SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રબુદ્ધ જીવન વધુ મહત્ત્વનાં કામ કરવાનાં છે.' બધા પેાતાની સેવા ધરતા હતા ત્યારે આનંદ મૂંગા ખેડ્ડા હતા. ભિક્ષુઓને નવાઇ લાગી. બધાએ પૂછ્યું', આનંદ, તું ક્રમ કાંઈ ખેાલતા નથી? ભગવાનના અંગત સેવક થવાનું તને મન નથી થતું ?? નરૢ શાંતિથી જવાબ આપ્યા, ભગવાની ઇચ્છા હો તે। આજ્ઞા કરશે. 'ભગવાને કહ્યુ', ‘ભિક્ષુએ, આાનને આગ્રહ ન કરેા, એની ઈચ્છા હોય તે એ મારેા અ ંગત સેવક અને એ મને ગમશે.' ‘ભિક્ષુઓએ આનદ સામે જોયુ. આનદ ઊભા થ ભગવાનને પ્રણામ કર્યાં અને કહ્યું, ‘ભગવાન મને આ કામ બહુ જ ગમશે. પણ મારી કેટલીક શરતો છે !' ભગવાન સામે શરતો ! બધા આશ્ચયમાં પાડયા. કેટલાક નારાજ પણ થયા, પણ ભગવાને શાંતિથી પૂછ્યું, આન દ કહે, તારી શરતા શી છે?' આનદે નમ્રતાથી પણ તાથી કહ્યુ', ‘આપને કાઇ ઉત્તમ વસ્ત્રા આપે ત્યારે આપના અંગત સેવક તરીકે કદાચ મને પણ આપે. એ વખતે હું તે નહી સ્વીકારું કારણ આપના અંગત સેવક બનુ તેથી ભિક્ષુઓમાં માગ દરજ્જો કાંઇ ઊચે। આવી જતા નથી.' ભગવાને કહ્યુ', ‘ભલે, તારી વાત વાખી છે.' ‘ભગવત્ જે જે ઉચ્ચ સ્થળે - આપને ભેજન માટે નિમંત્રણ મળે ત્યાં મારે સાથે આવવું જ જોઇએ એવા આગ્રહ આપ નહીં રાખતા કારણ એથી કેટલાક ભિક્ષુઓને ર્ષ્યા થવા સૌંભવ છે કે આનંદ ભગવાનનેા અંગત સેવક હેવાથી રાજ રાજ માલ-મલીદા ઝપરે છે' ભગવાને રાજી થને કહ્યું, “ભલે, મને આ શરત પણ મંજૂર છે.' ‘પ્રભુ, હુ આપનેા અંગત સેવક હાવાથી આપની કુટિર પાસે જ મારી. કુટિર હાય એ બરાબર છે; પણ એ ખીન્ન ભિક્ષુઓ જેવી જ સામાન્ય હોવી જોઇએ. આપની કુટિર જેવી ભવ્ય નહી હોવી જોઈએ.' ‘ખરાખર, આ શરત પણ મને સ્વીકાય' છે.' છેલ્લી શરત એ છે પ્રભુ કે આપની સેવાના કામમાં હુ. રાકાયેલે હા ત્યારે આપ જે ઉપદેશ લેાકાતે આપે તે આપે મને અનુકૂળતા મુજબ વિહાર, કરતાં કરતાં આપવા જેથી મારા મૂળ ધ્યેયથી હું વંચિત ન રહી જાઉ.' ભગવાને પ્રસન્ન થઈને ભિક્ષુઓને કહ્યુ, ‘સાંભળ્યું ને ભિક્ષુએ ! આવા વિવેમુદ્ધિવાળા અંગત સેવક જ મારે જોઇતા હતા.' એશીમા વર્ષે ભગવાન નિર્વાણુ પામ્યા ત્યાં સુધી આનંદે ભગવાનની અંગત સેવા અપૂર્વ' નિષ્ના સાથે કરી ! ભગવાનની સલાહથી તે ઉત્તમ દરજી પણ બન્યો. ભિક્ષુસંધમાં સૌ કાષ્ટ્રએ પોતાને ગમતુ કાઇ પણ શ્રમકા' શીખી લેવુ પડતુ, એક વાર મહારાજા ઉયનની રાણીઓએ આનદ ખેરલાવીને ભિક્ષુસધ માટે પાંચસે નવાં વસ્ત્ર ભેટ આપ્યાં. જ્ઞાન'દે તે ભારપૂર્વ'ક સ્વીકાર્યાં. ઉઘ્યને આન ંદને પૂછ્યું, ‘આ પાંચસે વસ્ત્રાનુ તુ શું કરીશ ?' આનંદે જવાબ આપ્યા, ‘જે ભિક્ષુઓનાં વસ્ત્રો ફાટી ગયું હશે તેને આપીશ.' ‘એ ફાટી ગયેલાં વસ્ત્રાનુ' શું કરીશ ?' ‘એ ચીવરામાંથી હુ’ એછાડ બનાવીશ.' તેા પછી જૂના એછાડાનું. શું' કરીશ ?' એમાંથી એશિકાના ગલેક બનશે.' ‘એ જૂના ગલેફ્ટનું શું કરીશ ?' Н તા. ૧૬-૨-૧૯૯૦ 'તેમાંથી પગલૂછણિયાં બનાવીશું.' ‘એ પગલૂછષ્ટિયાઓનું શું કરીશ ?? 'એ ઝાડૂ બનાવવામાં કામ લાગશે!' ‘પણ પછી જૂનાં હૂએનું શું થશે?” એને પલાળી, કરી, છાણુ સાથે ભેળવી ગારો કાખે કરીશું.' ઉયને રાણીઓને કહ્યું, ‘સુપાત્રે દાન તે આનું નામ. આનંદની કરકસરવૃત્તિ નગરજનેાએ પણ અપનાવવી જોઇએ.’ ભગનાન ખીમાર રહેતા હતા તેમ છતાં ચુન્દ લુહારના આગ્રહને વશ થઇને એમણે એમને ત્યાં સૂવરનું માંસ આરેાગ્યું. સ્વાભાવિક રીતે જ સ્વાસ્થ્ય કથળ્યુ. વિહાર કરતાં કરતાં શાલિવૃક્ષો નીચે ભગવાને છેલ્લી શય્યા પાથરી. આનંદ શાકાકુલ હતા. ભગવાને તેને સાંત્વન આપતાં કહ્યુ, ‘જન્મના અત મૃત્યુ જ છે. મે પ્રખેાધેલાં ચાર આ સો ભૂલી ગયા ? જો સાંભળ, ચુન્દ લુહારના ઘરનુ` ભેજન ખાવાથી મારું મૃત્યુ નજીક. આવ્યું છે તે સાચુ છે. તેની ફરજ આગ્રહ કરવાની હતી પણ મારી ફરજ ના પાડવાની હતી. પણ કાણુ જાણે કેમ મને સુજાતાની ખીર જેવી મીઠી લાગી હતી તેવુ જ ચુન્દના ધરનું ભેજન મીઠું લાગ્યુ` હતુ`. એટલે મારાથી સયમ ન જળવાય. જો, પછી ભિક્ષુસ ંધમાં અને બહાર સુન્દનુ ભાજન ખાધુ' એટલે મારા દેહાન્ત થયા એવી વાત ન ફ્લાય. નહીં તે ચુન્દ બિચારા જીવનભર ક્ષેાભ અને વિષાદમાં હૂખેલા રહેશે. દોષ એને નહાતા, મારેશ હતા એ વાત પર ભાર મૂકજે.' શાલિવૃક્ષો પરથી બુદ્ધના શરીર પર ફૂલા નિયમિતરૂપે ખર્યાં કરતાં હતાં. આનદને ખેલાવીને પ્રભુએ કહ્યુ, ‘જો આનંદ, આ માસમ જ શાલિવૃક્ષાને પુષ્કળ ફૂલ ખેસવાની અને ફૂલ ખરવાની છે. કાઇ રખે એમ માને કે યુદ્ધ દૈવી પુરુષ હતા એટલે એમના મૃત્યુ સમયે ફૂલે ખરતાં હતાં. કાઇ ને ચમત્કાર ન માની બેસે એનુ ધ્યાન રાખજે અને જો, મારા મૃત્યુના સમાચાર ફેલાતાં જ બધા ભિક્ષુઓ આ તરફ આવશે. એમને મારા અતિમ સ ંદેશ આપજે કે મારા પછી સધને કાર્ય મુખ્ય નિયંતા નહીં હાય. સૌએ પેાતપોતાના આત્મદીપને પ્રજ્ઞક્ષિત રાખવાને છે. નેતાપદ માટેની સ્પર્ધા ન થવી જોઇએ એ મારેા અ ંતિમ આર્શ' છે !' ભગવાન બુદ્ધની અંતિમ વાણીનું શ્રવણ કરવાનું ભાગ્ય ન તુ હતું . આનદે ભગવાનની જેવી સેવા એ જમાનામાં કરી હતી તેવી સેવા આ જમાનામાં મહાદેવભાઇએ ગાંધીજીની કરી હતી; પણ તેએ ગાંધીજીની હ્રયાતિમાં જ દુનિયાને મૅડી ગયા. ઘણા મહાન વ્યકિતવાનું એ સદ્ભાગ્ય હાય છે કે પેાતાનું વ્યક્તિત્વ ઓગાળીને પેાતાના ગુરુની સેવામાં ઓતપ્રેત થઈ જવું. આવી સમર્પિત વ્યક્તિને લીધે જ મહાપુરુષો વિશેષ મહાપુરુષો બની શકતા હાય ! તેમનાં પ્રીતિ ગાન ગાતી વખતે એકાક્રમે સૂર આવા સાચા ત્યાગી સેવકાની અપૂર્વ નિષ્ઠા માટે ગવાયાં જોએ. મંદિરના શિખર પરના કળશ જેટલું જ મહત્ત્વ મંદિરના પાયામાં ધરખાયેલા પથ્થરાનુ હાવુ જોએ.
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy