________________
૧૦૦
પ્રબુદ્ધ જીવત
પર્યુષણુ–સાચા અર્થમાં પૂજાનું, ઉપાસનાનું પ
હરીન્દ્ર દવે
વંકાર મંત્રના પાંચ નમસ્કારમાં પ્રથમ નમસ્કાર અરિ હેતને કરાયા છે. ખીજા નમસ્કાર સિદ્ધને કરાયા છે. ત્રીજા નમસ્કાર આચાયતે પહેોંચાડાયા છે. અરિહંત, જેના શત્રુ નાશ પામ્યા છે, એવા ઉચ્ચ કાટી પર પ્રતિષ્ઠત થયેલ પુણ્યશ્લેાક વિભૂતિ કે સિદ્ધિઓ જેને હસ્તમલકવત્ છે એવી વ્યક્તિ, કે જે મન, વચન અને કમ'માં સમ્યકભાવ રાખે છે, એવા આચાય એ ત્રણે મૌન રહીને પણ જીવન વીતાવી જાય ; પરંતુ ચેાથા નમસ્કાર ઉપાધ્યાયને કર્યાં છે, જે જાણે છે અને પ્રખાધે છે તે ઉપાધ્યાય. પરંતુ જગતની શ્રેષ્ઠતા આ ચારેમાં આવી જાય એવુ નથી. સ્વામી વિવેકાન ંદે કહ્યું હતું કે રામ, કૃષ્ણ વગેરે મહાન અવતારા બીજી કક્ષાના અવતારા છે. પ્રથમ કક્ષાના અવતારા તે સમાજમાં અજાણુ રહીને પસાર થઇ જતા હોય છે. પરંતુ તેએ હોય છે, એટલે બીજા સ્તરના અવતારે પ્રગટે છે. સૌ લેાકમાં જે સાચું છે એને નમસ્કાર કરીએ ત્યારે અજાણુ રહીને ઉચ્ચ ભૂમિકા પરન્તુ જીવન જીવી જનારા લેકાથી આપણે અજાણુ હેઇએ, તે પણ તેને આપણી કૃતજ્ઞતા સાથેના વ ́દન પહોંચાડીએ છીએ.
આજે સુવણ જયંતી વષ' છે એ શ્રી મુખઇ જૈન યુવક સધની પર્યુષણુ વ્યાખ્યાનમાળામાં, છેલ્લા એ નમસ્કાર જેને પહેાંચાડવાના છે એવા બે વગની પ્રતિષ્ઠા કરવાના પ્રયત્ન છે. ઉપાધ્યાયની વ્યાખ્યા સરળ નથી, પરંતુ પતિ સુખલાલજી, ફાધર વાલેસ, મારારી ખાપુ, મુનિ વાત્સલ્યદીપ તથા આ કક્ષાના (અહી' જેમનાં નામેા નથી સૂકાં એવા) મનેક મહાનુભાવાને આપણે આ વ્યાખ્યાના પરિધમાં જોયા છે. આ વ્યાખ્યાનમાળામાં આવતા પ્રત્યેક વકતા માટે ઉપાધ્યાયનુ બિરુદ ન વિચારી શકાય: પણ સમાજમાં જે પ્રખેાધન કરી શકે એવા શ્રેષ્ઠ પુરુષોની ખેાજ આ વ્યાખ્યાતાઓમાંથી આપણે 'કરી લઈએ છીએ. ‘ધી’ધાતુમાંથી ઉપાધ્યાય શબ્દ આવ્યા છે. અધ્યયન, અધ્યાપન, અધ્યેતા, અધ્યાપક ઉપાધ્યાય, અધ્યાય આ બધા શબ્દોનું મૂળ ભણવું, અધ્યયન કરવું એવા અથ` સૂચવતા ‘ધી’ ધાતુમાં રહ્યું છે, સન ૧૯૩૧ માં પંડિત સુખલાલજીના અધ્યક્ષપદ હેઠળ પ્રથમ યુ શુ વ્યાખ્યાનમાળા આરંભ પામી ત્યારથી આ પચાસની વ્યાખ્યાનમાળા સુધીમાં અયન કરનાર અને કરાવનાર શિક્ષક, પ્રાધકની ક્યારેક સફળ થયેલી, કયારેક અધ' સફળ થયેલી તો ક્યારેક નિષ્ફળ ગયેલી તલાશ જ છે. પ્રજાને ઉપાધ્યાયના પ્રમાધન કરનારના-પરિચય થાય તે જ એ આગાયને, સિદ્ધને કે અરિહંતને ઓળખી શકે અને લેાકામાં સવ' સાધુએ, એટલે
આ વ્યાખ્યાનમાળામાં આવતા શ્રેતાઓ. વક્તા ક્યારેક પોતાને વધારે ચતુર માની લે એવું અને: પણ શ્રોતાઓમાં એવા સાધુ પડયા હોય કે જે ઉપાધ્યાય કરતાં પશુ ઊંચી કોટીના આત્મા હોય. એટલે . 'ડિત સુખલાલજી અને સ્વ. પમાન દ કાપડિયાએ સાથે મળીને આર્ભ કર્યાં એ પયુ ષ વ્યાખ્યાનમાળાના એક, અત્યારે સિદ્ધ કહી શકાય એવા આશય ઉપાધ્યાયને તથા લેકામાં રહેલા સૌ સાધુઓને
તા. ૧૬ ૯-૪
વંદન કરવાના છે. આ ખે વંદન જે વિનમ્રતાથી કરી શકે એ આચાય ને પણ એળખી શકે, સિદ્ધને પણ પ્રીછી શકે, સદ્ભાગ્યે અરિહંતના સાક્ષાત્કાર થાય તેા તેમને પણ જાંણી શકે. આ દૃષ્ટિએ વ્યાખ્યાનમાળાના સંખ્યાબંધ વક્તાઓના વિચાર કરું છું ત્યારે જેમને વંદન કરવાનું મન થાય એવા પ્રમેાધકા, ઉપાધ્યાય, શિક્ષા નજર સામે આવે છે અને પચાસ પચાસ વરસ સુધી આ પરપરાને જાળવી રાખનારા અને પર્યુષણુ પવર્ગ ના મહિમા ાપવામાં મદદરૂપ થનારા આ શ્રાતા સાધુતા વિના ન સરજાય. જેમ બધા વકતાઓ ઉપાધ્યાયની કોટીના નથી એમ બધા શ્રાતાએ પણુ સાધુ ન હેાય; પણુ આ સમાં જે ઉપાધ્યાય હાય, સાધુ હોય એ સૈાને નમસ્કાર કરીએ આ નમસ્કાર આપણને પ્રથમ ત્રણ નમસ્કારાની નજીક લઇ જઇ શકશે.
પર્યુ* વ્યાખ્યાનમાળાની પ્રથમ અઠાવીસ વર્ષની શ્રેણીના પ્રમુખ પડિત સુખલાલજી, પછીના દસ વરસના પ્રમુખ પ્રા. ગૌરીપ્રસાદ ઝાલા તથા છેલ્લાં બાર વર્ષથી આ વ્યાખ્યાનમાળાંના પ્રમુખની જવાબદારી નિભાવી રહેલા પ્રા. રમણલાલ સી. શાહ ત્રણે સાચા અથ'માં ઉપાધ્યાય છે: તેઓએ અધ્યયન કર્યુ છે અને અધ્યાપન કરાવ્યું હતુ, કરાવે છે. ઉપાધ્યાયમાં આચાય કે સિદ્ધ પણ હોઇ શકે, પણ સિદ્ધ અને અાચાય અનિવાય પણે ઉપાધ્યાય હાય જ એવુ નહીં. અરિહંત કે સિદ્ધ કે આચાય' એક શબ્દ ખાલ્યા વિના પશુ જીવન વીતાવી શકે. ભગવાન મહાવીરે કહ્યા કર્યુ છે કે પૂણુ' સત્ય પ્રગટ જ ન થઈ શકે. સત્ય ઉચ્ચારીએ ત્યારે એની સીમા બંધાઇ જાય છે. ભાષાની સીમા, સાંભળનારની સીમા અને ખેલનારની સીમાઓને અતિક્રમી જે સત્ય પ્રગટ થાય છે એ આંશિક છે. ઍટલે ઉપાધ્યાયનુ કામ વધારે કઠીન છે. સત્ય સમજી મૌન થઈ જવું સરળ છે: પણ સત્યને તેની તમામ સીમાઓ સાથે અભિવ્યકિત આપવાનુ એટલું સહેલુ નથી. આ ત્રણ અધ્યક્ષાએ આ સત્ય ઉચ્ચારાય ત્યારે તેને સમજવા, હાજર રહેલા શ્રેાતાઆને એ સમજાવવા જે શ્રમ ઉઠાવ્યા છે એ સ્તુતિપાત્ર છે. અને આ પરંપરા પચાસ વરસ સુધી ટકાવી અને સંવધી છે શ્રોતાએ.
આજે પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ સ્થળે સ્થળે યાજાય છે પર્યુષણના પ્રભાતે રાત્રિએ ભગવદ્સ્તવન તેા કવું જ જોઈએ : ધ્યાન, સામયિક ઇત્યાદિ તા જોઇએ જ. પણ વિચારને પ્રેરણા મળે એવું પણુ ક ંઇક અનવું જોઇએ. અને આ વિચારાને ઝીલનારા શ્રોતા શ્રી મુખર્જી જૈન યુવક સધતી વ્યાખ્યાનમાળામાં વધતા જ ગયા છે. આ શ્રોતાઓએ આ વ્યાખ્યાનમાળાને જીવતી રાખી છે સાથે જ જૈન યુવ સંધમાં વિસ્તાર, વિશાળતાને આરાપનારા બે મહાનુભાવે પરમાનદ કાપડિયા અને ચીમનલાલ ચકુભાઈ શાહુંને યાદ કરવા ઘટે. આ વ્યાખ્યાનમાળની સુવષ્ણુ જયંતીમાં એ અનેનુ પ્રદાન અનેખુ છે. ા શ્રેણી પર્યુષણુ ( પર + ઉષણ ) પવને સાચા અર્થમાં પૂજાનું, ઉપાશ્રુનાનું પવ અનાવે છે. (મગળવાર, તા. ૨૮-૮-૮૪)ના ‘જન્મભૂમિ'માંથી સાભાર)
આશિક : શ્રી મુંબઈ જૈન યુવક સૌંધ, મુદ્રક અને પ્રકાશક, શ્રી ચીમનખા જે. માં, ગોળ સ્થળ ઃ ૮પ, સરધાર વી. પી. શ, સુબઈ ૪૦૦ ૦૦૪, ૩. ન. ૩પ૯૬ : મુદ્રણુસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટ, જગન્નાયકર રોઢ ઢ, ગિરગામ, સુબઇ - ૪૦૦૦૦૪.