળી આવશે. એવું જ છે અજ્ઞાત મનનું. પ્રબુદ્ધ જીવન ધારો કે મને વ્યક્તિગત રીતે મારા પિતરાઈ ભાઈ ‘મગન' સાથે અણબનાવ છે. કાળક્રમે અણગમો ભયંક૨ તિરસ્કારમાં પરિણમે. પછી સમાજ-સંસ્કૃતિના મૂલ્યો (જે જ્ઞાત મનની સામગ્રી છે) મને કહેશે, આવો વેરભાવ ન રાખવી જોઈએ. હું ચૂપ થઈ જાઉં છું, પણ આ વૃત્તિ અજ્ઞાત મનમાં ધરબાઈ રહે છે. ધ્યાનમાં રહે, આપણી કોઈ વૃત્તિ કદી નાશ પામતી નથી. એનો સ્થાનફેર થાય છે એટલું જ . જેમ પીડાશામક દવા થોડા સમય પૂરતી રાહત આપે છે, એમ વૃત્તિનું દમન ક્ષણિક વિશ્રાંતિ આપે છે. હવે જ્યારે હું સભાનપણે ‘મનન’ લખવા જાઉં છું, ત્યારે અજ્ઞાત મનમાં પડેલો ‘મગન' ઊંચીનીચો થઈ બહાર આવી જાય છે અને જ્ઞાત મનને માત કરી મારી પેન પાસે ‘મગન' લખાવડાવે છે ! તંત્રીશ્રી કે વાચકો મારી ભૂલ પ્રત્યે ધ્યાન દોરે તો હું અજાણ થઈ મારો બચાવ કરીશ કે અરે, આવું કેમ થયું હશે ? મારે તો ‘મનન શબ્દ જ લખવો હતો. આ અજાણ હોવું એ જ અજ્ઞાત મનની સાબિતી છે. ફ્રોઈડ વ્યક્તિના જીવનવ્યવહારમાં અજ્ઞાત મનનો પ્રભાવ કેટલો બધો છે, એ સમજાવવા મનને હિમશિલા સાથે સરખાવે છે. સમુદ્રમાં હિમશિલાની ટોચે દેખાય છે, પણ એ તો ફક્ત ૧ ૧૦ ભાગ છે. બાકીનો ૯/૧૦ ભાગ તો પાણીની અંદર હોય છે. તેવી જ રીતે જ્ઞાત મન દ્વારા પ્રેરિત વિચાર વાણી વર્તન એ તો ફક્ત ટોચ છે. શેષ મહત્તમ ભાગ અજ્ઞાત મન દ્વારા પ્રેરિત હોય છે. ૨૧ પોતે મહાકવિ કાલિદાસ છે. દિવસ દરમિયાન તો પોતે કહી શકે નહિ કે 'હું કાલિદાસ છું', કારણ કે જ્ઞાત મન એમ કહેતાં રોકે. બહુમાન પ્રાપ્ત કરવાની ઝંખના અજ્ઞાત મનમાં ચૂપચાપ પડી રહે છે. રાત્રે નિદ્રાધીન થતા જ્ઞાત મનનો ચોકીપહેરો ખસી જાય છે. ત્યારે અજ્ઞાત મનમાં છુપાયેલા તસ્કરોને છૂટો દોર મળી જાય છે. કવિ મહાશયને સ્વપ્ન આવે છે કે નગરમાં ભવ્ય કવિસભાનું આયોજન થયું છે. પોતે મંચ પર આકર્ષક સિંહાસને બિરાજમાન છે. ગળામાં મઘમઘતા ફૂલોનો હાર છે. ચારે તરફ ‘મહાકવિ કાલિદાસનો જય હો..જય હો...' પ્રશસ્તિગાન સંભળાય છે. કવિ રખાય છે, પણ રે ! સવારનું એલાર્મ ઘડિયાળ રણકે છે. સ્વપ્ન આશીર્વાદરૂપ છે, કેમ કે જીવનની અણગમતી વાસ્તવિકતાને પરોક્ષ રીતે ઈચ્છાપૂર્તિ દ્વારા સહ્ય બનાવે છે, પરંતુ ક્યારેક સ્વપ્ન વ્યક્તિનો પીછો કરી જીવન કેવું અંધકારમય બનાવી દે છે, એનું એક દૃષ્ટાંત : બે ભાઈઓનું સંયુક્ત કુટુંબ છે. સુખ, સંપ અને પ્રેમથી હર્યુંભર્યું કુટુંબ, દુઃખ એક જ વાતનું કે નાના ભાઈની વહુ નિઃસંતાન છે. રન્નાદે ખોળાનો ખૂંદનાર ક્યારે આપશે, એની અહર્નિશ ચિંતા કરે છે. જેઠાણીને વહાલસોઈ એક દીકરી છે. એક દિવસ દેરાણી જેઠાણી આગળ દિલ ખોલે છે, 'ભાભી, જીવતર દોહ્યલું થઈ ગયું છે. ક્યાંક ચાલી જઉં એમ થાય છે.' આટલું કહતાં એ રડી પડી. જેઠાણી સ્તબ્ધ થઈ ગઈ. સાંત્વન આપ્યું. ધીરજ ધરવા કહ્યું, પણ દેરાણીના આંસુ રોકાતા નહોતા. આખરે અંતરમનના દ્વાર ખુલી જ ગયાં કે ‘કેટલાય દિવસથી સતત મને સ્વપ્ન આવે છે કે હું નાની રીચાને તમારા બિછાનામાંથી ઉપાડી મારા પડખે સુવડાવી દઉં છું. એકબે વાર તો ઊંઘમાંથી જાગીને તમારા બિછાના તરફ આવી હતી અને લજ્જિત થઈ પાછી ફરી હતી. ભાભી, હું ત્રાસી ગઈ છું આવા દુઃસ્વપ્નોની ભરમારથી ' આપણાં કેટલાક વિસ્મરણનું કારણ 'દમન' હોય છે. ચર્ચગેટવાસી યુવાનને વિરારની એક કંપનીમાંથી નોકરીનો ઈન્ટરવ્યૂ આવે છે. વહેલી સવારની ડબલ ફાસ્ટ ટ્રેન પકડે છે. નિયત થયે પહોંચીને આવકારખંડમાં બેસે છે. એનો નંબર આવે છે. થેલી ફંફોસતાં જાણ થાય છે કે પ્રમાણપત્રોની ફાઈલ ભૂલી ગયો છે. વીલે મોઢે પાછો આવે છે. મનોવૈજ્ઞાનિક સમક્ષ વાતવાતમાં કહી દે છે કે વિરાર સુધી નોકરીએ જવાની એને ઈચ્છા ન હતી. અંધેરી-બોરીવલી સુધી ઠીક છે. આમ અજ્ઞાત મનમાં પડેલો અણગમો ઘેરથી નીકળતી વખતે યુવાનને અગત્યની ફાઈલ લેવાનું ભુલાવડાવી દે છે. રે મન, જૂજવાં છે તારાં રૂપ! એ-૬, ગુરુકૃપા સોસાયટી,શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ, સ્વપ્ન અજ્ઞાત મનનો ઓ૨ પુરાવો છે. એક કવિને સ્વપ્ન આવતું કે વડોદરા-૩૯૦ ૦૦૬. ફોન : ૦૨૬૫-૨૪૮૧૬૮૦,
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy