________________
Regd. With Registrar of Newspapers for India No. R. N. I. 6067/57
Posted at Patrika Channel sorting office Mumbai-400 001. On 16” of every month ♦ Regd. No. MH/ MR/ SOUTH-146/ 2009-11
PAGE No. 28
PRABUDHHA JIVAN
પુત્રના ક્ષેમકુશળ માટેની કુરબાની
દમયંતી એના મંદબુદ્ધિના પુત્ર દીપ સાથે, વર્ષે બે વર્ષે મહિના દોઢ માટે અમારા પશમાં રહેતા એના પિયરીએ રહેવા આવે ત્યારે અને મળવાનું અને એની સાથે સુખદુઃખની વાતો કરવાનું થાય. વચ્ચે વચ્ચે થોડાક દિવસ માટે અનુકૂળતા પ્રમાણે એના પતિ પણ લુણી આવી રહી જાય. સંયમ સાથેનું સંવાદી જીવન જીવતા પતિ-પત્નીની એ આદર્શ જોડ. એમનું એક માત્ર સંતાન દીપ લગભગ બે વર્ષનો થયો ત્યારે એમને સમજ પડી કે એ મંદબુદ્ધિનો છે અને ત્યારથી તેની માનસિક સુધારણા માટે આ દંપતીએ જે પ્રયત્નો કર્યા છે એનો જોટો જડવો મુશ્કેલ છે.
દીપ નિશાળે જવાની ઉંમરનો થયો ત્યારે આ દંપતી કર્ણાટકના માંડ્યા શહેરમાં રહેતા હતા. તે સમયે મંદબુદ્ધિના બાળકને ભગાવી શકે એવી શાળા માંડ્યાથી ચાલીસેક કિલોમીટર દૂર માયસોર શહેરમાં હતી. ત્યાં દયની દરરોજ વહેલી સવારના દીપને ભણાવવા ટ્રેનમાં લઈ જતી. શાળા ચાલુ હોય ત્યાંસુધી ત્યાં જ રોકાય અને ઢળતા બપોર માંડ્યા પાછી ફરે. માંડ્યા રહેતા હતા ત્યાંસુધીનો દમયંતીનો આ નિત્ય ક્રમ. દીપની સારસંભાળ સારો એવો સમય લઈ લેતી હતી એ જોઈને દંપતીએ વિચાર્યું કે દરમિયાનમાં બીજું બાળક અવતરે તો દીપ પાછળ યોગ્ય સમય ન આપી શકાય. આ નિવારવા એમણે નાની ઉંમરમાં બીજું બાળક ન જન્મે એ અંગેની ભીષ્મ પ્રતિજ્ઞા લઈ લીધી. આજે દમયંતી અને મુકેશ અનુક્રમે ચુમ્માલીસ અને છેતાલીસ વર્ષના થયા છે ત્યારે તેઓ બન્ને દીપના યોગક્ષેમ પાછળ પોતાની સર્વ શક્તિ અને સમય ખર્ચી રહ્યા છે. આજે જ્યારે પોતાના શરીર સુખ અને સગવડને આડે આવતા ગર્ભમાંના બાળકનો પણ ગર્ભપાત દ્વારા નિકાલ કરાવનારાઓની સંખ્યા વધી રહી છે ત્યારે પોતાના મંદબુદ્ધિના બાળક માટે જીવનના સર્વ સુખને ન્યોછાવર કરનાર સૈયા દંપતીનું દૃષ્ટાંત અનેકને પ્રેરણા આપે એવું છે.
દીપ હવે મજબૂત બાંધાનો અઢાર વર્ષની
પુખ્તવયનો થયો હતો. મારા કચ્છના રોકાણ દરમિયાન એકવાર હું ટેક્ષીમાંથી ઉતરી રહ્યો હતો. ત્યારે દીપ મને ખસેડી એ ટેક્ષીમાં બેસવા ઉત્સુક ત્યારે દીપ મને ખસેડી એ ટેક્ષીમાં બેસવા ઉત્સુક થતાં મારા પર જોશભેર ધસી આવ્યો. મને ટેલીમાંથી ખેંચી કાઢી તમાચો મારીમને દૂર કરવા માટે દીપે જેવો હાથ ઉગામ્યો તે જોઈને મને માટે દીપે જેવો હાથ ઉગામ્યો તે જોઈને મને બચાવવા વચ્ચે પડવા દમયંતી દોડી આવી. આથી ગિન્નાયેલા દીપે મારા બદલે એક તમાચો દમયંતીને ચોડી દીધો. તમાચો ખાઈને પણ ક્ષમાધરિત્રી જેવી માના દમયંતી શાંત રહી અને પુત્રને વ્હાલભર્યા સંબોધનોથી સમજાવવા મથતી રહી. આથી અગાઉ પણ બે વખત દીપના હાથે તમાચા ખાતા મેં દમયંતીને જોઈ છે. આવું બની જવા છતાં મેં મેં દમયંતીને ગુસ્સે થતાં કે દીપને ધમકાવતા ક્યારે કે પણ જોઈ નથી.
પછી પો પારોય...
D ચીમનલાલ ગલીયા
ભગવાન મહાવીરના ધર્મોપદેશ પર અપાર શ્રદ્ધા ધરાવનાર દમયંતીને આ વિષમ પરિસ્થિતિ પોતે સહી હી છે એમાં પોતાના પૂર્વ ભવના કર્મો સિવાય અન્ય કોઈનો વાંક ગુનો દેખાતો કર્મો સિવાય અન્ય કોઈનો વાંક ગુનો દેખાતો નથી. બનેલી ઘટનાને અનુલક્ષીને મેં દમયંતીને સૂચવ્યું કે દીપને થોડો શાંત પાડવા અને એનો ગુસ્સો થોડો ઓછો થાય એ માટે કોઈ યોગ્ય મનોચિકિત્સકને બનાવી એની દવા કરાવો. જવાબમાં દમયંતીએ કહ્યું કે, 'આવી દવાઓથી દીપ શાંત જરૂર થઈ જાય, પણ આની આડઅસરને કારણે એના થનારા સંભવીત માનસિક વિકાસની કારણે એના થનારા સંભવીત માનસિક વિકાસની શક્યતાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રુંધાઈ જાય જે અમે હરગીઝ પસંદ કરી શકીએ નહીં.' આવી ઉદ્દાત માતૃ-પિતૃ ભાવનાને હું મનોમન વંદી રહ્યો.
ધૂળે ઢંકાયેલાં રત્નો
આપણે શહેરની એપાર્ટમેન્ટ જીવનશૈલીને અપનાવી છે એને કારણે પડોશીઓ સાથે નિકટતા
JUNE, 2009 કેળવવાનું અને એની મધુરપ માફાવાની તક આપણે ગુમાવી બેઠા છીએ, ઈ. સ. ૨૦૦૮ના ચાતુર્માસ દરમિયાન મારા ગામ લુણી, કચ્છ ખાતે મારું હેવાનું થયું ત્યારે ફળિયાના સહજીવનને માાવાનો અનેરો મોકો મને અનાયાસે મળી ગર્યા. ચાતુર્માસ દરમિયાન ફળિયાના એકાદ અપવાદ સિવાય બધા ઘર ખુલી ગયા હતા. આ સહવાસ દરમિયાન ધૂળ ઢંકાયેલા ત્રણેક જેટલા રત્નોના પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું.
ફળિયામાં મારા પડોશમાં રહેતા માવજીભાઈ જીવનની પ્રારંભિક કઠણાઈઓને પાર કરી, કેટલાક વર્ષોના પરિશ્રમ પછી ધંધાર્થે સ્થિર અને સુખી થયા હતા. કુટુંબ વત્સલ માવજીભાઈએ પોતાના ભાણેજ પ્રસ્કુલ તથા કેટલાક કુટુંબીજનોને ધંધામાં સાથે રાખી અમને જીવનમાં સ્થિર થવામાં સારી મદદ કરી હતી. જીવન સુખરૂપ વહી રહ્યું હતું. ત્યાં અચાનક માવજીભાઈએ પોતાના ધર્મપત્નીને ખોયા. એમના અવસાન બાદ થોડા સમયમાં
સ્વસ્થતા પ્રાપ્ત કરી વહેવારકુશળ માવજીભાઈ પોતાના ચારે સંતાનોને પરણાવી પોતાની એ અંગેની જવાબદારીથી મુક્ત થયા. સમય વહી રહ્યો હતો ત્યાં તો એમના પરલકવાના હુમલાનો બીજો વજ્રઘાત થયો; જેથી એઓ પંગુ બની ગયા અને પોતાની યાદદાસ્ત બિલકુલ ખોઈ બેઠા.
આજકાલ કરેલ ઉપકારોને તરત જ ભૂલી જનારા નગુણાઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે માવજીભાઈના સદ્ભાગ્યે એમના પુત્ર હેમંત, પુત્રવધૂ ભાવનાબેન, ત્રણ પુત્રીઓ અને એમનો ભાણેજ પ્રફુલ્લ સહિત એમના પરિવારજનો એમની લાચાર અવસ્થામાં એમની પડખે અડીખમ ઊભા રહ્યા. આજે જીવનમૂલ્યોનું ઘોવાણ ઘણું થયું છે ત્યારે આ પરિવારનું આદર્શ દૃષ્ટાંત આપણને સૌને પ્રેરણા આપે એવું છે.
ચાતુર્માસ દરમિયાન માવજીભાઈ પણ લુણી બધા સાથે રહે જેથી એમને કુટુંબની હુંફ મળી રહે એ હેતુસર એવું નક્કી કરવામાં આવ્યું કે સંબંધકર્તા સૌએ વારાફરતી ગુણી આવી માવજી(વધુ માટે જુઓ પાનું ૨૪)
Printed & Published by Niruben S. Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai400004. Temparary Add. : 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.