SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્રબુદ્ધજીવન અદ્યતનમાં અદ્યતન માનસશાસ્ત્ર, ગૂઢમાં ગૂઢ યોગશાસ્ત્ર, ગહનમાં ગહન જીવનશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન ઊંચામાં ઊંચી કવિતાની દૃષ્ટિએ આ શ્લોકોનું મહત્ત્વ ૨જ માત્ર કમ નથી ઃ ધ્યાયતો વિષયાન્વંસઃ સંગસ્તેખૂપજાયતે। સંગાત્સંજાયતે કામઃ કામાક્રોધોભિજાયતે ક્રોધાદ્ભવતિ સંમોહઃ સંમોહાસ્મૃતિવિભ્રમઃ। સ્મૃતિભ્રંશાત્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્મણશ્યતિ ।। અને રાજવી કવિ ભતૃહિરનાં ત્રણ શતકો (‘શૃંગાર-શતક' ‘નીતિશતક’, ‘વૈરાગ્યશતક’)ના સંસ્કારોની તો વાત જ શી કરવી ? સામાજિક ને સાંસ્કૃતિક જીવનનાં વિનય, વિવેક, શિષ્ટાચાર અને શુદ્ધ વ્યવહારને પોષવામાં ને વ્યક્તિગત તેમજ સામૂહિક જીવનના ઉત્થાનમાં સંસ્કૃત સાહિત્યનાં એ અણમૂલ સુભાષિતોએ અદ્ભુત ફાળો આપ્યો છે. અને સંસ્કૃત સુભાષિતોની સંખ્યા સેંકડોની નહીં પણ હજારોની છે. શીલનું ગૌરવ કરતાં સુભાષિતકાર કહે છે ઃ– ‘વિદેશેષુ ધનંવિદ્યા, વ્યસનેષુ ધનં મતિઃ । પરલોકે ધનં ધર્મઃ શીલં સર્વત્ર વૈ ધનમ્ । આર્યોના જીવનના ચાર આશ્રમ ને એ ચાર આશ્રમ દરમિયાન સાધવાના પુરુષાર્થની વાત કરતાં કવિ લાઘવથી કહે છે : પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીયે નાર્જિત ધનમ્ । તૃતીયે નાર્જિત પુણ્ય, ચતુર્થે કિં કરિષ્યતિ ? ॥ ધર્મનો સાર અતિ સંક્ષેપમાં આ રીતે આપે છે ઃ શ્રુયતાં ધર્મસર્વસ્વ યદુક્ત શાસ્ત્રકોટિભિઃ । પરોપકારાય પુણ્યાય, પાપાય પરપીડનમ્ ॥ ‘હેમ્લેટ મેન્ટાલિટી’વાળા ‘To be or not to be’ વાળાઓની મનોદશા આ રીતે આલેખે છે. યો ધ્રુવાણ પરિત્યજ્ય અછુવાણિ નિષેવતે । ધ્રુવાણિ તસ્ય નશ્યન્તિ અધ્રુવં નષ્ટમેવ ચ ॥ મનસાવાચાકર્મણા સંવાદની વાત કરતાં લખે છે : યથા ચિત્ત તથા વાચા યથા વાચા તથા ક્રિયા ચિત્તેવાચિ ક્રિયામાંચ સાધૂનામેકરૂપતા ॥ ક્ષણ ક્ષણ ને કણ કણની જાગૃતિપૂર્વક કાળજી લેનાર વિદ્યા ને ધનની શિખવવામાં પણ સરળતા રહે છે. - પ્રાપ્તિ કરી શકે એ માટેનું સુભાષિત dll. 19-10-69 પરોપકારાય સતાં વિભૂતયઃ । સંપત્તિ અને વિપત્તિમાં...સુખમાં અને દુઃખમાં લોકોત્તર પુરુષોન જીવન વ્યવહારમાં એકરૂપતા જોવા મળે છે. એના દષ્ટાંત રૂપે સૂર્યના ઉદય અને અસ્તને કાવ્યબદ્ધ કરતાં કહે છે ઃ ઉદયે સવિતા રક્તો રક્તશ્રાસ્તમને તથા । સંપત્તૌ ચ વિપત્તૌ ચ મહતામેકરૂપતા ॥ દુન્યવી રાગદ્વેષથી સર્વથા મુક્ત થયેલું આર્ય-હૃદય સકલ વિશ્વના કલ્યાણની કેવી કામના કરે છે ને શુભેચ્છાઓ પાઠવે છે ઃ‘સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા ઃ । સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુ:ખમાપ્નયાત્ ॥ સંસ્કૃત સાહિત્યમાં, માનવ જીવનને ઉન્નત કરતાં આવાં તો અનેક સુભાષિતો છે. પશ્ચિમના સાહિત્યની આપણા જીવન ઉપર ગમે તેટલી પ્રબળ અસર થઇ હોય તો પણ આપણાં રસવૃત્તિ, કલ્પનાશક્તિ, અભિરુચિ અને ચિંતનધારા પર સંસ્કૃત-સાહિત્ય-પરંપરાની સૂક્ષ્મ અસર છે જ. લગભગ.બે હજાર વર્ષ પૂર્વે, ‘અભિજ્ઞાન શાકુન્તલ'માં કવિ કુલગુરુ કાલિદાસે એમના એ નાટકના ચતુર્થ અંકમાં નિરૂપેલું કન્યા વિદાયનું કરુણ-રમ્ય આલેખન આજે પણ એટલું જ પ્રત્યક્ષ ને જીવન્ત છે. લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે પ્રબોધેલો ભગવાન મહાવીરનો અહિંસાનો સંદેશ આજના યુદ્ધગ્રસ્ત અને સંઘર્ષ-ત્રસ્ત વિશ્વને માટે એટલો જ પ્રસ્તુત છે; બલ્કે વધુ અનિવાર્ય અને સાર્થક છે. પૂ. વિનોબાએ ગાંધીજીને ‘ગુજરાતની સંસ્કૃતિરૂપી આંબાના ફળ’ તરીકે ગણાવેલ છે, તેની પાછળનું તર્કશાસ્ત્ર, અહીંની આમજનતાએ અપનાવેલી સાર્વત્રિક અહિંસામાં ગર્ભિત છે...અને ગુજરાતની વિશેષતા એ છે કે અહીંનો સામાન્ય જનસમુદાય પણ સૈકાઓથી શાકાહારી છે. બાપુને મીઠા ઉપાલંભ રૂપે કહેલું...પણ સંસ્કૃત ભાષા-ગિર્વાંગિરા‘તારા ધર્મની ભાષા તું નહીં શીખે ? એમ કૃષ્ણાશંકર માસ્તરે પૂ. ધર્મની ભાષા તો છે જ. પણ એ ઉપરાંત પણ એ નાટક, છંદરસઅલંકારશાસ્ત્ર કાવ્ય, કથા, જ્યોતિષ, આયુર્વેદ વગેરેની ભાષા પણ છે. એના જેવી પર્યાયપ્રધાન ભાષાઓ વિશ્વમાં ખૂબ ઓછી હશે. એનું શબ્દભંડોળ પણ અતિ સમૃદ્ધ છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ અર્થની આ અભિવ્યક્તિ માટે સંસ્કૃત ભાષા માતબર છે. સંસ્કૃત ભાષાનો સારો પાયો હોય તો ગુજરાતી, હિંદી, મરાઠી, બંગાળી વગેરે ભિંગની ભાષાઓ સૂતો યા સુતપુત્રો વા યો વા કોવા ભવામ્યમ । દૈવાયત્ત કુલે જન્મ મદાયાં તુ પૌરુષમ્ ॥ સકલ વિશ્વનાં પ્રજા-પંખીઓને કાજે ‘વિશ્વનીડ'ની કલ્પના કરનાર વેદના ઋષિની વિચારસરણી આ રીતે રજૂ થઇ છે ઃઅયં નિજઃ ૫રો વે તિ ગણના લઘુચેતસામ્। ઉદારચરિતાનાં તુ વસુધૈવ કુટુમ્બકમ્ ॥ અપ્રિય પણ પથ્ય સત્ય બોલનાર ને સાંભળનારની દુર્લભતાની વાત કરતાં કહે છે ઃ ક્ષણશઃ કણશચૈવ વિદ્યામ ચ સાધયેત । શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી, શ્રી મણિલાલ દ્વિવેદી, શ્રી આનંદશંકર ધ્રુવ, શ્રી કેશવલાલ હ. ધ્રુવ, શ્રી નરસિંહરાવ દીવેટિયા, શ્રી બળવંતરાય ઠાકોર, શ્રી ન્હાનાલાલ કવિ, શ્રી મણિશંકર ભટ્ટ (કાન્ન), શ્રી અક્ષણસ્ય ક્રુતો વિદ્યા અકણસ્ય કુતો ધનમ્ ॥ ઉચ્ચ જીવન પ્રાપ્ત કરી શકાય એ માટે– દૈવબળે હલકા કુળમાં જન્મ ભલે થાય પણ નિજી પુરુષાર્થ દ્વારા રમણભાઇ નીલકંઠ, શ્રી કાકાસાહેબ કાલેલકર, શ્રી રસિકલાલ છો. પરીખ, શ્રી રામનારાયણભાઈ પાઠક, શ્રી મશરૂવાળા, શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, શ્રી ડોલરરાય માંકડ, શ્રી રામપ્રસાદ બક્ષી, શ્રી ગૌરીપ્રસાદ ઝાલા, શ્રી અનંતરાય રાવળ, શ્રી ઉમાશંકર જોષી, ‘સુંદરમ્' વગેરે પંડિતયુગ તેમજ ગાંધીયુગના સંસ્કાર સ્વામીઓનો વિચાર કરીએ છીએ ત્યારે એ સર્વની સંસ્કૃત-પ્રીતિ-વ્યુત્પત્તિ સજ્જતાનો સાચો ખ્યાલ આવે છે અને એની તુલનાએ અત્યારની પેઢીની સંસ્કૃતની ઉપેક્ષાથી ઊંડું દુઃખ થાય છે. વિલ પૂરાંએ સંસ્કૃતિ અને સંસ્કારનો ભેદ દર્શાવતાં લખ્યું છેઃ ‘Civilization is social order promoting cultural ‘સુલભાઃ પુરુષા રાજન્સતતં પ્રિયવાદિનઃ । અપ્રિયસ્ય ચ પથ્યસ્ય વક્તા શ્રોતા ચ દુર્લભઃ ॥ નદીઓ પોતાનું પાણી પીતી નથી, વૃક્ષો પોતાનાં ફળ ખાતાં નથી, વાદળો ધાન્ય વગેરે પાક ખાતાં નથી. આવા પ્રકૃતિનાં સરલ દષ્ટાંતો આપી, અર્થાતરન્યાસી સત્ય રજૂ કરતાં કવિ કહે છે : creation....Culture suggests Agriculture but civilization suggests City.' આમ કોઇપણ પ્રજાની સંસ્કૃતિના વિકાસમાં વ્યક્તિગત સંસ્કાર જ પ્રાણભૂત હોય છે અને ભારતીય પ્રજાના સંસ્કારનું ઘડતર સંસ્કૃત ભાષા દ્વારા ઉપનિષદકાળથી તે અદ્યતનકાળ સુધી થતું રહ્યું છે એ એક સુખદ સાંસ્કૃતિક ઘટના છે. મમ માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ - મુદ્રક, પ્રકાશક ૩ શ્રી ચીમનલાલ જે. શાહ – પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪, ફોન: ૩૮૨૦૨૯૬, મુદ્રણસ્થાન રિલાયન્સ ક્રિસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮, લેસરટાઇપસેટિંગ : મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨,
SR No.525982
Book TitlePrabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy