SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૭૯ જીવ જીવન કર્યુ. સાત્રએ નાબેલ પ્રાઇઝ ફગાવી દીધુ ત્યારે જ્યો પાલ સાર્થ સાહિત્યકાર ફ્રેન્ચ ફિલસૂફે ૧૯૬૮ માં તેમને એનાયત થયેલું નોબેલ પારિતોષિક ફગાવી દઈને જંગતને આશ્ચર્યમાં મૂકી દીધું હતું. આ પ્રસંગને તેમની પ્રેમિકા મેડમ સિમાં 'દ બિવાયરે તેની આત્મકથામાં સુંદર રીતે લખ્યો છે: “સાર્થ અને હું પરણ્યા વગર જ સાથે રહીએ છીએ. જો કે બન્નેનાં ઘર જુદા છે. સાંજને સમય તે મારા ફ્લેટમાં ગાળે છે. ૧૯૬૪ માં એક ઈટાલિયન ફીલસૂફ જે સાર્ગના મિત્ર હતા તેમણે સાર્જને લખ્યું કે, “યારે તેમને (સાર્જને નોબેલ પ્રાઈઝ મળે ત્યારે એ પ્રસંગે સાત્રને જે ભાષણ આપવાના હાય તેની નકલ તેમને માલે.” આ ઉપરથી અમને અગાઉથી ખબર પડી ગયેલ કે સાત્રને નાબેલ ઈનામ મળવાનું છે. સાર્ગની ઈચ્છા હતી કે આ ઈનામ સ્વીકારવું નહીં. પરંતુ તેના આધેડ વયના મિત્રએ આગ્રહ કરેલા કે ઈનામની રકમ લઈ લેવી, પણ સાર્થ ત્યારે બળવાખાર તરીકે પ્રખ્યાત હતા. એને જે યુનિવર્સિટીમાં તે લેકચરર આપતા હતા તેના વિદ્યાર્થીઓએ સાર્જને ખૂબ જ આગ્રહપૂર્વક કહી દીધેલું સ્વીકારવું નહિ. જો સાર્જ ઈનામ સ્વીકારે તે ભારે ગ્લાનિ છવાઈ જાય તેમ હતું. કે ઈનામ વિદ્યાર્થીઓમાં ‘જો કે સાર્ત્યએ મનેામન નક્કી કરી નાંખ્યું હતું. તેઓ બધા જ માન અકરામ અને પદવીઓના ભારે વિરોધી હતા, તેઓ સ્ટોકહામ જઈને પોતાની વિદ્વતાનું પ્રદર્શન કરવા ઈચ્છતા નહોતા. અને આ પારિતોષિક માટે સાર્જની પસંદગી કરનારા કહેવાતા વિદ્રાન વળી કોણ હતા? એ પસંદગી કરનારાઓ બધા રાજકારણીઓના ચમચા હતા. કોઈ વખત કોઈ સામ્યવાદીને તે ઈનામ અપાયું જ નથી. જે સાત્ર સામ્યવાદી હેાત તો તે ઈનામ સ્વીકારી લેત. કારણ કે તે રીતે એક સામ્યવાદીને પારિતોષક આપવાના નિર્ણય કરીને સ્વીડીશ એકેડેમીએ તેની તટસ્થતા બતાવી હોત. પણ સાર્ત્ય સામ્યવાદી નહાતા. તેને ઈનામ અપાયું તેને અર્થ એમ નહાતા કે સાર્ગની રાજકીય વિચારશ્રેણીને તે માન આપતા હતા, પણ તેના અર્થ એટલેા જ કે સાર્ગની આવી કોઈ વિચારશ્રેણીને તે મહત્ત્વની ગણતા નહાતા. હજી તેને માટે ઈનામ જાહેર થયું તે પહેલાં જ સાÁએ એકેડેમીને કાગળ લખીને નમ્રતાથી જણાવેલું કે “મારા ઉપર આ ઈનામ લાદશે. નહિ, કારણ કે હું તે સ્વીકારવાને નથી.” “પરંતુ આ કાગળની કોઈ અસર ન થઈ, તે દિવસે મારા ફ્લેટ નજીકના કાફેમાં અમે બન્ને લાંચ લેતા હતા. અને ત્યારે એક પત્રકાર આવી પહેાંચ્યો. જો કે આ પત્રકાર અમે જમતા હતા ત્યારથી જ અમારા ઉપર ટાંપીને બેઠો હતો. તેણે આવીને સમાચાર આપ્યા કે સાર્જને નેબેલ પારિતષક મળ્યું છે. સાર્વએ આ ઈનામ નહિ સ્વીકારવાના કારણા એક સ્વીડીશ પત્રકારને કહ્યા જ હતા અને એ કારણેા ઘણા વર્તમાનપત્રામાં છપાયા હતા. સાર્ત્યએ અમારી પાસે આવેલા પત્રકારને કહ્યું, કે આ પ્રકારના માન અકરામ અને ઈનામાને તેઓ ઘણા વખતથી વિરોધ કરે છે, સાર્તાએ કહ્યું કે “હું માનું છું કે લેખકે પોતાની જાતને એક સંસ્થા જેવી બનાવી નહિઁ મૂકવી જોઈએ. અને આ ઈનામ માત્ર પશ્ચિમના લેખકો માટે જ શું કામ છે? એ ઈનામ માત્ર પૂર્વમાંથી આવતા બળવાખોરો માટે જ શું કામ છે?’ “સાર્જને ખબર પડયા પછી તે મને મળવા આવ્યા. તે વખતે મારે ઘરે સાર્જની માના ફોન આવ્યો અને તેણે કહ્યું, કે ‘ઘણા પત્રકારો ઘરને ઘેરી વળ્યા છે.' પણ સાર્ગ ઘરે ગયા નહિં. મારી સાથે જ રહ્યા. પત્રકારોએ મારા ઘરના ફોન અને દરવાજા ખટખટાવ્યા જ કર્યા. એ પછી સાર્જ ઘર બહાર ગયા. તેમને ફોટો પાડવા દીધા પણ પત્રકારોને ખાસ કંઈ કહ્યું નહીં.” “બીજે દિવસે હું જાગી તો મારા ઘરની બહાર ટેલિવિઝનવાળા અને ફોટોગ્રાફરનું મોટું ટોળું ઊભું હતું. પણ સાન્ત્રએ કહ્યું “હું આ બધામાં દટાઈ જવા માગતા નથી.” એ પછી મારા ઘર બાજુ રહેતી એક બાઈએ કહ્યું ‘બિચારા સાÁ! બે વર્ષ પહેલાં તેને જાસૂસાએ ઘેરી લીધા હતા અને હવે તેને પત્રકારો ઘેરી રહ્યા છે. એમને બિચારાને કોઈ શાંતિથી જીવવા નહિ દે.” “નવાઈની વાત એ છે, કે પત્રકારોએ સાર્થ ઉપર આરોપ મૂકયો કે તેઓ પબ્લિસિટી સ્ટંટ કરે છે. ઈનામની ના પાડીને તેઓ વધુ પ્રસિદ્ધિ મેળવવા ઈચ્છે છે. આલ્બેયર કામુએ તેમના પહેલાં નાબેલ પારિતોષિક સ્વીકારેલું અને કામુ સાથે સાર્જને ઝઘડા થયેલા એટલા કામુને નીચા પાડવા સાર્શ્વએ ઈનામ સ્વીકારવાની ના પાડી છે તેવા પણ આક્ષેપા થયા. ઘણાએ એમ પણ કહ્યું, કે ‘તેની પ્રેમીકાને (હુ) ઈર્ષ્યા થાય એટલે સાત્રએ ઈનામ લેવાની ના પાડી! ઘણાએ એમ પણ કહ્યું કે રા કરોડ ફ઼ાંક જેવડા જંગી ઈનામની સાર્જ ના પાડે છે એટલે તે અબજોપતિ હોવા જોઈએ. સાર્જને આઘાત એ વાતના લાગ્યો કે ઘણા લોકોએ કાગળા લખીને વિનંતી કરી હતી કે “ઈનામ સ્વીકારીને પછી અમને જરૂરિયાતવાળાને તે પૈસા આપી દેજો.” ઘણાએ એમ પણ કહ્યું કે “તમે બહુ પૈસાવાળા છે એટલે ઈનામ ઉપરાંત તમારી પાસેથી થોડી રકમ ઉમેરીને અમને મદદ કરો,” કેટલાકે પ્રાણીઓ માટે, વૃક્ષોના સેંરક્ષણ માટે, ધંધા માટે, ખેતીની જમીન લેવા માટે અને કેટલાકે તે પ્રવાસમાં જવા માટે અને આનંદ પ્રમેાદ માટે પણ પોતાને આ ઈનામની રકમ આપી દેવા લખ્યું હતું. આ બધાએ મુડીવાદના સિદ્ધાંત સ્વીકાર્યો હતા. મેટા અને બરાબર સ્થાપિત થયેલા આ ધનિકોની સંઘરાયેલી રકમ માટે કોઈને આંચકો લાગતા નહોતા. મેરીઆક જેવા લેખક જેને આ ઈનામ મળેલું તેણે તે તે નેટના બાથરૂમના ટબમાં પધરાવી દીધી હતી !” –પ્રિયકાન્ત ભાટિયા ૧૨૫ એલ. વી. સંઘવી ૧૨૫ કૌસંબી જે. વારા ૧૦૧ ૧૦૧ * પ્રેમળજ્યાતિ તા. ૧૬-૭-૭૯ના અંકમાં પ્રગટ કરેલ નામાવલી પછી પ્રેમળજ્યોતિને પ્રોત્સાહન માટે નીચેની રકમેા પ્રાપ્ત થઈ છે. ૫૦૦ એક સગૃહસ્થ (દત્તક બાળક માટે) ૫૦ શ્રી કીરીટ માઈ પાટડીયાના જન્મ દિવસ નિમિત્તે (દાક બાળક માટે) 33 જ્યોત્સનાબહેન કે. પાટણવાળા એક સન્નારી ૧૦ ૧૦૦ ’ ૫૧ પદ્માબહેન ભગવાનદાસ એક સન્નારી 33 સુન્નતા સિદ્ધાર્થ શાહ ૫૦ એક સન્નારી ૫૧, ૫૦,, ૨૫ ૨૧,૬ () きの ઉષાબહેન ઝવેરી જયવંતીબહેન આર. શાહ સુમતીબહેન કાકુભાઈ લાઈવાળા દિનકરભાઈ પરીખ ૧૯૦૧ શ્રી લીલાવતી દયાળજી સ્કૂલમાંથી નીચેના બે બાળકોને દાક લેવામાં આવ્યા છે. શ્રી ધરમેશ દિલીપકુમાર જોષી ,, જોગનવલી સત્યનારાયણ રામજી આ પ્રવૃત્તિને પોતાને પ્રેમાળ સહયોગ આપતા ઉપરની વ્યકિતઓના અમે આભારી છીએ. જન્મદિવસે, ચાંદલા વખતે, તેમજ લગ્ન વખતે હંમેશા “પ્રેમળ જ્યોતિ”ને યાદ કરી પુષ્પપાંખડી રૂપે પણ પ્રદાન કરતા રહો. શાન્તિલાલ ટી. શેઠ કાર્યાલય મંત્રી લાકશાહીમાં “લાકશાહીમાં રાજ્યે વધારેમાં વધારે જનસંખ્યાનું કલ્યાણ કરવાનું છે. ન્યાય અને કાયદાની દષ્ટિએ પ્રત્યેક નાગરિક સમાન છે. લૉકશાહી રાજ્યનાં સત્તા અને સ્વાતંત્ર્યનું ઉદ્દભવસ્થાન પ્રજાની સ્વતંત્રતા છે. નિર્બળને રક્ષણ મળે અને શકિતસંપન્નને પૂરેપૂરી તક મળે એવી પરિસ્થિતિ સર્જાવી જોઈએ. વ્યક્તિ અને રાજય વચ્ચે વિસંવાદ હાવા જોઈએ નહિ. વ્યકિતમાત્રને આર્થિક, બૌદ્વિક, સાંસ્કારિક, રાજકીય ઉન્નતિ સાધવાની પૂરી છૂટ રહેવી જોઈ. વ્યકિતની આપખુદી રાજયને અને રાજયની એકહથ્થુ સત્તાવ્યકિતને અવરોધક ન બને એવી રાજય બંધારણમાં પૂરેપૂરી જોગવાઈ હોવી જોઈએ.” પેરિકિલસ
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy