________________
૪
પ્રબુદ્ધ જીવન
પ્રભુ સાથેની ગોઠડીને માણીએ ] પૂ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી
વિશ્વના જીવમાત્ર પ્રત્યેની કરુણાથી છલકાતા હ્રદયના સ્વામી પરમાત્મા જ્યાં વિરાજમાન છે તે મંદિરમાં જવાનાં ત્રણ બારણાં છે ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન; પણ ગર્ભાગારમાં જવાનનું બારણું એક જ છે : તલ્લીનતા. ત્યાં પહોંચો એટલે ગર્ભદીપ દેખાય અને તેના અજવાળે પરમની ઝાંખી થાય. સાધકની મથામણ આ પરમતત્ત્વની ઝાંખી માટેની જ હોય છે. તેનાં ત્રણ સાધનોમાં ભક્તિ એ દેખીતી રીતે સહેલું સાધન જણાય છે પણ તાત્ત્વિક રીતે તે સૌથી અઘરું છે; કારણ કે જ્ઞાન-વૈરાગ્યની સરખામણીમાં ભક્તિમાં અહંનો સૌથી વધુ વિલય કરવો પડે છે. ભક્તિને ‘એકશેષ’ કહેવામાં આવે છે તે આ અર્થમાં. એક ‘તે’ જ બાકી રહે છે – ત્વમેવ, ભક્તિનાં ત્રણ સોપાનમાં અનુક્રમે તથૈવાનું, તવૈવા અને છેલ્લે ત્વમેવારૂં આવે છે. છેલ્લે ‘તું જ તે હું છું’ની સ્થિતિ પ્રગટે છે. પછી દેખીતી રીતે ભક્ત સક્રિય લાગતો હોય છે, પણ વાસ્તવમાં તો ભક્તના ખોખામાં ભગવાન જ જાણે જીવતા હોય એટલું અહંનું વિલોપન ભક્તિ માગી લે છે. એટલે જ ભક્તિનો માર્ગ કપરો છે. આ બાબત એક કવિએ સરસ વાત કરી છે :
‘એ અગોચર, તત્ત્વ સાથે ક્યાં કશું સંધાય છે ?
એક વચન, પહેલો પુરુષ, ત્યાં વચ્ચે આવી જાય છે !'
એ અહંનો લય તે જ પ્રભુનો જય છે અને તેથી વચલો પડદો હઠી જાય છે અને ભક્તનું કશું છાનું રહેતું નથી. ઉ. યશોવિજયજી કહે છે : ‘તેહથી કહો છાનું કિસ્યું, જેને સોંપ્યાં તન-મન વિત્ત હો’
અને આવી કો'ક ક્ષણે ભક્ત અને ભગવાનનું અંગત મિલન રચાય છે અને ત્યારે જે ગોઠડી થાય છે તે તા અંગત રહેતી નથી : ‘જાને
કોઇ.’
સ્તવન એટલે ભક્તની ભગવાન સાથેની ગોઠડી. શ્રી પાર્શ્વચંદ્રજી સૂરિષ્કૃત પ્રસ્તુત સ્તવન- ચોવીશીનાં સ્તવનોમાંથી પસાર થતી વખતે આવા સુભગ મિલનનાં દર્શન થાય છે .કવિએ પ્રભુ સાથે ગોઠડી માંડી છે ને પછી જાણે આપણી આગળ એની વાત કરે છે ઃ પ્રત્યક્ષ જાણે જિન કુંથુ દીઠા, પદ્માસનિઈ ધ્યાન ધરેવિ બઇઠા; નાશાગ્નિ સમ્યગ્ નિજદષ્ટિ રાખઇ, તિણ હેતિ વાણી વયણિઈ ન ભાખઇ. -૧૭/૮
પોતાના મનમાં ઘૂંટાતી વ્યથાની વાત – કુગુરુ સંગની દાસ્તાન – તેમના મોઢે વારંવાર આવે છે ઃ
તા. ૧૬-૨-૯૭
રીતે ગૂંથી લેવાયા છે. અહીં તેમનું શાસ્ત્રીય વિષયનું તથા ભાષા પરનું પ્રભુત્વ સ્વયં સ્પષ્ટ જણાઇ આવે છે. અઢા૨મા શ્રી અ૨નાથ ભગવાનના સ્તવનમાં ધર્મધર્મની ચર્ચા નોંધપાત્ર છે, તો વીસમા મુનિસુવ્રતસ્વામી ભગવાનના સ્તવનમાં ગુણસ્થાનકની દષ્ટિએ કરેલું નિરૂપણ પણ, તેઓ આ વિષયમાં કેટલા રમમાણ હશે તેની પ્રતીતિ કરાવે છે. પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં તેમણે ચૌદ સ્વપ્નની ગૂંથણી સુંદર કરી છે, જ્યારે ધર્મનાથ પ્રભુના સ્તવનમાં કલ્પસૂત્રગત ‘સંખે ઇવ નિરંજણે' વગેરે ઉપમાઓને સફળપણે ગૂંથી લીધી છે.
વિચારશીલ સાધકને પોતાના સમસામયિક મત-પંથના સંદર્ભે સબવિધાન કરવું જ પડે છે; એવા પ્રસંગે તેઓ કરુણાબુદ્ધિએ અંગુલિનિર્દેશ કરવો જ પસંદ કરે છે.
‘ત્રઇસટિ અધિકા ત્રણિ સય, પાખંડીના ધર્મ, જિનમત, લહિ તેહ જ કરિય, ગુરુ વિણ ન લઘઉ મર્મ. · - ૩/૮ ‘ત્રિણ્ણિ સય ત્રઈસદ્ધિ ચોર, પાખંડી અત થોર, તાસુ વિશ્વન સવિ ટાલઈ, નિજ પ્રભુઆદેસ્યઉ પાલઈ.' - ૫/૪
શ્રી પાર્શ્વચંદ્રજીસૂરિ પોતાના સમયમાં ગચ્છના ભેદોની જે સ્થિતિ પ્રવર્તતી હતી તેનો સખેદ ઉલ્લેખ સ્તવન કરે છે અને સાથે આત્મનિવેદન પણ કરે છે ઃ
શ્રી પાર્શ્વચંદ્રસૂરિનો વિદ્યમાનકાળ વિક્રમના સોળમા શતકનો છે. તે સમયે સ્થાનકવાસી સંપ્રદાયની શરૂઆત થઇ ચૂડી હતી. આથી તવિષયક ચિંતન પણ સ્તવનોમાં ઊતરી આવ્યું છે. સ્થાપનાનિક્ષેપ અર્થાત્ મૂર્તિના સંદર્ભમાં કવિ જાણે સ્વાનુભવસિદ્ધ ઉદ્ગાર કાઢે છે : નામિઈ થિકઉ ઠવણ વિશે, જાણઉં,
જે દેખિ ચોખઉ જિનભાવ આણઉં. ' - ૧૭/૯
તેના જ અનુસંધાનમાં ચોવીસમા મહાવીર સ્વામીના સ્તવનમાં દઢતાપૂર્વક જે પ્રતિપાદન કવિ કરે છે તે અસ૨કા૨ક છે. શ્રી ભગવતીજી સૂત્રના પ્રારંભે ‘નમો બંભીએ લિવિએ' પદ છે, તેને પણ અહીં સંભાર્યું છે. આ સ્તવનમાં બોલચાલની ભાષામાં થયેલું નિરૂપણ સુંદર લાગે છેઃ ‘મા, મા, એમ ન ભાખિયઇ જી, એ અસમંજસ વાણિ; પ્રતિમા નહુ ઉથપિયઇ જી, એ મતિ સાચી જાtિ. - ૨૪/૫
સાહિત્યની દષ્ટિએ જોઇએ તો આ સ્તવનોમાં ઉપમા આદિ અલંકારો, યમક, પ્રાસ આદિ ભાષાકીય શણગાર સુંદર રીતે પ્રયોજાયાં છે. રચનામાં પ્રૌઢતા છે. શ્રી સંભવનાથ ભગવાનના સ્તવનનો ઉઘાડ કેટલો સહજસુંદર છેઃ ‘મંગલવધિ-વિતાન-ધન, શ્રી સંભવ જિનરાય’
શ્રી અભિનંદન સ્વામી ભગવાનના સ્તવનમાં પહેલી અને બીજી કડીમાં, મુક્તિફળ મેળવવા લાખ યોજનનું શરીર કરીએ તો પણ તે ન મળે અને પ્રભુના ચરણે જે નીચા નમે તેને તે તરત જ મળે એ કેવો મઝાનો વિરોધાલંકાર દર્શાવ્યો છે !
તેરમા સ્તવનમાં એક પ્રાકૃત સુભાષિતની છાયા સરસ રીતે ઝીલાઇ
‘મિથ્યાદરિસણ પાપિયઉ એ, ચિત અંતરિ આવી થાપિયઉ એ,
છે :
તિણિ કુગુરુ-કુદેવિ નાવિયઉ એ, એ પ્રાણીપ્રાણિ ભમાવિયઉ એ. · - ૨/૫ ‘સરસ દૂધ સુતંદુલ સ્પઉં મિલી, કલકલઇ જિમ ખીર રસાઉલી; ‘ત્યજી કુગુરુ વિલ સુગુરુને સંગિ રાચઉ. - - ૧૦/૯
એ જ પ્રમાણે ત્રણસો ને ત્રેસઠ પાખંડીને પણ એ જ સંદર્ભમાં યાદ કરે છે ઃ
સઘણ કુક્કુસ મિશ્રિત રાબડી,તડબડઇ નહુ કાંઇ પચનઈ ચડી ?' - ૧૩/૮ પ્રાકૃતમાં સુભાષિત આ પ્રમાણે છે ઃ
जइ बहुल - दुघध्धवला, उच्छलइ धवलतंडुला खीरा । ता किं कणकुक्कसिया, रब्बडिआ नो तडब्बडइ ? || १ || બાવીસમા સ્તવનમાં શ્રી નેમિનાથ ભગવાનના સમ્યકૃત્વ પામવાના પ્રસંગને
‘તિહાં સાધુનઉ શુદ્ધ આચાર દેખી, લહી દંસણ કુમતની મતિ ઉવેખી. '
આમ એક પંક્તિના ઇશારે રજૂ કર્યો છે. અન્યત્ર ગુજરાતી પદ્યમા આ વાત આવી હોય એવું સ્મરણ નથી. પ્રસંગ યાદગાર છે. ‘ત્રિષષ્ટિ’માં પર્વ આઠમામાં આવે છે.
‘આગમવચન ઉથાપિયઉં,નિય નિય ગચ્છ તિ થાપિયઉ, આપિયઉ કિમ લઉં દસણ તાહરઉં એ ? હિવ એ સહૂ આલોઇયઇ, સુપ્રસન્ન નયણ નિહાલિયઇ, ટાલિયઇ ભવદુહ બંધન માહ૨ એ. ′ - ૪/૧૧ સ્તવનોનું ભાષાકર્મ પણ સાફ અને સ્વચ્છ છે; અભિવ્યક્તિની
ધન અને ધનવતીનો એ પહેલો ભવ છે. ગ્રીષ્મના ભર તાપનો દિવસો છે. ઉકળાટથી કંટાળીને દંપતી ઉપવનમાં શીતળ લતામંડપમાં વિશ્રામ કરી રહ્યાં છે. ત્યાં ધનવતી ભરબપોરે ધોમ તાપમાં રસ્તા ઉપર એક મુનિને મૂર્છાવશ થઇને પડતા જુએ છે, ધનને કહે છે અને ધન તૂર્ત દોડીને શીતોપચાર કરે છે, મુનિ સ્વસ્થ બને છે, ધન મુનિને પૂછે છે : કળા પણ આગવી છે. કર્મગ્રન્થના ગહન પદાર્થો ગુજરાતી પદ્યમાં સુગમતાપ લાગ્યો છે અને આપને મૂર્છા આવી ગઇ.' મુનિ કહે છે કે આ કષ્ટ આવી અવસ્થા કેમ થઇ ? આપના પગમાંથી લોહી નીકળે છે, સખત